બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / 'ભારતે ભૂલ કરી નાખી..', ગરમાગરમી વચ્ચે કેનેડાના PM ટ્રુડોની બુદ્ધિ બગડી, તણાવ બમણો થયો

વિવાદ / 'ભારતે ભૂલ કરી નાખી..', ગરમાગરમી વચ્ચે કેનેડાના PM ટ્રુડોની બુદ્ધિ બગડી, તણાવ બમણો થયો

Last Updated: 08:52 AM, 15 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો ફરી એકવાર ખરાબ થયા છે, નિજ્જરની હત્યા માટે કેનેડા સતત ભારતને જવાબદાર ઠેરવી રહ્યું છે. આ બધાની વચ્ચે ભારતે કેનેડાના 6 રાજદ્વારીઓને દેશ છોડવા માટે કહ્યું હતું.

ભારતે કેનેડાના 6 રાજદ્વારીઓને દેશ છોડવા માટે કહ્યું છે અને કેનેડામાં હાજર પોતાના હાઈ કમિશનર અને અન્ય રાજદ્વારીઓને પણ પાછા બોલાવી લીધા છે. ભારતના આ કડક વલણ પર કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોનું નિવેદન સામે આવ્યું છે.

india-canada

હરદીપ સિંહ નિજ્જરની હત્યા માટે કેનેડા સતત ભારતને જવાબદાર ઠેરવી રહ્યું છે અને તેની સામે ભારત પણ સતત કહી રહ્યું છે કે આના નક્કર પુરાવા આપો. એવામાં હવે કેનેડાના આરોપોને નકારી કાઢતા ભારતે આ કાર્યવાહી કરી છે, જેના પર કેનેડાના પીએમ ટ્રુડોએ પ્રતિક્રિયા આપ છે.

PROMOTIONAL 12

કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ કહ્યું કે કેનેડા-ભારત સંબંધોમાં તણાવ પેદા કરવા માટે કેનેડાએ આ વિકલ્પ પસંદ કર્યો નથી. ભારત એક મહત્વપૂર્ણ લોકશાહી છે, એક એવો દેશ જેની સાથે ઐતિહાસિક વેપાર સંબંધો છે. ભૌગોલિક રાજનીતિની આસપાસ અસ્થિરતાનો અર્થ એ છે કે લોકશાહીઓએ એકસાથે રહેવું પડશે. અમને આ લડાઈ નથી ઇચ્છતા અને એટલા માટે અમે જે કંઈપણ જાણીએ છીએ સમયાંતરે તેની માહિતી ભારતને આપી છે.'

જસ્ટિન ટ્રુડોએ સત્તાવાર નિવેદન જારી કરીને કહ્યું કે કેનેડા કાયદાના શાસન પર આધારિત દેશ છે અને અમારા નાગરિકોની સુરક્ષા સર્વોપરી છે. એટલા માટે અમે એ આરોપો પર વાત કરવાની શરૂ કરી અને અધિકારીઓએ તેના પુરાવા આપ્યા છે એ કે કેનેડાની ધરતી પર કેનેડિયન નાગરિક, હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારત સરકારના 6 એજન્ટો સીધા સામેલ છે.'

અમે કેનેડાની ધરતી પર કેનેડિયન નાગરિકોની હત્યા અથવા ડરાવવામાં વિદેશી દળો દ્વારા કોઈપણ હસ્તક્ષેપ સ્વીકારીશું નહીં. તેમણે આગળ કહ્યું, "આજના ખુલાસાઓએ ઈન્ડો-કેનેડિયનો અને શીખ સમુદાયના લોકોને હચમચાવી દીધા છે, ભારત સરકારે ભૂલ કરી છે."

વધુ વાંચો: ભારત છોડવાના મૂડમાં નહીં! કેનેડાના 6 રાજદ્વારીઓને દેશમાંથી હાંકી કાઢ્યાં, સંબંધમાં મોટી તિરાડ

ટ્રુડોએ આ વિશે કહ્યું 'જેમ કે રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ (RCMP)ના કમિશનરે અગાઉ કહ્યું હતું તેમ, તેમની પાસે સ્પષ્ટ પુરાવા છે કે ભારત સરકાર એવી પ્રવૃત્તિઓમાં સામેલ છે જે જાહેર સલામતી માટે જોખમ ઊભું કરે છે. આમાં દક્ષિણ એશિયન કેનેડિયનો સામે માહિતી એકત્ર કરવા, બળજબરીભર્યું વર્તન અને હત્યા સહિત અનેક કામોનો સમાવેશ થાય છે, જે બિલકુલ સ્વીકાર્ય નથી.'

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

India Canada Tension Pm Justin Trudeau Canada
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ