મોસ્કોથી પાછા ફરતી વખતે અચાનક ઈરાન પહોંચી ગયેલા સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે રવિવારે તેહરાનમાં ઈરાનના સંરક્ષણ પ્રધાન બ્રિગેડિયર જનરલ અમીર હાતમી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધો સંલગ્ન અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.
રાજનાથસિંહે SCOની બેઠકમાં લીધો ભાગ
ચીનને મોટો ઝટકો પડી શકે
રાજનાથસિંહે કહ્યું કે, બેઠકમાં ક્ષેત્રિય સુરક્ષાના મુદ્દા પર ચર્ચા થઈ. જેમાં અફઘાનિસ્તાનમાં શાંતિ અને સ્થિરતા બહાલ કરવાનો મુદ્દો પણ સામેલ હતો. સૌહાર્દપૂર્ણ માહોલમાં થયેલી આ બેઠકમાં બંને નેતાઓએ ભારત-ઈરાનના વર્ષો જૂના સાંસ્કૃતિક, ભાષાકીય અને સામાજિક સંબંધોને મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો. આ દરમિયાન બંને દેશોના સંબંધોને આગામી સ્તરે લઈ જવા અંગે પણ ચર્ચા થઈ.
રાજનાથસિંહે SCOની બેઠકમાં લીધો ભાગ
અત્રે ઉલ્લેખનીય છે કે, સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ એસસીઓની બેઠકમાં ભાગ લેવા માટે મોસ્કો ગયા હતા, જ્યાં ચીનના સંરક્ષણ પ્રધાન વેઈ ફાંગહેએ તેમની સાથે બેઠક માટે ભલામણ કરી હતી.
ચીનને મોટો ઝટકો પડી શકે
આ બેઠકમાં રાજનાથસિંહે ચીનને હકીકતથી વાકેફ કરાવ્યું હતું અને તેને લદ્દાખમાં જૂની સ્થિતિ ફરીથી બહાલ કરવાનું કહ્યું હતું. ત્યાંથી પાછા ફરતી વખતે રાજનાથ સિંહ અચાનક શનિવારે ઈરાન પહોંચી ગયા હતા. અફઘાનિસ્તાનમાં ચીન પોતાનો પ્રભાવ વધારવાની કોશિશ કરી રહ્યું છે. આવામાં ભારત-ઈરાનમાં સહમતિ બન્યા બાદ ચીનને મોટો ઝટકો પડી શકે છે.