ન્યૂઝીલેન્ડ પાકિસ્તાન સાથે અને ઇન્ડિયા ઇંગ્લેન્ડ સાથે ટી20 વર્લ્ડકપની સેમીફાઇવનલ મેચ રમશે પરંતુ બંને ટીમો પાસે સેમીફઆઇનલની મેચ રમ્યા વિના પણ ફાઇનલ્સમાં રમવાની તક છે.
સેમીફાઇનલ રમ્યા વિના ભારત પહોંચી શકશે ફાઇનલ્સમાં
2 ટીમો માટે છે સારી તક
9 અને 10 ડિસેમ્બરનાં રમાશે સેમીફાઇનલ મેચ
ટી20 વર્લ્ડ કપ પોતાના છેલ્લા સ્ટેજ પર પહોંચી ચૂકી છે. 4 સેમીફાઇનાલિસ્ટ ટીમોનાં નામ જાહેર થઇ ગયાં છે. પહેલી સેમીફાઇનલમાં પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડની ટીમ સામે-સામે રમશે જ્યારે બીજી સેમીફાઇનલ્સની મેચ ભારત ઇંગ્લેન્ડની સામે રમશે. રોહિત શર્માની કપ્તાનીવાળી ટીમ ઇન્ડિયા આશરે 15 વર્ષ બાદ શીર્ષક પોતાના નામ કરવા તૈયાર છે પરંતુ તેના માટે પહેલે ટીમે ઇંગ્લેન્ડને હરાવવી પડશે.
2 ટીમો સેમીફાઇનલ્સ રમ્યા વિના રમી શકશે ફાઇનલ્સ
ભારત અને ન્યૂઝીલેન્ડ આ બંને ટીમો સેમીફાઇનલની મેચ રમ્યા વિના જ ફાઇનસ રમી શકે છે. પરંતુ આ બંને ટીમો તો જ ફાઇનલ્સમાં રમી શકશે જો બંને મેચો વરસાદને કારણે સ્થગિત રહે. આવી પરિસ્થિતિમાં જ બંને ટીમો વચ્ચે મેચ રમાઇ શકાશે.
ટોપની ટીમ સીધી ફાઇનલમાં
નિયમાનુસાર બંને ગ્રુપની ટોપની ટીમો મેચ રદ્ થવાની સ્થિતિમાં સીધા ફાઇનલમાં રમી શકે છે. ન્યૂઝીલેન્ડની ટીમ 7 પોઇન્ટ્સની સાથે ગ્રુપ 1 માં ટોપ પર રહી છે જ્યારે ભારત 8 અંકોની સાથે ગ્રુપ 2 માં ટોપ પર છે. ન્યૂઝીલેન્ડ 9 નવેમ્બરનાં પોતાની સેમીફાઇનલ મેચ સિડનીમાં પાકિસ્તાન સામે રમશે.
સિડનીમાં વરસાદની સંભાવના
સિડનીનાં વાતાવરણની વાત કરીએ તો મેચવાળા દિવસે 50% વરસાદ પડવાની આશંકા છે. જો કે હવામાન ક્ષણે-ક્ષણે બદલાઇ રહ્યું છે તેવામાં પાકિસ્તાન પ્રાર્થના કરી રહ્યું છે કે વરસાદ ન પડે. જો કે 10 નવેમ્બરનાં માત્ર 4% વરસાદની શક્યતા છે.