પેલેસ્ટાઈન અને ઈઝરાયલની વચ્ચે ગત અનેક દિવસોમાં જારી જંગ પર હવે ભારતે પોતાની પ્રતિક્રિયા આપી છે.
ભારતે ગાઝા પટ્ટી પરના હુમલાની નિંદા કરી
ગુટરેસે ઈઝરાયલ તરફથી ગાઝાની વચ્ચે તણાવને બહું ગંભીર ઠરાવ્યો
ભારતે પેલેસ્ટાઈનની યોગ્ય માંગોનું સમર્થન કર્યુ
ભારતે ગાઝા પટ્ટી પરના હુમલાની નિંદા કરી
ભારતે હિંસાની નિંદા કરતા સુંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠકમાં બન્ને દેશોમાં યથાસ્થિતિમાં એકતરફી ફેરફાર ન કરવાની અપીલ કરી છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટીએમ તિરુમૂર્તિે કહ્યુ કે ગાઝા પટ્ટીમાં જે રીતે રોકેટના હુમલા કરવામાં આવ્યા છે તે હુમલાની ભારત નિંદા કરે છે. સાથે બન્ને દશોને અપીલ કરે છે કે તત્કાલ તણાવને ઓછો કરે અને શાંતિ તરફ પગલા ભરે.
ગુટરેસે ઈઝરાયલ તરફથી ગાઝાની વચ્ચે તણાવને બહું ગંભીર ઠરાવ્યો
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને રવિવારે મધ્ય પૂર્વમાં જારી સ્થિતિ પર ખુલ્લી બેઠક કરી. આ દરમિયાન સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટરેસે ઈઝરાયલ તરફથી ગાઝાની વચ્ચે તણાવને બહું ગંભીર ઠરાવ્યો છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધી ટીએમ તિરુમૂર્તિએ કહ્યુ કે ગત અઠવાડીયે પૂર્વ જેરુસલેમમાં શરુ થયેલી હિંસા નિયંત્રણની બહાર જવાથી સંકટ પેદા થઈ શકે છે. તેમણે કહ્યુ કે આપણે બન્ને દેશોએ સંયમથી વર્તવાની જરુર છે અને પૂર્વ જેરુસલેમ અને તેની આસપાસની હાલની સ્થિતિને એકતરફી રુપથી બદલવાનો પ્રયાસ કરવાથી દુર રહેવાનો આગ્રહ કર્યો છે.
ભારતે પેલેસ્ટાઈનની યોગ્ય માંગોનું સમર્થન કર્યુ
સૂત્રો મુજબ તિરુમૂર્તિએ કહ્યું કે ભારત પેલેસ્ટાઈનની યોગ્ય માંગોનું સમર્થન કરે છે અને ટૂ નેશન- થ્યોરી અંતર્ગત મામલાને ઉકેલવા માટે વચન બદ્ધ છે. તિરુમૂર્તિએ કહ્યુ કે ગત કેટલાક દિવસોમાં બન્ને દેશોની વચ્ચે જે રીતનો તણાવ પૈદા થયો છે તેને જોયા બાદ સુરક્ષા પરિસ્થિતિઓની સ્થિતિ ઝડપથી બગડી રહ્યો છે. તિરુમુર્તિએ કહ્યુ કે ભારત ઈઝરાયલ અને પેલેસ્ટાઈનની વચ્ચે વાતચીતનું અનુકુળ વાતાવરણ બનાવવા તમામ શક્ય પ્રયાસને સમર્થન આપે છે.
બન્ને દેશોની વચ્ચેની જંગમાં ભારતને નુકસાન થયું
તિરુમૂર્તીએ કહ્યું કે બન્ને દેશોની વચ્ચેની જંગમાં ભારતને નુકસાન થયું છે. બન્ને દેશોની વચ્ચેના રોકેટ હુમલામાં ભારતે ઈઝરાયલમાં એક ભારતીય મહિલાને ગુમાવી છે. ભારત આ યુદ્ધમાં મરનારા નાગરિકો પર ભારે શોક વ્યક્ત કરે છે.