15 જૂને પૂર્વી લદ્દાખની ગાલવાન ખીણમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી જેમાં 20 ભારતીય સૈનિકો શહીદ થયા હતા અને 40 ચીની સૈનિકો પણ માર્યા ગયા હતા. આ પછી, બંને દેશો વચ્ચે લશ્કરી અને રાજદ્વારી વાટાઘાટોના અનેક રાઉન્ડ થયા અને ત્યારબાદ ઘણા વિસ્તારોમાંથી સૈન્ય પણ પાછું ખેંચી લેવામાં આવ્યું.
15 જૂને પૂર્વી લદ્દાખની ગાલવાન ખીણમાં ભારત અને ચીન વચ્ચે અથડામણ
20 ભારતીય સૈનિકો શહીદ થયા હતા
40 ચીની સૈનિકો પણ માર્યા ગયા
આવામાં ચીને ફરી એક વખત સમજૂતીનું ઉલ્લંઘન કરતા પૂર્વીય લદ્દાખમાં અતિક્રમણ કરવાનો પ્રયાસ કર્યો છે. ભારતીય સેનાએ કહ્યું હતું કે, ચીની સૈનિકોએ એ વિસ્તારમાં આક્રમક વલણ દેખાડ્યું છે જ્યાં કોઈ પણ જાતની ગતિવિધ ન કરવા પર પરસ્પર સહમતિ દર્શાવાઈ હતી.
શું કહ્યું ભારતીય સેનાએ?
ભારતીય સેનાએ પેનગોંગ ત્સો વિસ્તારમાં ચીનના આક્રમક વલણની નોંધ લેતા જણાવ્યું કે 29/30 ઑગસ્ટની વચ્ચે રાત્રે PLAના સૈનિકોએ એ સહમતીનું ઉલ્લંઘન કર્યુ જે પૂર્વીય લદ્દાખમાં ચાલી રહેલા તણાવ દરમિયાન લશ્કરી અને રાજદ્વારી વાટાઘાટો દરમિયાન થઈ હતી. ચીની સૈનિકોએ હાલની સ્થિતિને બદલવા માટે ઉશ્કેરણીજનક લશ્કરી પ્રવૃત્તિઓ કરી હતી.
સેનાએ કહ્યું કે ભારતીય સૈનિકોએ પેંગોંગ ત્સો તળાવના દક્ષિણ કાંઠે PLAની પ્રવૃત્તિ અટકાવતા આપણી સ્થિતિને મજબૂત કરવાનાં પગલાં લીધાં અને વાસ્તવિકતાને એકતરફી રીતે બદલવાનાં ચીનના ઈરાદાઓને ધ્વંસ્ત કર્યા. ભારતીય સૈન્ય સંવાદ દ્વારા શાંતિ અને સ્થિરતા જાળવવા કટિબદ્ધ છે, પરંતુ તેની પ્રાદેશિક અખંડિતતાને જાળવવા માટે તેટલું જ પ્રતિબદ્ધ છે. વિવાદોના નિરાકરણ માટે ચુસુલમાં બ્રિગેડ કમાન્ડર કક્ષાની ફ્લેગ મીટિંગ ચાલી રહી છે.
ચીન દગો કરવા માટે જાણીતું છે
નોંધનીય છે કે, 15 મી જૂને પૂર્વી લદ્દાખની ગાલવાન ખીણમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી, જેમાં 20 ભારતીય સૈનિકો શહીદ થઈ ગયા હતા અને 40 ચીની સૈનિકો પણ માર્યા ગયા હતા. તે પછી, બંને દેશો વચ્ચે લશ્કરી અને રાજદ્વારી વાટાઘાટોના અનેક રાઉન્ડ થયા અને ત્યારબાદ ઘણા વિસ્તારોમાંથી સૈન્ય પણ પાછું ખેંચી લેવામાં આવ્યું હતું. આ વાટાઘાટોમાં એવા વિસ્તારોને પણ ચિહ્નિત કરવામાં આવ્યા છે કે જ્યાં ભારતીય અને ચીની સૈન્ય પેટ્રોલિંગ કરશે નહીં. પરંતુ વિશ્વાસઘાત માટે કુખ્યાત ચીની સૈનિકોએ ફરીથી તે જ કર્યું, જેનો હંમેશા ભય રહે છે.