દેશના પ્રથમ ચીફ ડિફેન્સ સ્ટાફ(CDS) બિપીન રાવતના નિધન બાદ સૌથી મોટો સવાલ એ થાય છે કે, હવે CDS પદ કોણ સંભાળશે?
હવે CDS પદ કોણ સંભાળશે?
દેશભરમાં ગણગણાટ શરૂ
ઉચ્ચ સ્તરીય સમિતિ નક્કી કરશે કે આગામી CDS કોણ હશે.
તમિલનાડુના કૂન્નુરમાં થયેલા હેલિકોપ્ટર ક્રેશમાં દેશના પહેલા CDS જનરલ બિપિન રાવત શહીદ થતા દેશભરમાં શોકની લહેર દોડી ગઈ છે. જનરલ બિપિન રાવતની પત્ની મધુલિકા રાવતનું પણ દુર્ઘટનામાં મોત થયું છે. હેલિકોપ્ટરમાં સવાર 14 માંથી 13 લોકોના મોત થયા છે. ત્યારે હવે નવા CDSને લઈને ચર્ચાનો દોર શરૂ થયો છે.
કોણ બનશે નવા CDS?
CDSના પદના અધિકારો રાષ્ટ્રપતિના સૈન્ય અધિકારીઓમાં સામેલ થઈ જશે? કે પછી અન્ય કોઈ વ્યક્તિના નામની જાહેરાત કરવામાં આવશે.નોંધનીય છે કે, આ પદભાર કોઈને આપી શકાતો નથી.આ પદ પર માત્ર નિયુક્તિ જ કરવામાં આવે છે. આ મામલે એક ઉચ્ચ સ્તરીય સમિતિ નક્કી કરશે કે આગામી CDS કોણ હશે.
2001માં CDSના પદનું સર્જન કરવાની કરાઈ હતી ભલામણ
આપને જણાવી દઈએ કે, 2001માં મંત્રીઓના એક જૂથ દ્વારા આ પદ ઉભું કરવાની રજૂઆત કરવામાં આવી હતી. GOMની આ રજૂઆત બાદ સરકારે વર્ષ 2002માં આ પદની નિયુક્તી માટે ઈન્ટીગ્રિટેડ ડિફેન્સ સ્ટાફ બનાવ્યો હતો. ત્યારબાદ 2012માં નરેશ ચંદ્ર સમિતિએ સ્ટાફ કમિટીના સ્થાયી અધ્યક્ષની નિયુક્તી કરવાની ભલામણ કરવામાં આવી અને NDA સરકારે 2019માં પ્રથમ વખત બિપીન રાવતને CDS તરીકે નિયુક્ત કર્યા હતા.
શું હોય છે CDSની જવાબદારી
ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની જવાબદારી ત્રણેય સેનાઓ સાથે જોડાયેલા મામલાઓમાં રક્ષામંત્રીને સલાહ આપવાનું છે. સીડીએસ જ રક્ષામંત્રીના મુખ્ય સૈન્ય સલાહકાર હશે. જોકે, સૈન્ય સેવાઓથી જોડાયેલા વિશેષ મામલાઓમાં ત્રણેય સેનાઓના ચીફ પહેલાની જેમ રક્ષામંત્રીને સલાહ આપતા રહેશે.
ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ સૈન્ય અભિયાન દરમિયાન ત્રણેય સેનાઓ વચ્ચે સંતુલન સાધવાનું કામ કરશે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફના પદ પર 4 સ્ટાર જનરલ રેન્કના સૈન્ય અધિકારીને નિયુક્ત કરવામાં આવ્યા. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફને ત્રણેય સેનાઓના પ્રમુખોની જેટલી જ સેલરી આપવામાં આવશે.
નિયમોમાં કેન્દ્ર સરકારે કર્યો હતો ફેરફાર
કેન્દ્ર સરકારે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફનો કાર્યકાળ 3 વર્ષ માટે વધાર્યો છે. ચીફ ઓફ ડિફેન્સના રિટાયર થવાની ઉમંર 65 વર્ષ રહેશે. 65 વર્ષની ઉમંર પૂર્ણ થયા બાદ જ આ પદ પરથી સીડીએસ રિટાયર થશે. પહેલા 62 વર્ષે જ રિટાયર થવાની જોગવાઇ હતી.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વીટ કરી પાઠવી શ્રદ્ધાંજલિ
I am shocked and anguished over the untimely demise of Gen. Bipin Rawat and his wife, Madhulika ji. The nation has lost one of its bravest sons. His four decades of selfless service to the motherland was marked by exceptional gallantry and heroism. My condolences to his family.
દૂર્ઘટનાને લઈને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વીટ કરતા કહ્યું કે, હેલિકોપ્ટર દૂર્ઘટનામાં લોકોએ જીવ ગુમાવ્યા તે જાણીને અત્યંત દુખી છું. હું મારા કર્તવ્યનું પાલન કરતા મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે સાથી નાગરિકોની સાથે જોડાઉ છું. શોક સંતપ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના. સાથે જ તેમણે વધુમાં કહ્યું કે, CDS બિપિન રાવતના નિધન પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દુઃખ વ્યક્ત કરતા કહ્યું- જનરલ બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકાજીના અકાળે અવસાનથી હું આઘાત અને વ્યથિત છું. દેશે તેનો એક બહાદુર પુત્ર ગુમાવ્યો છે.
PM મોદીએ વ્યક્ત કર્યું દુ:ખ
Gen Bipin Rawat was an outstanding soldier. A true patriot, he greatly contributed to modernising our armed forces and security apparatus. His insights and perspectives on strategic matters were exceptional. His passing away has saddened me deeply. Om Shanti. pic.twitter.com/YOuQvFT7Et
પ્રધાનમંત્રી મોદીએ પણ ટ્વિટ કરીને જનરલ બિપિન રાવતના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે તમિલનાડુમાં હેલિકોપ્ટર ક્રેશમાં આપણા જનરલ બિપિન રાવત, તેમના પત્ની અને બીજા જવાનોના મોતના સમાચાર જાણીને અત્યંત દુખ થયું. આ બધાએ ખૂબ ખંતથી ભારતની સેવા કરી. તેમના પરિવારને ભગવાન દુખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.
I am deeply anguished by the helicopter crash in Tamil Nadu in which we have lost Gen Bipin Rawat, his wife and other personnel of the Armed Forces. They served India with utmost diligence. My thoughts are with the bereaved families.
અમિત શાહે શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે, દેશ માટે ખૂબ જ દુખનો દિવસ છે કારણે આપણે CDS જનરલ બિપિન રાવતને એક દૂર્ઘટનામાં ગુમાવી દીધા છે. તેઓ સૌથી બહાદૂર સૈનિકો પૈકીના એક હતા, જેમણે આજીવન માતૃભૂમિની સેવા કરી.
A very sad day for the nation as we have lost our CDS, General Bipin Rawat Ji in a very tragic accident. He was one of the bravest soldiers, who has served the motherland with utmost devotion. His exemplary contributions & commitment cannot be put into words. I am deeply pained.
ઈન્ડિયન એરફોર્સે CDS બિપિન જનરલ રાવતના મોતની પુષ્ટી કરી
ઈન્ડિયન એરફોર્સે CDS બિપિન જનરલ રાવતના મોતની પુષ્ટી કરી દીધી છે. ઈન્ડિયન એરફોર્સે ટ્વિટ કરીને કહ્યું છે કે, આ દુર્ઘટનામાં બિપિન રાવત સહિત 13 લોકોના મોત થયા છે. આ ઘટનામાં ગ્રુપ કેપ્ટન વરુણ સિંહની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જોકે તેમની સ્થિતિ પણ ઘણી ગંભીર જણાવવામાં આવી છે.દુર્ઘટના પછી લગભગ એક કલાક બાદ આ જાણકારી આપવામાં આવી કે જનરલ રાવતને વેલિંગ્ટનની મિલિટરી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. તેમની હાલત કેવી છે એ અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નહતું. કેટલાક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો છે કે જનરલ બિપિન રાવત ગંભીર રીતે ઘાયલ છે. રક્ષામંત્રી રાજનાથ સિંહ જનરલ રાવતના દિલ્હી સ્થિત ઘરે તેમના પરિવારને મળવા પહોંચ્યા હતા. આ દુર્ઘટના અંગે તેઓ સંસદમાં ગુરુવારે નિવેદન આપશે
Indian Air Force announces the demise of CDS General Bipin Rawat along with 12 others in chopper crash pic.twitter.com/8Ebrz6OoQZ
જનરલ બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવત સહિત 14 લોકોને લઈને આર્મી બેસથી ઉપડેલા Mi-17V5 હેલિકોપ્ટરને નીલિગીરી જિલ્લાના જંગલોમાં અક્સ્માત નડ્યો હતો જેમાં સવાર 14 લોકોમોંથી 13 ના મોત થયા હતા જ્યારે એક વ્યક્તિ જીવિત બચી ગયો છે.
કેવી રીતે ઘટી દુર્ઘટના ? શું હોઈ શકે કારણ?
ડિફેન્સ એક્સપર્ટ્સના અનુસાર, Mi-17V5 હેલિકૉપ્ટર એક વીવીઆઈપી ટ્વિન એન્જિન હેલિકૉપ્ટર છે. સિયાચિનથી લઇને નૉર્થ ઈસ્ટના વિસ્તારો સુધી આ હેલિકૉપ્ટરનો ઉપયોગ રવામાં આવે છે. કુન્નૂરની આસપાસ ખરાબ હવામાનના કારણે દુર્ઘટના બની હોવાની શક્યતા છે. હજુ સુધી દુર્ઘટનાનુ ચોક્કસ કારણ જાણવા નથી મળ્યું. ભારતીય વાયુસેનાએ દુર્ઘટનાને લઈને તપાસના આદેશ આપ્યા છે.
તમિલનાડુના કુન્નૂરમાં ચીફ ઓફ ડિફેન્સ બિપિન રાવતને લઈ જઈ રહેલું હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું હતું. હેલિકોપ્ટરમાં બિપિન રાવતના પત્ની સહિત સ્ટાફના કુલ 14 લોકો હાજર હતાં. તમિલનાડુના કુન્નૂરમાં બુધવારે સવારે આ ઘટના બની. હેલિકોપ્ટર જ્યાં ક્રેશ થયું તે ગાઢ જંગલ છે. જેને લીધે રેસ્ક્યૂ ઓપરેશનમાં પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
હેલિકોપ્ટરમાં કોણ સવાર હતું?
CDS બિપીન રાવત
શ્રીમતિ મધુલિકા રાવત, બિપીન રાવતના પત્ની
બ્રિગેડિયર એલ.એસ. લિડ્ડર
લેફ્ટિનેંટ કર્નલ હરજિંદરસિંહ
નાયક ગુરસેવકસિંહ
નાયક જિતેન્દ્રકુમાર
લાંસ નાયક વિવેક કુમાર
લાંસ નાયક બી.સાઈ તેજા
હવાલદાર સતપાલ
કોણ હતા બિપિન રાવત
ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત (સીડીએસ બિપિન રાવત)એ ભારતીય સેનાની સેવામાં લાંબો સમય વિતાવ્યો છે, તેઓ ઊંચાઈ પર લડવામાં નિષ્ણાંત રહ્યાં છે
બિપીન રાવત આર્મીમાં ઉંચાઈની લડાઈ અને બળવાખોરી વિરોધી કામગીરીના નિષ્ણાંત તરીકે ઓળખાય છે.
2016માં ઉરીમાં સૈન્ય શિબિર પર થયેલા આંતકવાદી હુમલા બાદ પાકિસ્તાનમાં આંતકવાદી શિબિરોને નષ્ટ કરવા માટે આવેલી સર્જીકલ સ્ટ્રાઈક આર્મી ચીફ જનરલ બિપિન રાવતની આગેવાનીમાં કરવામાં આવી હતી
આર્મી સર્વિસ દરમિયાન તેમણે એલઓસી, ચાઈના બોર્ડર અને નોર્થ ઈસ્ટમાં લાંબો સમય વિતાવ્યો છે.