આસામમાં દેશનું સૌથી મોટું ડિટેન્શન સેન્ટર તૈયાર કરવામાં આવી રહ્યું છે. આસામના ગોવાલપારામાં બનાવવામાં આવી રહેલા ડિટેન્શન કેમ્પમાં ઘૂસણખોરોને કેદ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આસામમાં નેશનલ સિટિઝન રજિસ્ટર NRC તૈયાર કરવામાં આવી રહ્યું છે.
આસામમાં તૈયાર થઈ રહ્યું છે ડિટેન્શન સેન્ટર
દેશનું સૌથી મોટું ડિટેન્શન સેન્ટર કહેવાશે
ડિટેન્શન કેમ્પમાં રખાશે ઘૂસણખોરોને
આ લોકોને રાખવામાં આવશે ડિટેન્શન સેન્ટરમાં
નેશનલ સિટિઝન રજિસ્ટરમાં જે લોકોના નામ નથી આવ્યા અને જો તેમને ફોરેન ટ્રિબ્યુનલથી પણ રાહત મળતી નથી તો તેમને આ ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવશે. જો કોઈ વ્યક્તિ દેશમાં ખોટી રીતે પ્રવેશ કરાતા પકડાય છે તો તેને પણ ડિટેન્શન સેન્ટરમાં રાખી શકાય છે.
આ રીતે તૈયાર થઈ રહ્યું છે ડિટેન્શન સેન્ટર
આસામના ગોવાલપારામાં ડિટેન્શન સેન્ટરમાં અનેક મજદૂર કામ કરી રહ્યા છે અહીં 4-4 માળની 15 બિલ્ડિંગો બનાવવામાં આવી રહી છે.
આ ડિટેન્શન સેન્ટરનો 65 ટકા ભાગ પૂરો થઈ ચૂક્યો છે. તેને બનાવવા માટે 46 કરોડ રૂપિયા ખર્ચ થઈ શકે છે. આ સેન્ટરમાં કુલ 3 હજાર ઘૂસણખોરોને રાખવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
ગોવાલપારાના ડિટેન્શન સેન્ટરનું નિર્માણ ડિસેમ્બર 2018માં શરૂ થયું હતું. નિર્માણ કાર્ય નક્કી સમયસીમાથી ધીમી ગતિએ કામ કરી રહ્યું છે. 15 બિલ્ડિંગમાંથી 13 બિલ્ડિંગ પુરુષો માટે હશે અને 2 બિલ્ડિંગ મહિલાઓ માટે રાખવામાં આવશે.
હાલમાં આસામના 6 જિલ્લા જેલમાં જ ડિટેન્શન સેન્ટર ચાલી રહ્યા છે. આ જેલ ડિબ્રૂગઢ, સિલચર, તેજપુર, જોરહાટ, કોકરાઝાર અને ગોવાલાપારામાં આવેલી છે. તેમાં લગભગ 800 લોકો રહે છે.
ડિટેન્શન સેન્ટરની પ્રક્રિયા સુપ્રીમ કોર્ટના આદેશ પર અમલમાં લાવવામાં આવી છે. આ માટે ભારતીય જમીન પર વિદેશીઓ તરીકે ઓળખાઈ રહેલા લોકોને જરૂરી સુવિધાઓ આપવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.