ભારત સરકારે 2017માં ઈઝરાઈલનું જાસૂસી સોફ્ટવેર પેગાસસ ખરીદ્યું હતું. આ ખુલાસો અમેરિકાના એક અખબરમાં આપેલા રિપોર્ટમાં થયો છે.
પેગાસસને લઈને અમેરિકી અખબારમાં મોટો ધડાકો
2017માં આ સ્પાઈવેરની કરવામાં આવી હતી ખરીદી
પીએમ મોદી 2017માં ઈઝરાઈલના પ્રવાસે ગયા હતા, જે બાદ આપણા સંબંધો સુંવાળા બન્યા
ભારત સરકારે 2017માં ઈઝરાઈલનું જાસૂસી સોફ્ટવેર પેગાસસ ખરીદ્યું હતું. આ ખુલાસો અમેરિકાના એક અખબરમાં આપેલા રિપોર્ટમાં થયો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, મોદી સરકારના પાંચ વર્ષ પહેલા બે અબજ ડોલર એટલે કે લગભગ 15 હજાર કરોડ રૂપિયા જે સંરક્ષણ કરાર ઈઝરાઈલ સાથે કર્યો હતો, તેમાં પેગાસસ સ્પાઈવેરની ખરીદી પણ શામેલ હતી. આ સંરક્ષણ ડીલમાં ભારતે અમુક હથિયારો સાથે એક મિસાઈલ સિસ્ટમ પણ ખરીદી હતી.
આ અખબારે આખા વર્ષ દરમિયાન ચાલેલી લાંબી તપાસ બાદ આ ખુલાસો કર્યો છે કે, અમેરિકાની તપાસ એજન્સી ફેડરલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (FBI)એ પણ ઈઝરાઈલની NSO ફર્મ પાસેથી પેગાસસની ખરીદી કરી હતી. FBIએ આ ઘરેલી દેખરેખ હેઠળ માટે ઉપયોગ કરવાની યોજના અંતર્ગત તેની કેટલાય વર્ષો સુધી ટેસ્ટીંગ પણ કર્યું, પણ છેલ્લા એક વર્ષથી એજન્સીએ પેગાસસનો ઉપયોગ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. જો કે, રિપોર્ટમાં એવું સ્પષ્ટ નથી કે, FBIનો આ નિર્ણય પેગાસસનું રહસ્ય ખોલતા પહેલા આવ્યો કે બાદમાં આવ્યું.
રિપોર્ટમાં એવું બતાવામાં આવ્યું છે કે, કેવી રીતે પેગાસસ સ્પાઈવેરને દુનિયાભરમાં ગુપચૂપ રીતે નજર રાખવા માટે ઉપયોગ કરવામાં આવે છે. મેક્સિકોએ તેનો ઉપયોગ પત્રકારો અને સરકાર વિરોધીઓ પર નજર રાખવા માટે કર્યો હતો, જ્યારે સઉદી અરબે તેના દ્વારા મ હિલા અધિકાર કાર્યકર્તાઓ અને પત્રકાર જમાલ ખશોગીની જાસૂસી માટે કર્યો હતો. રિપોર્ટમાં એવું કહેવાયું છએ કે, ઈઝરાયલના રક્ષા મંત્રાલયે જે દેશોમાં પેગાસસના ઉપયોગની મંજૂરી આપી હતી, તેમાં પોલેન્ડ, હંગેરી અને ભારત સાથે અન્ય કેટલાય દેશો પણ જોડાયેલ છે.
ભારતમાં કેવી રીતે આવ્યું સ્પાઈવેર
અખબારે દાવો કર્યો છે કે, જૂલાઈ 2017માં જ્યારે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઈઝરાઈલ પહોંચ્યા હતા, ત્યારે તેમનો મેસેજ સ્પષ્ટ હતો કે, ભારત હવે ફિલીસ્તાન માટે કટિબદ્ધતાના જૂના વલણમાં ફેરફાર કરી રહ્યું છે. તેનું પરિણામ એ આવ્યું કે, પીએમ મોદી અને ઈઝરાઈલના તત્કાલિન પ્રધાનમંત્રી બેંઝામિન નેતન્યાહૂ વચ્ચે ખૂબ ગાઢ સંબંધો થવા લાગ્યા. ભારતે ઈઝરાઈલ પાસેથી આધુનિક હથિયાર અને જાસૂસી સોફ્ટવેર ખરીદવાનો કરાર કર્યો. આ આખી ડીલ લગભગ 15 હજાર કરોડ રૂપિયાની હતી. તેના કેન્દ્રમાં એક મિસાઈલ સિસ્ટમ અને પેગાસસ પણ હતું.
રિપોર્ટ્સમાં કહેવાયું છે કે, તેના થોડા સમય બાદ જ નેતન્યાહૂ પણ ભારતના પ્રવાસે આવ્યા હતા, જે કેટલાય વર્ષો બાદ ઈઝરાઈલના પીએમનો પ્રથમ પ્રવાસ હતો. ત્યાર બાદ જૂન 2019માં યુએનના આર્થિક અને સામાજિક પરિષદમાં ભારતે ઈઝરાઈલના સમર્થનમાં વોટ કરતા ફિલીસ્તાનને માનવાધિકાર સંગઠનમાં ઓબ્ઝર્વરનો દરજ્જો આપવાની વિરુદ્ધમાં પગલું ઉઠાવ્યું. આ પહેલી વખત હતું જ્યારે ભારતે ઈઝરાઈલ અને ફિલીસ્તાનની વચ્ચે કોઈ એક દેશને પ્રાથમિકતા આપી હતી.
જૂલાઈ 2021માં થયો હતો પેગાસસને લઈને ખુલાસો
હજૂ સુધી ન તો ભારત અને ન તો ઈઝરાઈલ તરફથી કોઈ પુષ્ટિ થઈ છે કે, બંને દેશો વચ્ચે પેગાસસનો કરાર થયો હતો, જો કે, જૂલાઈ 2021માં મીડિયા જૂથનું એક કંસોર્શિયમમાં ખુલાસો કર્યો હતો કે, આ સ્પાઈવેર દુનિયાભરના કેટલાય દેશોમાં પત્રકારો અને વેપારીઓની જાસૂસી માટે ઉપયોગમાં રહ્યો છે. ભારતમાં પણ તેના દ્વારા કેટલાય નેતાઓ અને મોટા નામોની જાસૂસી થઈ હોવાની વાતો કહેવામાં આવી હતી.