ભારત-ચીન સરહદ વચ્ચેનો તણાવ ઘટી રહ્યો છે. LAC પર ચીનની સેનાએ 2 કિલોમીટર પાછી હટી જતા ભારતે પણ સમજણ કેરવી છે. જેને લઈને ભારતીય સેના પણ 1 કિમી પાછી હતી. અહીંના ફિંગર ફોર વિસ્તારમાં કેટલાક અઠવાડિયાથી બન્ને દેશોની સેના આમને-સામને છે.
ગલવાન ઘાટીમાં ફોર ફિંગર વિસ્તારમાં ભારત અને ચીની સેનાઓ વચ્ચે કેટલાક દિવસોથી તણાવની સ્થિતિ બનેલી છે. અહીંનો પૈંગોંગ વિસ્તાર સૌથી વધુ વિવાદમાં છે. 6 જૂને ભારત-ચીન સરહદ અને લદ્દાખ તણાવને લઇને બેઠક યોજાશે, જેમાં પૈગાંગ ઝીલ ભારત-ચીન વચ્ચેની વાતચીતનો મુખ્ય મુદ્દો હોય શકે છે. પૈંગાગ ઝીલના ફિંગર-4 વિસ્તારમાં બંને સેનાઓનો કેમ્પ છે. ગલવાન ઘાટીથી ભારત-ચીનની સેના થોડી પાછી હટી છે.
6 જૂને ભારત-ચીન સરહદ અને લદ્દાખ તણાવને લઇને બેઠક
જણાવી દઇએ કે, લદ્દાખના બોર્ડર વિસ્તારમાં ચીનની સેના પોતાનો દમ બતાવવાનો પ્રયત્ન કરી રહી છે. ભારતીય સેના પણ તેની સામે ટક્કર આપી રહી છે. બન્ને તરફથી વાતચીત પણ ચાલી રહી છે, પરંતુ અત્યાર સુધી મડાગાંઠ પૂર્ણ નથી થઇ શકી. એક વખત ફરી બન્ને દેશોની સેના વાતચીત કરવા જઇ રહી છે. આ મીટિંગ 6 જૂને થવાની છે. મીટિંગમાં બન્ને સેનાઓના લેફ્ટિનેન્ટ જનરલ રેન્કના અધિકારી ભાગ લેશે. આ મીટિંગ ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા વિવાદને લઇને ઘણી મહત્વપૂર્ણ છે. આ મીટિંગને ભારત તરફથી લેહ સ્થિત 14 કોર્પ કમાન્ડર ડેલીગેશન લીડ કરશે. આ ઉચ્ચ સ્તરીય બેઠક પર સંકટ પૂર્ણ કરવાને લઇને ઘણી મહત્વની માનવામાં આવી રહી છે.
લદ્દાખના LAC પર ભારત તરફથી રોડ નિર્માણની કામગીરીનો ચીને કર્યો વિરોધ
પૂર્વી લદ્દાખમાં આ વિવાદ મેની શરૂઆતથી ચાલી રહ્યો છે. લદ્દાખના LAC પર ભારત તરફથી રોડ નિર્માણની કામગીરી ચાલી રહી હતી જેનો ચીને વિરોધ કર્યો. ત્યારબાદ 5 મેના રોજ પૈંગોંગ લેક પર બન્ને દેશોના સૈનિક લડ્યા. આ દરમિયાન જવાન ઇજાગ્રસ્ત પણ થયા હતા. ત્યાર બાદ ચીનના વિસ્તારોમાં સક્રિયતા વધારી દેવામાં આવી અને સૈનિકોની તૈનાતીની સાથે તંબૂ પણ લગાવી દેવાયા. LAC પર ચીનની આ હરકતનો ભારતીય સેનાએ પણ યોગ્ય જવાબ આપ્યો અને તે પણ અડી રહી.
ચીનની શાન ઠેકાણે કેમ આવી?
ચીનની સેનાએ પાછી હટી રહી છે તે ભારતની રણનીતિનું પરિણામ છે. 6 જૂને લેફટનન્ટ જનરલના લેવલની વાતચીત થશે. PLA ત્રણ ચાર દિવસથી શાંત છે. 5 મેથી ચીનનું વલણ આક્રમણ હતું. ચીન-ભારત સાથે સરહદી તણાવ વધ્યો છે. ચીન સાથે દ્વીપક્ષીય પણ કરી હતી. LAC પર ચીનના દબાણમાં ન આવ્યા. LAC પર ચીનના સૈન્યબળ બરોબર સૈનિકો તૈનાત કર્યા હતા. આંતરરાષ્ટ્રિય કૂટનીતિનો સહારો મળ્યો. વર્ષ 2013માં ભારત-ચીન વચ્ચે કરાર થયો હતો. ગ્રે ઝોન પર કોઇ દેશનો સૈનિક રાત ન વિતાવી શકે. ચીનની સેનાએ કરારનો ઉલ્લંઘન કર્યુ, ટેન્ટ લગાવ્યા હતા. LAC પર ભારતે સૈનિકો તૈનાત કર્યા હતા. હથિયાર, ટેન્ક અને લડાકુ વિમાન પણ તૈનાત કર્યા હતા. ભારત સંયમ સાથે વાતચીતનો પ્રયાસ કરતું રહ્યું હતું.