પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વધતા કોરોનના કેસને લઇને આજે દેશના 15 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમ થકી વાત કરી હતી. તેમની વાતચીતની શરૂઆતમાં તેમણે ગઇકાલની ઘટનાને ફરી એકાવાર યાદ કરતા તેમણે જણાવ્યું હતું કે, અમે કોઇને ઉકસાવતા નથી પરંતુ એકવાત સ્પષ્ટ છે કે, અમે અમારા દેશની અખંડિતતાને જાળવવા માટે સક્ષમ છીએ.
દેશના 15 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે પ્રધાનમંત્રી મોદીની બેઠક
ચીનને શીધો સંદેશ, દેશની સુરક્ષા કરવામાં અમને કોઇ રોકી નહીં શકે
આ સાથે જ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચીનને આડકતરી રીતે ઇશારો કરતા પણ જણાવ્યું હતું કે, દેશની સુરક્ષા કરવામાં અમને કોઇ રોકી નહીં શકે, ભારત શાંતિ ઇચ્છે છે. ભારત શાંતિ ઇચ્છે છે, પરંતુ જવાબ દેવાનું પણ જાણે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, અમારા જવાન મારતા-મારતા મરે છે. ભારતને ઉકસાવવાથી યથોચિત જવાબ આપવા માટે સક્ષમ છે.
દેશવાસીઓને વિશ્વાસ અપાવું છું કે, શહીદોનું બલિદાન એળે નહીં જાય
તો દેશવાસીઓને પણ વિશ્વાસ અપાવત પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે, તમામ દેશવાસીઓને હું વિશ્વાસ અપાવું છું કે, શહીદ થયેલા તમામ જવાનનું બલિદાન એળે નહીં જાય. આ સાથે જ 2 મિનિટનું મૌન પ્રધાનમંત્રી મોદી સહિત રાજ્યોના મુખ્યમંત્રીઓએ રાખ્યા બાદ વીડિયો કોન્ફરન્સ બેઠકની શરૂઆત કરી હતી.
Delhi: PM Narendra Modi, Union Home Minister Amit Shah and the chief ministers of 15 states and union territories, who are present in the meeting via video-conferencing today, observe two-minute silence as a tribute to the soldiers who lost their lives in #GalwanValley clash. pic.twitter.com/R9smyDFwbR
ભારત અને ચીનની સરહદ પર ગલવાન ઘાટીમાં શહીદ થયેલા ભારતના 20 જવાનોને રક્ષામંત્રી રાજનાથસિંહે શ્રદ્ધાંજલી આપી છે. રક્ષામંત્રી રાજનાથસિંહે પોતાના ટ્વિટ પરથી નિવેદન જારી કર્યું છે.
#WATCH India wants peace but when instigated, India is capable of giving a befitting reply, be it any kind of situation: Prime Minister Narendra Modi pic.twitter.com/rJc0STCwBM
રાજનાથસિંહે લખ્યું કે ગલવાન ઘાટીમાં સેનાના જવાનોએ પોતાની ફરજ નિભાવતાં પોતાનો જીવ આપ્યો છે, દેશ તેમના બલિદાનને ક્યારેય ભુલી નહીં શકે.
I would like to assure the nation that the sacrifice of our jawans will not be in vain. For us, the unity and sovereignty of the country is the most important...India wants peace but it is capable to give a befitting reply if instigated: PM Narendra Modi #IndiaChinaFaceOffpic.twitter.com/kFIC3F1fE4
રાજનાથસિંહે ટ્વિટ કરી લખ્યું છે કે ગલવાન ઘાટીમાં સૈનિકોને ગુમાવવા દર્દનાક છે. આપણા સૈનિકોએ પોતાની ફરજ નિભાવતા દેશ માટે જીવ આપ્યો છે. દેશ તેમના બલિદાનને ક્યારેય ભૂલી શકશે નહીં.
વિપક્ષનો મોદી સરકારને સવાલ
ભારત અને ચીન વચ્ચે લદ્દાખમાં સતત વધી રહેલા તણાવને લઇને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન તાક્યું છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરી જણાવ્યું છે કે બસ, હવે ઘણું થયું, દેશ જાણવા માગે છે કે આખરે થયું શું?, PM મોદી કેમ મૌન છે? બીજી બાજુ કોંગ્રેસના દિગ્ગજ નેતા ચિદમ્બરમે પણ ચીનની સેના સાથે થયેલી અથડામણમાં ભારતીય જવાનોની શહીદી બાદ ટ્વિટર પર કેન્દ્ર સરકારને ઘેરી હતી. ચિદમ્બરમે કહ્યું કે દેશ રક્ષા મંત્રાલય અથવા સેના મુખ્યાલયની તરફથી કોઇ નિવેદનને લઇને રાહ જોઇ રહી છે.
સોમવારે રાતે થયેલી હિંસક અથડામણમાં ભારતના 20 જવાન શહીદ
LAC પર સોમવારે ચીન સાથે થયેલી હિંસક અથડામણમાં ભારતના 20 જવાનો શહીદ થયા છે તેવું સરકારી સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું ત્યાર બાદ ભારતીય સેનાએ પણ આ વાતની પુષ્ટિ કરી હતી. અગાઉ મંગળવારે બપોરે સત્તાવાર રીતે એક ઓફિસર અને 2 જવાનો શહીદ થયા હોવાની ખબર સામે આવી હતી ત્યારે હવે સત્તાવાર રીતે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ આ હિંસક અથડામણમાં 20 જવાનો શહીદ થયા છે. સોમવાર રાત્રે બંને દેશો વચ્ચે સેનાઓની વચ્ચે હિંસક અથડામણ દરમ્યાન આ ઘટના બની હતી. આ ઘટના ત્યારે બની જ્યારે સોમવારે રાતે ગલવાન ઘાટી પાસે બંને દેશો વચ્ચે વાતચીત બાદ સ્થિતિ સામાન્ય થવા તરફ વધી રહી હતી.
ચીનના સૈનિકોના મોત પરંતુ ડ્રેગન સ્વીકારવા તૈયાર નહીં
પૂર્વ લદ્દાખની ગલવાન ઘાટીમાં ચીન સાથે થયેલી હિંસક અથડામણમાં ભારતના ઓછામાં ઓછા 20 જવાન શહીદ થયા છે. જ્યારે આ અથડામણમાં ચીનને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. જેમાં ચીનના પણ 43 સૈનિકો ઇજાગ્રસ્ત કે મૃત્યુ પામ્યા છે તેવા સૂત્રો દ્વારા સમાચાર મળ્યાં છે. આ વચ્ચે LACની બીજી તરફ ચીનના હેલિકોપ્ટર જોવા મળ્યાં છે. સૂત્રોને મળતી જાણકારી મુજબ આ હેલિકોપ્ટરમાં મૃત અને ઘાયલ સૈનિકોને એરલિફ્ટ કરવામાં આવી રહ્યાં છે. જો કે ચીની મીડિયામાં તેમના સૈનિકોના મોતને લઈને કોઈ ખબર છપાઈ ન હતી અને માત્ર અથડામણ થઈ હતી તેવું કવરેજ કરાયું હતું.