બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / India-Canada PM Justin Trudeau changes tone, says- wants to build good relations with India
Megha
Last Updated: 10:13 AM, 29 September 2023
ADVERTISEMENT
કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા રાજદ્વારી વિવાદ વચ્ચે કેનેડાનો સૂર બદલાતો જોવા મળી રહ્યો છે. આ વિવાદમાં ભારતે 'ટિટ-ફોર-ટાટ પોલિસી' હેઠળ કેનેડાને તેની જ ભાષામાં જવાબ આપ્યો હતો. એવામાં હવે કેનેડાના PM જસ્ટિન ટ્રુડોએ હાલ એક નિવેદનમાં કહ્યું કે 'ભારત સાથે સંબંધો જાળવી રાખવા ખૂબ જ જરૂરી છે.'
ADVERTISEMENT
ભારત સાથે સંબંધો જાળવી રાખવા ખૂબ જ જરૂરી - ટ્રુડો
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારત સાથેના સંબંધોને લઈને મોટું નિવેદન આપ્યું છે. જસ્ટિન ટ્રુડોએ કહ્યું કે ભારત સાથે સંબંધો જાળવી રાખવા ખૂબ જ જરૂરી છે. ટ્રુડોએ કહ્યું કે 'કેનેડાની સરકાર ભારત સાથેના ગાઢ સંબંધોને લઈને ખૂબ જ ગંભીર છે અને અમે સંબંધોને જાળવી રાખવા માટે પણ પ્રતિબદ્ધ છીએ. ભારત એક વિકસતી આર્થિક શક્તિ છે અને કેનેડા ઈચ્છે છે કે બંને દેશો વચ્ચેના સંબંધો પહેલા જેવા સારા અને મજબૂત બની રહે.'
ભારત એક વધતી જતી આર્થિક અને ભૌગોલિક રાજકીય શક્તિ છે
ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ટ્રુડોએ કહ્યું હતું કે વિશ્વ મંચ પર ભારતના વધતા મહત્વને ધ્યાનમાં રાખીને કેનેડા અને તેના સહયોગીઓ રચનાત્મક અને ગંભીરતાથી તેની સાથે જોડાયેલા રહે તે અત્યંત મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું, “ભારત એક વધતી જતી આર્થિક શક્તિ અને મહત્વપૂર્ણ ભૌગોલિક રાજકીય શક્તિ છે. અને જેમ કે અમે ગયા વર્ષે અમારી ઈન્ડો-પેસિફિક વ્યૂહરચના રજૂ કરી હતી, અમે ભારત સાથે ગાઢ સંબંધો બનાવવા માટે ખૂબ જ ગંભીર છીએ. સ્વાભાવિક રીતે, કાયદાનું શાસન ધરાવનાર દેશ તરીકે, અમારે એ વાત પર ભાર મૂકવાની જરૂર છે કે ભારતે કેનેડા સાથે કામ કરવાની જરૂર છે જેથી કરીને અમને આ કિસ્સામાં સંપૂર્ણ તથ્યો મળે."
જણાવી દઈએ કે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારત પર ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો આરોપ લગાવ્યો હતો. ટ્રુડોના આરોપો પછી બંને દેશો વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી. જોકે, ભારતે કેનેડાના તમામ આરોપોને ફગાવી દીધા હતા અને તેમને વાહિયાત ગણાવ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ઉત્તરાયણ સ્પેશ્યલ / ગુજરાતમાં આ સ્થળે ઉત્તરાયણ પર નથી ચગતા પતંગ, પણ દશેરાએ થાય છે ઉજવણી
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ઉત્તરાયણ સ્પેશ્યલ / ગુજરાતમાં આ સ્થળે ઉત્તરાયણ પર નથી ચગતા પતંગ, પણ દશેરાએ થાય છે ઉજવણી
ADVERTISEMENT