ભારતે LAC પર ફાયરિંગ કર્યુ હોવાના ચીનના આરોપોની સેનાએ ફગાવી દીધા છે. ઉલ્ટું ભારતે ચીન પર ભારતીય સેનાની હાજરી વાળા વિસ્તારમાં હવામાં ફાયરિંગ કર્યાના આરોપો લગાવ્યા હતા અને કહ્યું હતું કે ચીન પોતના નિવેદનોથી પોતાના દેશ અને આખી દુનિયાને ગુમરાહ કરે છે. ભારતીય સેનાએ પોતાના નિવેદનમાં કહ્યું હતુ કે સેનાએ કોઈ પણ સ્થિતિમાં લાઈન ઓફ એક્ચ્યૂલ કન્ટ્રલ પાર નથી કર્યુ. ન તો ફાયરિંગ કરી છે. ન કોઈ ઉશ્કેરણીજનક પગલા ભર્યા છે.
લદ્દાખમાં ફાયરિંગને લઇ ભારતીય સેનાનું નિવેદન
ભારત ક્યારે યુદ્વ નથી ઇચ્છતુઃ સેના
ભારત તરફથી કોઇ ફાયરિંગ નથી કરાયું: સેના
ભારતીય સેનાએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે, ‘PLAએ ખુલ્લેઆમ સમજુતીનો ભંગ કરતા ઉશ્કેરણીજનક ગતિવિધિઓ કરી રહ્યું છે. એ પણ ત્યારે જ્યારે બન્ને દેશોના સેન્ય, કુટનીતિક અને રાજનીતિક સ્તર પર વાતચીત ચાલી રહી છે.
સેનાએ કહ્યું કે 7 સપ્ટેમ્બરે PLAના જવાને એલએસી સાથે જોડાયેલી આપણી એક ફોરવર્ડ પોઝિશનની નજીક આવવાનો પ્રયત્ન કર્યો હતો અને હવે અમારા જવાનોએ આનો જવાબ આપ્યો તો PLAના જવાનો એ આપણા જવાનોને ધમકીના અંદાજમાં હવામાં ફાયરિંગ કર્યુ હતુ. જોકે આ ઉશ્કેરણી છતાં આપણી સેનાએ જવાબદાર અને પરિપક્વ રીતે પરિસ્થિતિને સંભાળી લીધી હતી.
સેનાએ કહ્યું કે ભારતીય સેના શાંતિ અને વિશ્વાસ જાળવી રાખવા પ્રતિબદ્ધ છે. પરંતુ સાથે દેશની સંપ્રભુતા અને અખંડતાની રક્ષા કરવા માટે દૃઢ નિશ્ચયી છે. ચીની સેનાના વેસ્ટર્ન થિયેટરનું નિવેદન ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય લોકોને ગુમરાહ કરનારું છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા સોમવારે રાતે ચીને દાવો કર્યો હતો કે ભારતીય સૈનિકોએ એલએસી પર વોર્નિંગ શોર્ટ્સ ફાયરિંગ કર્યું છે. ચીની સેનાના પ્રવક્તાએ કહ્યું કે ચીની સીમાં રક્ષકોને પરિસ્થિતિ કાબૂમાં રાખવા માટે જવાબી કાર્યવાહી કરવા પર મજબૂર થવું પડ્યુ હતુ. પ્રવક્તાએ કહ્યું કે ભારતીય સેનાએ ગેરકાયદેસર રીતે એલએસી પાર કરી અને પેંગોંગ લેકના દક્ષિણ કિનારા અને શેનપાઓ માઉન્ટેન વિસ્તારમાં ઘૂસી આવ્યા હતા.