ભારત અને બાંગ્લાદેશ વચ્ચે દ્વિપક્ષીય સંબંધો નવા મુકામે પહોંચી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાએ આજે નવી દિલ્હીમાં મુલાકાત કરી. આ દરમિયાન ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કુલ 7 કરારો પર હસ્તાક્ષર થયા.
વડાપ્રધાન મોદી અને બાંગ્લાદેશના PM શેખ હસીનાની મુલાકાત
મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે ઘણી સમજૂતી પર હસ્તાક્ષર થયા
સંસદીય ચૂંટણી બાદ શેખ હસીનાની પ્રથમ મુલાકાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાએ શનિવારે મુલાકાત બાદ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કુલ 7 કરારો પર હસ્તાક્ષર થયા. બંને નેતાઓએ બાંગ્લાદેશથી એલપીજી ઇમ્પોર્ટ સહિત 3 પ્રોજેક્ટ્સને લોન્ચ કર્યા. ત્રણેય પ્રોજેક્ટને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા લોન્ચ કરવામાં આવ્યો.
Remarks by PM @narendramodi at the joint remote inauguration of 3 bilateral projects in Bangladesh- “मुझे खुशी है कि Prime Minister शेख हसीना जी के साथ तीन और bilateral projects का उद्घाटन करने का मौका मुझे मिला है”
શેખ હસીના સાથે જોઇન્ટ પ્રેસ કોન્ફરન્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેમને ખુશી છે કે ગત એક વર્ષમાં એમણે ભારત અને બાંગ્લાદેશના 12 જોઇન્ટ પ્રોજેક્ટ્સના ઉદઘાટનની તક મળી. બંને દેશો વચ્ચે એર કનેક્ટિવિટી પણ વધવાની છે. સૂત્રો મુજબ, બંને દેશો વચ્ચે ફ્લાઇટની સંખ્યા વધીને સપ્તાહમાં 120 કરવામાં આવશે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજની ત્રણેય પરિયોજનાઓ 3 વિભિન્ન ક્ષેત્રોમાં છે. એલપીજી ઇમ્પોર્ટ, વોકેશનલ ટ્રેનિંગ, અને સોશિયલ ફેસિલીટીય ત્રણેયનો હેતુ એક છે. આપણા નાગરિકોના જીવનને વધુ સારુ બનાવવું.
आज की ये तीन परियोजनाएं तीन अलग-अलग क्षेत्रों में हैं:— LPG import, vocational training और social facility: PM
વડાપ્રધાન મોદીએ કહ્યું, 'બાંગ્લાદેશથી બલ્ક એલપીજી સપ્લાઇ બંને દેશોને ફાયદો પહોંચાડશે. તેથી બાંગ્લાદેશમાં નિકાસ, આવક અને રોજગાર પણ વધશે. ટ્રાન્સપોર્ટેશનું અંતર 1500 કિમી ઓછુ થવાને કારણે આર્થિક લાભ પણ મળશે. પર્યાવરણને પણ નુકશાન ઓછુ થશે.'
Delhi: Prime Minister of Bangladesh Sheikh Hasina and Prime Minister Narendra Modi witness exchange of agreements, and inaugurate of bilateral projects between India & Bangladesh. pic.twitter.com/PdjcVfasd2
નોંધનીય છે કે, આ ત્રણેય પ્રોજેક્ટ છે. બાંગ્લાદેશથી એલપીજી આયાત, બાંગ્લાદેશ-ઇન્ડિયા પ્રોફેશનલ ડિવલેપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ અને ઢાકામાં રામકૃષ્ણ મિશનમાં વિવેકાનંદ ભવન. બાંગ્લાદેશના વડાપ્રદાન શેખ હસીના ગુરુવારે ચાર દિવસીય યાત્રા પર દિલ્હી પહોંચ્યા છે. બાંગ્લાદેશ અને ભારતમાં સંસદીય ચૂંટણી બાદ હસીનાની આ પહેલી ભારત યાત્રા છે.