ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના ચીફ ઇકોનોમિસ્ટે ભારતના સંદર્ભમાં જણાવ્યું ભારત વિશ્વની તમામ અર્થવ્યવસ્થાઓમાં એક ચમકતા તારા તરીકે ઉભરી આવ્યું છે.
વિશ્વના વિકસિત દેશોમાં મંદીનો હાહાકાર
ભારતની અર્થવ્યવસ્થા ઉપર ઉભરી આવશે- IMF ચીફ
ભારત 10 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનવા સક્ષમ
જ્યારે વિશ્વના વિકસિત દેશોમાં મંદી આવવાનો હાહાકાર સાંભળવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં, ભારત વિશ્વની તમામ અર્થવ્યવસ્થાઓમાં એક ચમકતા તારા તરીકે ઉભરી આવ્યું છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના ચીફ ઇકોનોમિસ્ટે ભારતના સંદર્ભમાં આ વાતો કહી છે. જો કે તેમણે કહ્યું હતું કે, 10 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનવાના મહત્વાકાંક્ષી લક્ષ્યને હાંસલ કરવા માટે ભારતે વિવિધ પ્રકારના મોટા માળખાકીય સુધારા કરવા પડશે.
ભારત દેશ એક તેજસ્વી સિતારો છે
આઈએમએફના ચીફ ઇકોનોમિસ્ટ પિયર-ઓલિવિયર ગૌરિન્ચાસે કહ્યું કે, ભારત વિશે હું કહેવા માંગીશ કે આ તેજ પ્રકાશ સમાન છે. ભારતીય અર્થવ્યવસ્થા વધુ સારું પ્રદર્શન કરી રહી છે. મંગળવારે તેના વર્લ્ડ ઇકોનોમિક આઉટલુકમાં, આઇએમએફએ 2022-23 માટે ભારતના આર્થિક વિકાસના અનુમાનને ઘટાડીને 6.8 ટકા કરી દીધું છે. જ્યારે 2021માં તે 8.7 ટકા હતો. સાથે જ આઈએમએફનું અનુમાન છે કે 2023માં ભારતીય અર્થવ્યવસ્થાનો વિકાસ દર વધુ ઘટીને 6.1 ટકા થઈ શકે છે.
ભારત 10 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનવા સક્ષમ
ભારતના 10 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનવાના લક્ષ્ય પર પૂછાયેલા સવાલના જવાબમાં પીયરે-ઓલિવિયર ગૌરિન્ચાસે કહ્યું કે, "મારું માનવું છે કે આ હાંસલ કરી શકાય છે. તેમણે કહ્યું હતું કે, ભૂતકાળમાં અનેક દેશોએ આર્થિક વિકાસને ખૂબ જ ઝડપી બનાવ્યો છે. તે એટલું સરળ નથી પરંતુ ભારત જેવા અર્થતંત્ર માટે પુષ્કળ સંભાવનાઓ છે. આ માટે લોડરે વિવિધ પ્રકારના માળખાકીય સુધારા જેવા પગલાં લેવા પડશે, એમ તેમણે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ડિજિટાઇઝેશનના મામલે ભારત અગ્રણી દેશોમાંથી એક છે.
ભારતની અર્થવ્યવસ્થા ફરી પાટા પર
પાયરે-ઓલિવિયર ગૌરિન્ચાસે ભારતમાં નાણાકીય સર્વસમાવેશકતાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે ડિજિટાઇઝેશન જેવા સાધનોનો ઉપયોગ કર્યો છે. તેમણે કહ્યું હતું કે, સ્વાસ્થ્ય, શિક્ષણ, સામાજિક ક્ષેત્ર ડિજિટલ સાક્ષરતા અને માળખાગત સુવિધાઓ પરનાં ખર્ચમાં વધારો થઈ શકે છે. તેમણે કહ્યું કે, કોરોના મહામારી બાદ ઘટાડા બાદ ભારતીય અર્થવ્યવસ્થા પરત ફરી છે.