ફાઈઝર કંપનીએ હાલમાં જે ખુલાસો કર્યો છે કે તે પ્રમાણે તે નવા ફોર્મ્યુલેશન પર કામ કરી રહ્યું છે જેને કોઈ ખાસ તાપમાને સંગ્રહિત કરવાની જરૂર નહીં પડે અને તેને સરળ રેફ્રિજરેશનમાં સ્ટોર કરી શકાય. આ વેક્સિન વર્ઝનથી ભારત જેવા દેશોને ફાયદો થઈ શકે છે, જેઓ સામાન્ય વેક્સિન સ્ટોરેજની સુવિધા ધરાવે છે.
ફાઈઝર કંપની બનાવી રહી છે નવું ફોર્મ્યુલેશન
કંપનીના દવા પ્રમાણે એવી વેક્સિન જે રેગ્યુલર ટેમ્પરેચર પર સ્ટોર થઈ શકે
જો આ વર્ઝન બની જાય છે તો સૌથી વધુ ફાયદો ભારતને થઈ શકે છે
યુ.એસ.ની ફાર્મા કંપની ફાઈઝર ને તાજેતરમાં ભારતમાં તેની કોરોના વાયરસ રસી ના ઇમરજન્સી ઉપયોગ માટે અરજી કરી હતી, જેમાં તેની રસીને માત્રા માઈનસ 70 ડિગ્રી સેલ્સિયસમાં સ્ટોર કરવાની જરૂર હતી. આ બાબતે સૌથી મોટી તકલીફ એ હતી કે ભારત માં આ તાપમાને વેક્સિન સ્ટોરેજની કોલ્ડ ચેઇનની પૂરતી સુવિધા નથી, ખાસ કરીને જ્યારે ભારતના આંતરિયાળ ગામડામાં વેક્સિન ની સપ્લાય કરવા માટે તે હોવું જરૂરી હતું.
અમે હાલમાં નવા ફોર્મ્યુલેશન પર કામ કરી રહ્યા છીએ : ફાઇઝર
આ બાબતે કંપનીએ ખુલાસો કર્યો છે કે તે હવે નવા ફોર્મ્યુલેશન પર કામ કરી રહ્યું છે જેને ભારે તાપમાને સ્ટોર કરવાની જરૂર નહીં પડે અને સરળ રેફ્રિજરેશનમાં સ્ટોર કરી શકાય. ફાઈઝર ની mRNA ટેકનોલોજી પર આધારિત રસી ડબલ ડોઝ સાથે 90 ટકાથી વધુ અને એક ડોઝ સાથે 67 ટકાની અસરકારકતા ધરાવે છે. પરંતુ તેના માટે માઇનસ 70 ડિગ્રી સેલ્સિયસ તાપમાનની જરૂર છે અને ભારતની કોલ્ડ સ્ટોરેજ સુવિધાઓમાં આવી વેક્સિન ને સ્ટોર કરવાની સુવિધા નથી.
આ મુદ્દા અંગે સ્પષ્ટતા કરતાં ફાઇઝર ના CEO આલ્બર્ટ બોરલાએ ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ ફાર્માસ્યુટિકલ મેન્યુફેક્ચર્સ એન્ડ એસોસિએશન્સ દ્વારા આયોજીત એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, અમે એક નવી ફોર્મ્યુલેશન પર કામ કરી રહ્યા છીએ જેને માઈનસ 70-ડિગ્રી પર સ્ટોર કરવાની જરૂર નથી. હોગી અને સરળ રેફ્રિજરેશનમાં સંગ્રહિત કરી શકાય છે. "
કંપની નવી યોજના બનાવી રહી છે : ફાઇઝર
જો કે, તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે કંપની હજી પણ માઇનસ 70 ડિગ્રી સેલ્સિયસ પર ઉત્પાદનો પહોંચાડવાની તેની ક્ષમતા અંગે વિશ્વાસ ધરાવે છે. આ ઉપરાંત, તેમણે રસી સંગ્રહ, તાપમાન નિરીક્ષણ અને રસીના ટ્રાન્સપોર્ટેશન માટે વિગતવાર લોજિસ્ટિક યોજના તૈયાર કરી છે.
મલ્ટિનેશનલ બાયોફાર્માસ્ટિકલ કંપનીએ 6 ડિસેમ્બરે યુકે અને બહરીનમાં તેની રસીને મંજૂરી મળ્યા બાદ ભારત માં તેની રસી ના ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી માંગી હતી. મંગળવારે, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે અહેવાલ આપ્યો કે 8 કોરોના રસીના ઉમેદવારો ક્લિનિકલ ટ્રાયલના વિવિધ તબક્કામાં છે, જે ટૂંક સમયમાં ઑફિશિયલી તૈયાર થઈ શકે છે. ફાઈઝર ઉપરાંત, ભારત બાયોટેક અને સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ તાજેતરમાં તેમની રસીના ઇમરજન્સી ઉપયોગ માટેની અરજી કરી છે.