ભારત સાથે ચાલી રહેલા બોર્ડર વિવાદ વચ્ચે ચીનની સરકારે ન્યૂઝ પેપર ગ્લોબલ ટાઇમ્સમાં એક લેખ છાપ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ભારતે ચીનની સાથે સંઘર્ષ ચાલુ રાખ્યો તો તેને મોટી કિંમત ચુકવવી પડશે. તેની સાથે જ કોરોના વાયરસ અને અર્થવ્યવસ્થાને લઇને પણ મોદી સરકાર પર પ્રહાર કર્યા છે. ચીનના ન્યૂઝ પેપરમાં છાપવામાં આવ્યું છે કે, હાલ ભારતની અર્થવ્યવસ્થા નબળી પડી છે ત્યારે LAC પર સેનાની તૈનાતીનો ખર્ચ નહીં ઉઠાવી શકે.
ચીન સાથે બાથ ભીડીને મોટી કિંમત ચુકવશે ભારતઃ ગ્લોબલ ટાઇમ્સ
ભારત માટે LAC પર મોટી સંખ્યામાં સૈનિકોની તૈનાતી કરવી ખુબ ખર્ચાળઃ ગ્લોબલ ટાઇમ્સ
ભારતીય વેપાર અને નોકરીઓ ખતમ થઇ રહી છેઃ ગ્લોબલ ટાઇમ્સ
ગ્લોબલ ટાઇમ્સે લખ્યું કે, ભારત માટે LAC પર ઉંચાઇ પર મોટી સંખ્યામાં સૈનિકોની તૈનાતી કરવી ખુબ ખર્ચાળ હશે. દરરોજ હથિયારો અને સામાનની જરૂરિયાતો પુરૂ પાડવાથી ભારતની આર્થિક સ્થિતિ પર પણ ખરાબ અસર પડશે. શિયાળો આવતા સેનાની તૈનાતીનો ખર્ચ હજુ પણ વધી જશે.
સેના ભારે ઠંડી માટે પણ તૈયારઃ બિપિન રાવત
CDS જનરલ બિપિન રાવતે દાવો કર્યો છે કે સેના ભારે ઠંડી માટે પણ તૈયાર છે. તો ગ્લોબલ ટાઇમ્સે લખ્યું કે, સેનાની જરૂરિયાતોને મોટા ખર્ચને જોતા આ પ્રકારે આક્રામક વલણ દાખવવું બેકાર છે. ચીન સાથે સંઘર્ષ ન માત્ર ભારતના વિદેશી સહયોગને નુકસાન પહોંચશે પરંતુ ઔદ્યોગિક જરૂરિયાતોની ચેઇનને પણ અસર પહોંચાડશે. આનાથી ભારતીય બજારમાં ભરોસો નબળો થશે અને રોકાણ-વેપાર દૂર થતુ જશે. ભારતે યુદ્ધની સ્થિતિની આર્થિક અસરનું આકલન કરવુ પડશે કારણ કે ઠંડીમાં LAC પર સેનાની તૈનાતીનો ખર્ચ તેની પાછી પડેલી અર્થવ્યવસ્થા નહીં ઉઠાવી શકે.
ગ્લોબલ ટાઇમ્સે લખ્યું કે, ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ સમયે ખુબ જ વધુ દબાણમાં છે કારણ કે આ નાણાકિય વર્ષમાં GDPમાં રેકૉર્ડ 10 ટકાનો ઘટાડો આવવાની શક્યતા છે. ભારત અને દુનિયાભરના તમામ અર્થશાસ્ત્રીઓએ આ અંદાજ લગાવ્યો છે. લાખો ભારતીયો નોકરી ગુમાવવા અને કામ ન મળવાના કારણે ગરીબીના અંધારામાં ડુબવાના છે.
'ભારતીય વેપાર અને નોકરીઓ ખતમ થઇ રહી છે'
ન્યૂઝ પેપરમાં લખ્યું છે કે મોદીની 2024માં ત્રીજા કાર્યકાળની આશા ધુંધળી પડતી જઇ રહી છે કારણ કે તમામ ભારતીય વેપાર અને નોકરીઓ ખતમ થઇ રહી છે. આની સાથે જ કોરોના વાયરસની મહામારી પણ રિકવરીની જલ્દી આશાને ધુંધળી બનાવી રહી છે.
'પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામે ગંભીર પડકારો'
ભારત એશિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા સાથે ન ઉભા રહેવાની મર્ખામી છે. આવનારા સમયમાં ચીનની સાથે ખરાબ સંબંધ ભારત માટે સૌથી નુકસાનકારક સાબિત થશે કારણ કે ભારત એક શક્તિશાળી અને વિશાળ પાડોસી દેશથી ભાગી નથી શકતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામે ગંભીર પડકારો છે, તેવામાં ચીનની સાથે સંઘર્ષ તેમને ભારે પડી શકે છે.