છેલ્લા બે મહિનાથી ચાલી રહેલો ભારત અને ચીન વચ્ચેનો તણાવ ઓછો થતો જણાય છે. સોમવારે સમાચાર આવ્યા કે ચીની આર્મીએ એક્ચ્યૂલ લાઇન ઓફ કન્ટ્રોલ પર ગલવાન ખીણમાંથી તેમના તંબુ પાછા ખેંચ્યા છે. કોર્પ્સ કમાન્ડરના સ્તરે ભારત અને ચીન વચ્ચેની વાતચીત બાદ આ મુદ્દા પર સહમત થઈ છે. મે મહિનાથી ચીની સેનાએ ફિંગર 4 પાસે મોટી સંખ્યામાં તંબૂ સ્થાપિત કર્યા હતા.
LAC પર 1 KM પાછળ હટી ચીની સેના
મે બાદ બનાવી હતી અનેક પોસ્ટ
મે મહિનાથી ચીની સેનાએ ફિંગર 4 પાસે મોટી સંખ્યામાં તંબૂ સ્થાપિત કર્યા હતા
સોમવારે ચીની આર્મીની પીછે હટમાં આ વાતો ધ્યાનમાં લેવા જેવી છે
પેંગોંગ લેક નજીક ફિંગર 4 પર ચીની સેનાના પીછે હટનો આ પ્રથમ સંકેત છે.
ચીને આખા ભાગમાં નહીં પણ અમુક હદ સુધીનો જમાવડો હટાવ્યો છે.
ચીને ફિંગર 4 પર તેની પોઝિશનને કેટલાક ભાગોમાં વહેંચી છે.
ફિંગર 4 ની નજીકમાં ચીને લગભગ 62 નવી પોસ્ટ્સ દૂર કરી છે.
10 મે પછીથી ચીને લગભગ 300 નવી પોઝિશન તૈનાત કરી હતી.
ચીની સેના હવે તંબુ પાછા ખેંચી રહી છે. કેટલાક સૈનિકો પાછા ફર્યા છે અને સૈન્ય સાધનો જે સરહદે રાખેલ હતા તે પણ દૂર કરવામાં આવી રહ્યા છે. આખી વાટાઘાટ પ્રક્રિયા દરમિયાન ભારતે પોતાના પક્ષમાં એક જ વાત કરી હતી. જેમાં તે એપ્રિલ પહેલા પરિસ્થિતિઓને અમલમાં મુકવા માંગે છે.
ભારત અને ચીન વચ્ચે મેની શરુઆતથી LACમાં તણાવની શરૂઆત થઈ હતી. જ્યારે ચીની સેનાએ ભારત દ્વારા બતાવવામાં આવેલી LACને પાર કરી લીધી હતી અને આગળ આવીને પોતોના અડ્ડો જમાવ્યો હતો. ચીની સેના પેંગોગ લેક સુધી આવી ગઈ હતી.
આ મુદ્દાને લઈને બંને દેશોની સૈન્ય વચ્ચે અનેક સ્તરોની ચર્ચા થઈ છે. જેમાં કોર્પ્સ કમાન્ડર, લેફ્ટનન્ટ જનરલ વચ્ચે પણ વાત થઈ છે. બંને દેશો વચ્ચે સમજૂતી થઈ હતી કે હાલની પરિસ્થિતિ નિયંત્રણમાં લાવવામાં આવશે. સરહદ પર સૈનિકોની સંખ્યા ઓછી થશે અને ચીન હાલના સ્થળેથી પીછેહઠ કરશે.
જોકે હવે જ્યારે ચીનના તંબુઓ પીછેહઠ થયાના સમાચાર છે. તો ભારતીય સૈન્ય સંપૂર્ણ સાવચેત રહેશે જ્યાં સુધી એ વાતની પુષ્ટિ નહીં થાય કે ચીન પોતાની વાત પર કાયમ છે. 6 જૂનની વાતચીતમાં પણ અગાઉ ચીન પીછે હટ કરવા સંમત થયું હતુ. પરંતુ બાદમાં 15 જૂને બંને દેશો વચ્ચે ઘર્ષણ થયું હતુ અને ભારતીય સૈન્યના 20 સૈનિકો માર્યા ગયા હતા.