ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 5 મેચની ટી-20 શ્રેણીનુ રવિવારે સમાપન થયુ. શ્રેણી 2-2 પર સમાપ્ત થઇ. આની પહેલાની મેચ બેંગ્લોરમાં રમવામાં આવી હતી. જે વરસાદને કારણે રદ્દ થઇ હતી. વર્લ્ડ કપની તૈયારીઓને લઇને ભારતીય ટીમને આ શ્રેણીથી કેટલો ફાયદો થયો, આવો જાણીએ.
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 5 મેચની ટી-20 શ્રેણીનુ થયુ સમાપન
વર્લ્ડ કપની તૈયારીઓને લઇને ટીમને આ શ્રેણીથી કેટલો ફાયદો થયો
દક્ષિણ આફ્રિકા સામે આ ખેલાડીઓએ સારી શરૂઆત અપાવી
શ્રેણીની પહેલી બે મેચમાં ભારતીય ટીમને કારમી હારનો સામનો કરવો પડ્યો. પરંતુ ત્યારબાદ ટીમે શાનદાર વાપસી કરીને સતત બે મેચ જીતી. ભારત અને દક્ષિણ આફ્રિકા સીરીઝને પણ આ વર્ષે યોજાનારી ટી-20 વર્લ્ડ કપની તૈયારી કહેવામાં આવે છે.
કાર્તિક-હાર્દિકની શાનદાર વાપસી
દિનેશ કાર્તિક અને હાર્દિક પંડ્યાના આવવાથી ભારતીય ટીમને મિડલ ઓર્ડર ઘણો મજબૂત થયો છે. આ સીરીઝમાં દિનેશ કાર્તિક 2019 બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરી રહ્યાં હતા. તેઓ ગયા વર્ષે ઓક્ટોબરમાં યોજાયેલા ટી-20 વર્લ્ડ કપ બાદ ટીમથી બહાર થયેલા હાર્દિક પંડ્યાને પણ આ શ્રેણીમાં તક મળી હતી. કાર્તિક અને પંડ્યાનુ આઈપીએલમાં પણ શાનદાર પ્રદર્શન રહ્યું હતુ.
હર્ષલ પટેલ અને અવેશ ખાનની શાનદાર બોલિંગ
સીરીઝ શરૂ થતા પહેલા ચર્ચા હતી કે દક્ષિણ આફ્રિકાની સામે ઉમરાન મલિકને તક મળશે. પરંતુ આમ થયુ નહીં. જેનુ સૌથી મોટુ કારણ હર્ષલ પટેલની શાનદાર બોલિંગ હતી. ભારતીય ટીમ માટે હર્ષલે આ શ્રેણીમાં સૌથી વધુ વિકેટ લીધી છે. હર્ષલે પોતાના નામે 7 વિકેટ લીધી. તો તેની સરેરાશ માત્ર 12.57ની હતી. જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને ભુવનેશ્વર કુમાર બાદ હર્ષલે ભારતીય ટીમના પેસ અટેકને નવી જાન આપી છે. બેટરો માટે પોતાના ધીમા બોલને રમવુ મુશ્કેલ થઇ રહ્યું છે. જેનો ફાયદો ભારતીય ટીમને આ વર્ષે યોજાનારા ટી-20 વર્લ્ડ કપમાં પણ મળશે.
ઈશાનની બેટિંગ ઈનિંગ સારી રહીં
દક્ષિણ આફ્રિકા સામે સીરીઝમાં ઈશાન કિશન અને ઋતુરાજ ગાયકવાડે રોહિત શર્મા અને કેએલ રાહુલની ગેરહાજરીમાં ટીમને સારી શરૂઆત અપાવી. ઈશાન કિશાન આ શ્રેણીમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડી બન્યાં. તેમણે 41.20ની સરેરાશથી 206 રન બનાવ્યાં. તો તેનો સ્ટ્રાઈક રેટ 150.36નો રહ્યો.