શિયાળો આવે એટલે વસાણા યાદ આવે. કડકડતી ઠંડીમાં વસાણા શરીરને તો ગરમી આપે જ પણ સાથે સાથે આખુ વર્ષ કામ કરવાની શક્તિ પણ આપી દે છે પણ આ વખતે ખજૂરના ભાવમાં ભડકો જોવા મળી રહ્યો છે કારણ કે, પાકિસ્તાનથી ખજૂરની આયાત બંધ કરવામાં આવી છે. વળી તલના ભાવ પણ કમોસમી વરસાદ અને બીજા અન્ય કારણોને પગલે વધ્યા છે જેને કારણે કચરિયું પણ મોંઘુ થયુ છે.
ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે તલના ભાવ વધ્યા
પાકિસ્તાનથી આયાત બંધ કરાતાં ખજૂરના ભાવમાં ભકડો
સૂકો મેવો તો ખાવા જેવો જ નથી
શિયાળો આવે એટલે બીજા કોઈ વસાણા યાદ આવે ક ન આવે પણ મસાલાવાળું કચરિયું જરૂર યાદ આવે પણ આ વખતે કચરિયું મોંઘુ થયુ છે. સૂકા મેવાને તો પૂછવા જેવું જ નથી અને ખજૂર પણ મોંઘી થઈ છે. બજારમાં વેચાતા વસાણાના ભાવોમાં ભારે ભડકો જોવા મળ્યો હતો.ગત વર્ષે 180 રૃપિયે કીલો વેચાતું મસાલાવાળુ કચરીયું આ વર્ષે 200 થી 220 રૃપિયે કીલોના ભાવે વેચાઈ રહ્યુ છે. જયારે વિવિધ પ્રકારની ચીક્કી જેવી કે તલ ચીકી,સીંગ ચીકી,માવા ચીકી,ખજુર ટોપરા ચીકી ના ભાવો ગત વર્ષની તુલના એક સરખા રહયા હતા. સરકાર દ્વારા પાકિસ્તાનથી આવતા ખજૂરની આવક બંધ કરાતાં ભાવમાં ભડકો જોવા મળ્યો હતો.
ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે તલના ભાવ વધ્યા
ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે તલના ભાવમાં રૃપિયા 40 થી 45 ના ભાવ વધારાને લઈ આ વર્ષે મસાલાવાળા કચરીયામાં ભાવ વધારો નોંધાયો હતો.જયારે ચાલુ વર્ષે વિવિધ પ્રકારની ચીકીના ભાવો ઠેરના ઠેર જણાયા હતા. કાળા તલ ના કચરીયામાં કીલોએ રૃપિયા 40નો વધારો નોંધાયો હતો.જયારે ચીકીના ભાવમાં સ્થિરતા જણાઈ હતી.આમ શિયાળો જામતા જ વિવિધ પ્રકારના વસાણા સહિતના ભાવોમાં ગત વર્ષની તુલનાએ સામાન્યતઃ ભાવ વધારો નોંધાયો હતો.
પાકિસ્તાનથી આયાત બંધ કરાતાં ખજૂરના ભાવમાં ભકડો
સુકામેવાના હોલસેલ વેપારી ના જણાવ્યા મુજબ સરકાર દ્વારા પાકિસ્તાનથી ખજૂરની આયાત બંધ કરાતા ખજૂર ના ભાવમાં ભડકો જોવા મળ્યો છે.ગત વર્ષે રૃપિયા 100 થી 120 કીલોના ભાવે નોંધાતું ખજૂર આ વર્ષે 180 થી 230 ના ભાવે નોંધાયું હતું.જયારે વિવિધ પ્રકારના અન્ય સુકામેવા સહિત ચીકી ના ભાવો ઠેરના ઠેર રહયા હતા.
પાકિસ્તાનથી ઓમાન જઈને ભારત આવે છે ખજૂર
પાકિસ્તાનમાંથી ભારતમાં આવતી ચીજવસ્તુઓ પર કસ્ટમ ડયૂટી 200 ટકા કરી નાંખવામાં આવી છે જેને પગલે ખજૂર પહેલા ઓમાન જાય અને ત્યાંથી ભારત આવે છે. જો કે આ કરચોરી સરકાર ઘણીવાર પકડી પાડે છે પણ ઓમાનથી ભારત આવતી વસ્તુઓ પર 35 ટકા કર છે જ્યારે પાકિસ્તાનથી ભારત આવતી વસ્તુઓ ઉપર 200 ટકા કર છે અને હમણાં તો સરકારે પાકિસ્તાનથી આયાત જ બંધ કરી દીધી છે.