દેશમાં કોરોનાનો કહેર અટકવાનું નામ લઈ રહ્યો નથી અને છેલ્લા 24 કલાકમાં 6566 નવા કેસ અને 197 મોત નીપજ્યા છે. એઠલે કે એક કલાકમાં લગભગ 8 લોકો કોરોનાથી મૃત્યુ પામે છે. આ સાથે કોરોનાનો કુલ આંક 1.58 લાખને પાર થયો છે. જે રીતે દેશમાં કોરોનાનો આંક વધી રહ્યો છે તે રીતે તે હવે તુર્કીને પણ પાછળ રાખીને 9મા ક્રમે આવી શકે છે.
દેશમાં કોરોનાની સંખ્યામાં સતત થયો છે વધારો
તુર્કીને પાછળ રાખીને ભારત આવી શકે છે 9મા ક્રમે
દેશમાં 24 કલાકમાં આવ્યા 6566 નવા કેસ, કુલ કેસ 1.58 લાખને પાર
Spike of 6,566 new #COVID19 cases & 194 deaths in the last 24 hours. Total number of cases in the country now at 1,58,333 including 86110 active cases, 67692 cured/discharged/migrated and 4531 deaths: Ministry of Health and Family Welfare pic.twitter.com/dWooiagKwN
મે મહિનાના પહેલા અઠવાડિયા સુધીમાં ભારત કોરોનાના સંક્રમણની સંખ્યામાં 13 મા ક્રમે હતું, પરંતુ 16 મેના રોજ તે ચીન અને પેરુને પાછળ છોડી 11 મો અસરગ્રસ્ત દેશ બની ગયો હતો. આ પછી, તે છેલ્લા સોમવારે એટલે કે 25 મેના રોજ 10 મા સ્થાને પહોંચી ગયું હતું. વર્લ્ડમીટર વેબસાઇટ મુજબ તુર્કીમાં અત્યાર સુધીમાં કુલ દર્દીઓની સંખ્યા 1.59 લાખ છે જ્યારે ભારતમાં આ આંકડો 1.58 લાખ છે.
જૂનના પહેલાં અઠવાડિયામાં ભારત આ ક્રમે પહોંચી શકે છે
જૂનના પહેલા અઠવાડિયા સુધીમાં ભારત સાતમા સ્થાને પહોંચી જશે. ડેટા નિષ્ણાત જેમ્સ વિલ્સન અનુસાર છેલ્લા એક અઠવાડિયામાં ભારતમાં દરરોજ સરેરાશ સાડા છ હજાર દર્દીઓ મળી આવ્યા છે. જો આ વધારાને આધાર તરીકે માનવામાં આવે તો આગામી એક અઠવાડિયામાં 50 હજારથી વધુ કેસ પ્રાપ્ત થયા બાદ ભારત બે લાખ દર્દીઓવાળા દેશોમાં જોડાશે. અત્યાર સુધીમાં માત્ર છ દેશોમાં દર્દીઓની સંખ્યા બે લાખને વટાવી ગઈ છે.
રોજના મોતમાં પાંચમાં નંબરે છે ભારત
આરોગ્ય મંત્રાલયે એક દિવસ અગાઉ જણાવ્યું હતું કે અન્ય દેશોની તુલનામાં દેશમાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોની સરેરાશ સ્થિતિ નિયંત્રણમાં છે. બીજી તરફ જો જોન હોપકિન્સ યુનિવર્સિટી અને વર્લ્ડમીટર વેબસાઇટના ડેટા પર નજર કરીએ તો ભારત વિશ્વના પાંચ પ્રભાવિત દેશોમાં પાંચમાં ક્રમે છે.ભારતમાં હાલ સુધીમાં 4337 દર્દીના કોરોનાથી મોત નીપજ્યા છે.
જાણો એક્ટિવ કેસ અને સાજા થયેલા દર્દીઓની સંખ્યા
આરોગ્ય મંત્રાલય દ્વારા તાજેતરના અપડેટ મુજબ દેશમાં કોરોનાના અત્યાર સુધીમાં 1,58,333 સંક્રમિત કેસો નોંધાયા છે. તેમાંથી 86110 એક્ટિવ કેસ છે. કોરોનાથી દેશભરમાં અત્યાર સુધીમાં 4531 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. તે જ સમયે, 67691 દર્દીઓને રજા આપવામાં આવી છે. મહારાષ્ટ્રમાં BMCના 1500થી વધારે કર્મચારીઓ કોરોના સંક્રમણના કારણે પોઝિટિવ આવ્યા છે જેમાંથી 25ના મોત નીપજ્યા છે.