ભારત અને ચીનની સરહદ વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. સરહદ પર હિંસક અથડામણમાં ભારતનાં 20 જવાનોએ શહીદી પણ વહોરી હતી જે બાદથી સરહદ પર તણાવ સતત વધી રહ્યો છે અને સેના પણ ગમે તે પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છે. એવામાં આજે ભારત, ચીન અને રશિયાનાં વિદેશમંત્રીઓએ બેઠક યોજી હતી. આ બેઠકમાં ભારતના ગાઢ મિત્ર રશિયાએ મોટું નિવેદન આપ્યું છે.
ભારત-ચીન-રશિયાના વિદેશમંત્રીએ ઓનલાઈન બેઠક કરી
ભારત અને ચીનને કોઈ ત્રીજા દેશની જરૂર નથી : રશિયા
UNSCમાં ભારતની ઉમેદવારીનું રશિયાએ કર્યું જોરદાર સમર્થન
Today we talked of probable reforms of the United Nations & India is a strong nominee to become a permanent member of UN Security Council & we support India's candidacy. We believe it can become a full-fledged member of the Security Council: Russian Foreign Minister Sergei Lavrov pic.twitter.com/crXZEx1s6V
ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા વિવાદ પર રશિયાએ મોટું નિવેદન આપ્યું છે. રશિયાનાં વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે કહ્યું કે રશિયાને નથી લાગતું કે ભારત અને ચીનને સરહદ પર સંઘર્ષનું સમાધાન લાવવા માટે કોઈ ત્રીજા દેશની જરૂર છે. જોકે રશિયાએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતની સ્થાઈ સદસ્યતાનું જોરદાર સમર્થન પણ કર્યું છે.
આશા છે કે સંઘર્ષનું સમાધાન થશે
રશિયાએ કહ્યું કે અમે સંયુક્ત રાષ્ટ્રમાં સુધારાની સમસ્યા પર વાત કરીએ તો ભારતથી સારું કોઈ જ નોમિની નથી. અમે ભારતની ઉમેદવારીનું સમર્થન કરીએ છે. વિદેશ મંત્રીએ કહ્યું કે મને નથી લાગતું કે ભારત અને ચીનને બહારથી કોઈની મદદની જરૂર છે. મને નથી લાગતું કે તેમને મદદ કરવાની જરૂર છે. તે પોતાના દમ પર જ સમાધાન કરી લેશે. આશા રાખીએ છે કે બંને દેશ વચ્ચે શાંતિપૂર્ણ પરિસ્થિતિ બનેલી રહેશે અને વિવાદનું સમાધાન આવશે.
સંઘર્ષ બાદ ભારત અને ચીનના વિદેશમંત્રી એક જ બેઠકમાં સામેલ
નોંધનીય છે કે આજે ભારત-ચીન-રશિયાનાં વિદેશમંત્રીઓની વીડિયો કોન્ફ્રેન્સિંગ મારફતે બેઠક થઇ હતી. આ બેઠકમાં ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે કહ્યું હતું કે વિશ્વના નેતૃત્વની અવાજ બધાના હિતમાં જ ઉઠવી જોઈએ. ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા વિવાદ બાદ પહેલીવાર ચીન અને ભારતના વિદેશમંત્રીનો આમનો સામનો થયો હતો ને બેઠકમાં આ મુદ્દો પણ ભારતે ઉછાળ્યો હતો.