કેન્દ્ર સરકારે ઘઉંની નિકાસ પર શરતો સાથે પ્રતિબંધ લગાવી દીધો છે. ઘરેલૂ બજારમાં ઘઉંની કિંમતમાં તોતિંગ વધારો થતાં સરકારે આ નિર્ણય લીધો છે.
કેન્દ્ર સરકારે મોંઘવારીની વચ્ચે લીધો મોટો નિર્ણય
ઘઉંની નિકાસ પર શરતો સાથે પ્રતિબંધ લગાવ્યો
ઘરેલૂ બજારમાં ઘઉંની ડિમાન્ડ વધી, ભાવ આકાશે આંબ્યા
કેન્દ્ર સરકારે ઘઉંની નિકાસ પર શરતો સાથે પ્રતિબંધ લગાવી દીધો છે. ઘરેલૂ બજારમાં ઘઉંની કિંમતમાં તોતિંગ વધારો થતાં સરકારે આ નિર્ણય લીધો છે. જો કે, ઘઉંની નિકાસ અમુક શરતો સાથે ચાલું રહેશે. સરકારનો આ નિર્ણય પહેલાથી લાગૂ નિયમો પર નહીં અસર કરે. સરકાર તરફથી તેના માટે નોટિફિકેશન પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. નોટિફિકેશનમાં કહેવાયુ છે કે, ભારત, પાડોશી દેશો અને અન્ય નબળા દેશોની ખાદ્ય સુરક્ષા ખતરામાં છે.
સરકારે કહ્યું કે, આ પગલું દેશની સમગ્ર ખાદ્ય સુરક્ષા સિસ્ટમ તથા પાડોશી અને અન્ય નબળા દેશોને જરુરી સમર્થન કરવા માટે કરવામાં આવ્યું છે. નોટિફિકેશનમાં આગળ કહેવામાં આવ્યું છે કે, ભારત સરકાર પાડોશી અને અન્ય નબળા વિકાસશીલ દેશોની ખાદ્ય સુરક્ષા જરૂરિયાતો પુરા કરવા માટે કટિબદ્ધ છે, જે ઘઉંની વૈશ્વિક બજારમાં અચાનક પ્રેશરથી પ્રભાવી રીતે અને ઘઉંની સપ્લાઈ સુધી પહોંચવામાં અસમર્થ છે.
સરકારે કહ્યું કે, ઘઉંની વૈશ્વિક કિંમતમાં અચાનક વધારો થયો છે. જેના પરિણામ સ્વરૂપ ભારત, પાડોશી દેશ અને અન્ય નબળા દેશોની ખાદ્ય સુરક્ષા ખતરામાં છે. રશિયા અને યુક્રેન યુદ્ધની વચ્ચે ઘઉંની આંતરરાષ્ટ્રીય બજાર કિંમતમાં લગભગ 40 ટકાનો ઉછાળો આવ્યો છે. તેમાં ભારતથી નિકાસ વધી ગઈ છે. માગ વધવાની સાથે સાથે સ્થાનિક સ્તર પર ઘઉં અને લોટની કિંમતમાં ભારે ઉછાળો આવ્યો છે.
ઘઉંની ખરીદી માટે એમએસપી 2015 રૂપિયા પ્રતિ ક્વિંટલ છે. દેશમાં ઘઉં અને લોટની છુટક મોંઘવારી એપ્રિલમાં વધીને 9.59 ટકા પહોંચી ગઈ છે. જે માર્ચમાં 7.77 ટકા હતી. આ વર્ષે ઘઉંની સરકારી ખરીદીમાં લગભગ 55 ટકાનો ઘટાડો આવ્યો છે, કારણ કે ખુલ્લા બજારમાં ઘઉંની કિંમત એમએસપી કરતા ક્યાંય વધારે મળી રહી છે.