લદ્દાખ બોર્ડર પર ભારત અને ચીન વચ્ચે વધી રહેલા તણાવની અસર વેપાર પર દેખાવા લાગી છે. ભારત સરકાર ચીનથી આવતા માલ પર કસ્ટમ ડ્યુટી વધારવાના મૂડમાં છે. વાણિજ્ય મંત્રાલય આ અંગે નાણાં પ્રધાન સાથે વાતચીત કરી રહ્યું છે. ભારતની કડકાઈની અસર ચીની કંપનીઓને થવા લાગી છે. આ દાવો ચીનની સરકારના મીડિયા ગ્લોબલ ટાઇમ્સે જ કર્યો છે.
ભારતમાં ચીની ચીજો સામે વિરોધ ચાલુ છે
ગ્લોબલ ટાઇમ્સે વિરોધ પર ચિંતા વ્યક્ત કરી હતી
દ્વિપક્ષીય સંબંધો અને આર્થિક સંબંધો પર નોંધપાત્ર અસર કરી છે.
ગ્લોબલ ટાઇમ્સના જણાવ્યા અનુસાર ભારત અને ચીન વચ્ચેની સરહદ પર તણાવને કારણે ચીની કંપનીઓને સૌથી વધુ નુકસાન થયું છે. ચીની મોબાઇલ કંપની ઓપ્પોને તેની લાઇવ ઇવેન્ટને રદ કરવી પડી હતી. ઓપ્પો પોતાનો 5 જી ફોન લાઇવ ઇવેન્ટ દ્વારા ભારતીય બજારમાં લોન્ચ કરવા જઇ રહી હતી. પરંતુ ચીની ચીજોના વિરોધને કારણે તે આગળ ઠેલાયું છે.
ગ્લોબલ ટાઇમ્સનું કહેવું છે કે બંને સરકારોએ અમુક હદ સુધી સરહદ પરના તણાવને હળવો કરવાનો પ્રયાસ કર્યો છે અને ઉદ્યોગો આર્થિક અને વેપાર સહકાર રહે તે ઇચ્છે છે. પરંતુ ભારતમાં ચીન વિરોધી ભાવના વધતા સંભવિત જોખમો અંગે ચીનમાં ઉદ્યોગોને સલાહ આપવી જોઈએ.
ગ્લોબલ ટાઇમ્સનું કહેવું છે કે ચીની કંપનીઓએ તેમની મૂડી અને કર્મચારીઓની સલામતી સુનિશ્ચિત કરવી જોઈએ. તેઓએ ખરાબ પરિસ્થિતિ માટે કાળજીપૂર્વક તૈયાર રહેવું જોઇએ અને બંને પડોશીઓ વચ્ચે સરહદનું સંકટનું સમાધાન ન આવે ત્યાં સુધી તેમના ભારતીય રોકાણ અને ઉત્પાદન યોજનાઓને ચાલુ રાખવા પર વિચારવો જોઇએ.
ગ્લોબલ ટાઇમ્સના જણાવ્યા મુજબ જ્યાં સુધી હાલની સ્થિતિનો સવાલ છે, ત્યાં સુધી કોઈ એ વાતથી ઇનકાર નથી કરી રહ્યું કે ચીન અને ભારત વચ્ચેના સરહદ વિવાદથી દ્વિપક્ષીય આર્થિક અને વેપાર સંબંધોને અસર થશે. કારણ કે ભારતમાં ચીન વિરોધી ભાવના થોડા સમય માટે ચાલુ રહેશે. પરંતુ આનો અર્થ એ નથી કે ચીની કંપનીઓએ નિષ્ક્રિય બેસી રહેવું જોઈએ.
ચીની કંપનીઓને સલાહ આપતા ગ્લોબલ ટાઇમ્સે કહ્યું કે કંપનીઓએ ચૂપ બેસવું નહીં. જો શક્ય હોય તો તેઓએ તેમના રોકાણોમાં વિવિધતા લાવવા અને શક્ય વૈકલ્પિક બજારો શોધવા વિશે વિચારવું જોઈએ. અમને આશા છે કે ભારત સરકાર તમામ ચીની કર્મચારીઓ તેમજ ચીનના તમામ વ્યવસાયો અને તેમની સંપત્તિ માટે જરૂરી સુરક્ષા પૂરી પાડશે.
ગ્લોબલ ટાઇમ્સનું માનવું છે કે હિંસક અથડામણ કંઈક આવી જ હતી કે જેનો કોઈ દેશ અંદાજ લગાવી શકે તેમ નહોતું અને ન તો તે ઈચ્છતા હતા. આ અથડામણના પરિણામે ભારતમાં વધતા રાષ્ટ્રવાદી તાવએ પહેલેથી જ દ્વિપક્ષીય સંબંધો અને આર્થિક સંબંધો પર નોંધપાત્ર અસર કરી છે.
નોંધનીય છે કે લદ્દાખ બોર્ડર પર 20 ભારતીય જવાનોની શહાદત બાદ ભારત ગુસ્સે છે અને બધે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. લોકો ચીની ચીજોનો બહિષ્કાર કરવાની માંગ કરી રહ્યા છે. આની અસર ચીની કંપનીઓને થઈ રહી છે. ઘણી જગ્યાએ ચીની કંપનીઓના હોર્ડિંગ્સ હટાવવામાં આવ્યા છે.