કોરોના સંકટ વચ્ચે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશને આત્મનિર્ભર બનાવવા માટે 'વોકલ ફોર લોકલ'ની અપીલ કરી. ખાસ કરીને દિવાળીથી થોડા સમય પહેલા PM મોદીએ દેશવાસીઓને આ તહેવારમાં સ્થાનિક વસ્તુઓ ખરીદવાની અપીલ કરી હતી. હવે PM મોદીની આ અપીલ પર લોકોએ વિદેશી સામનનો બહિષ્કાર કર્યો. ખાસ કરીને આ દિવાળી પર ચીનને વેપાર મોરચા પર ઝટકો લાગ્યો છે.
દેશના લોકોએ દિવાળી પર ચીનના સામાનનો જોરદાર બહિષ્કાર કર્યો. વેપારીઓના સંગઠન કન્ફેડરેશન ઓફ ઓલ ઇંડિયા ટ્રેડર્સ (કેટ)નું જો માનીઓ તો આ તહેવારની સીઝનમાં વેપાર મોરચા પર ચીનને અંદાજે 40,000 કરોડ રૂપિયાનું નુકસાન ઉઠાવવું પડ્યું છે. આ તહેવારની સીઝનમાં લોકો ચાઇનીઝ પ્રોડ્કટને નજરઅંદાજ કરતા જોવા મળ્યાં.
એક જાહેરાતમાં જણાવામાં આવ્યું કે કેટના નેતૃત્વમાં દેશભરમાં વેપારીઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 'વોકલ ફોર લોકલ' અને આત્મનિર્ભર ભારતના આહવાનને મજબૂતીથી લાગુ કર્યું. દિવાળી પર ખરીદ-વેચાણના આંકડા શાનદાર રહ્યાં. જો કે લોકોએ ચાઇનીસ વસ્તુઓનો જોરદાર વિરોધ કર્યો.
કેટના રાષ્ટ્રિય અધ્યક્ષ બી સી ભરતિયા અને રાષ્ટ્રિય મહામંત્રી પ્રવિણ ખંડેલવાલે જાણકારી આપી છે કે દેશના 20 અલગ-અલગ શહેરોમાંથી પ્રાપ્ત રિપોર્ટ મુજબ આ દિવાળીના તહેવાર સીઝન દરમિયા દેશભરમાં અંદાજે 72,000 હજાર કરોડ રુપિયાનો વેપાર થયો. પરંતુ ચીનને સીધું જ અંદાજે 40,000 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું.