ભારતીયોને માટે હવે ભૂટાન પ્રવાસ સરળ બનશે. પાડોશી દેશ ભૂટાનથી કનેક્ટિવિટી વધારવા માટે ભારતીય રેલવે બોર્ડે મુજનઈ-ન્યોનપેલિંગ રેલ લિંક બનાવવાને લઈને સર્વે પૂરો કર્યો છે. સર્વે પછી રેલવે લાઈનને લીલી ઝંડી મળી જશે તો ભારતથી ભૂટાનની રેલ મુસાફરી જલ્દી જ ભારતીયો કરી શકશે.
હવે ભૂટાન પ્રવાસ સરળ બનશે
ભારતીય રેલવે બોર્ડે કરી નવી રેલ લાઈનનો સર્વે
ભૂટાન બની શકે છે ભારતીયોનું ફેવરિટ ડેસ્ટિનેશન
મળતી માહિતી અનુસાર રેલમંત્રી પીયૂષ ગોયલ હાલમાં જ ભૂટાન- ભારત સ્ટાર્ટ અપ સમિટ 2020માં ભૂટાન પહોંચ્યા. ભારતીય રેલવેની એક ટીમ પણ ભૂટાનનો પ્રવાસ કરશે અને અહીંના ખાસ વિભાગો સાથે MOU (મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ) ને અંતિમ રૂપ આપવા માટેની ચર્ચાઓ કરશે. બંને દેશોને પાંડું, જોગીગોપા અને અગરતલા પર નવા ટ્રાંઝિટ કસ્ટમ રેલવેને લઈને સૂચના જાહેર કરવાની પણ ચર્ચા કરી છે.
2022માં ચલાવવામાં આવી શકે છે આ ટ્રેન
ભારત- ભૂટાન સિવાય પણ ઉત્તર-પૂર્વી ભારતીય રાજ્યોને રેલવે રૂટની મદદથી બાંગ્લાદેશ સાથે પણ જોડવામાં આવશે. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે પણ હાલમાં જ એલાન કર્યું હતું કે બાંગ્લાદેશ અને સાથે ઉત્તર -પૂર્વી ભારતની વચ્ચે 2021ના અંત સુધી રેલવે લાઈન બનીને તૈયાર થશે. તેઓએ જણાવ્યું કે ત્રિપુરાના અગરતલાથી બાંગ્લાદેશના આખુરાની વચ્ચે રેલ લાઈનનું નિર્માણ કર્યા બાદ 2022માં પહેલી ટ્રેન ચલાવવામાં આવશે.
હાલમાં ભૂટાન જવા માટે ભારતીયો પાસે છે આ વ્યવસ્થા
ભારતથી ભૂટાન જવા માટે તમે ફ્લાઈટ અને રોડ બંને રસ્તાનો ઉપયોગ કરી શકો છો. તમે ફ્લાઈટથી ભૂટાન જવા ઈચ્છો છો તો ભૂટાન એરલાઈન્સથી જઈ શકો છો. તે તમને ભૂટાનના ઈન્ટરનેશનલ એરપોર્ટ સુધી પહોંચાડશે.
રોડ ટ્રિપ માટે જોઈશે આ ડોક્યૂમેન્ટ્સ
તમે રોડટ્રિપ કરી રહ્યા છો તો તમારે ભારત- ભૂટાન સીમા પર ભૂટાની શહેર ફુનશેલિંગથી ટૂરિસ્ટ પરમિટ લેવાની રહેશે. આ માટે તમારી પાસે પાસપોર્ટ કે મતદાન કાર્ડ અને 2 પાસપોર્ટ સાઈઝના ફોટો માંગવામાં આવશે.