દેશમાં કોરોનાનો પડકાર દિવસેને દિવસે વધતો જોવા મળી રહ્યો છે. ભારત સરકાર આ પડકારને પહોંચી વળવા પૂરો પ્રયત્ન કરી રહ્યું છે. સૂત્રોને મળતી જાણકારી મુજબ ભારત સરકાર કોરોનાના ટેસ્ટિંગને ઝડપથી કરવા પર કામ કરી રહી છે. સરકારની યોજના છે કે RT-PCR પ્રક્રિયા દ્વારા દરરોજ ટેસ્ટિંગને બેગણુ વધારવામાં આવે. RT-PCR પ્રક્રિયાને ટેસ્ટના ચોક્સ પરિણામ તરીકે જાણવામાં આવે છે.
ભારતમાં કોરોના ટેસ્ટિંગની ક્ષમતા ઝડપથી વધારાશે
દર 3ત્રીજા દિવેસ બે ગણો કરવાનો લક્ષ્ય
ભારતમાં અત્યારે દરરોજ માત્ર 10,000 ટેસ્ટ થઇ રહ્યાં છે
હવે દેશમાં શંકાસ્પદોની ટેસ્ટિંગ મોટા પાયે કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. જેમાં ટીબી માટે કરવામાં આવતી તપાસ અને એન્ટી બોડીઝ ટેસ્ટનો પણ સમાવેશ કરવામાં આવશે. હાલમાં ICMR હેઠળ કામ કરનારા લેબમાં રોજના 10,000 ટેસ્ટ થઇ રહ્યાં છે.
આવનારા 3 દિવસમાં તે 20,000 સુધી પહોંચાડવાની યોજના છે. આવી જ રીતે આવનારા અઠવાડીયામાં આ યોજના હેઠળ ટેસ્ટિંગની માત્રા વધારવાની યોજના ICMR કરી રહ્યું છે. એક સત્તાવાર સૂત્રોના જણાવ્યાં અનુસાર આ સિવાય ટયૂબક્લોસિસ (ટીબી)ની તપાસમાં ઉપયોગમાં લેવામાં આવતી 250 TruNat અને 200 CB-NAAT મશીનો દ્વારા પણ કોરોનાના શંકાસ્પદ દર્દીઓની તપાસ કરવામાં આવશે.
આધિકારીક સૂત્રોના જણાવ્યાં અનુસાર TrueNat અને CB-NAAT થી એક દિવસમાં 12 ટેસ્ટ કરાવી શકાય છે. આપણી પાસે રોશેના 2 COBAS-6800 મશીન છે અને 2 નો ઓર્ડર આપવામાં આવ્યો છે. આ મશીનોથી દરરોજ 5,000 સેમ્પલની તપાસ કરી શકાશે.
આરોગ્ય મંત્રાલય દ્વારા દરરોજ કરવામાં આવી રહેલી પત્રકાર પરિષદમાં પણ જણાવામાં આવ્યું હતું હાલની સ્થિતિને ધ્યાનમાં રાખી ટેસ્ટિંગને લઇને રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે.