ભારતે છેલ્લા પાંચ મહિનાથી પાકિસ્તાનને વાઘા ખાતે પડેલી સમજૌતા એક્સપ્રેસ ટ્રેનના કોચ પરત કરવા જણાવ્યું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના તનાણને પગલે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 37૦ ની જોગવાઈ રદ કરવામાં આવ્યા બાદ સમજૌતા એક્સપ્રેસ ટ્રેન સેવા રદ કરવામાં આવી હતી.
રેલ્વે અધિકારીઓએ મંગળવારે કહ્યું કે વિદેશ મંત્રાલયે આ મામલે ઇસ્લામાબાદને આ મામલે વિનંતી કરી છે. રેલવેના એક વરિષ્ઠ અધિકારીએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે, "અમારી (રેલ્વે)ની વિનંતી પર, વિદેશ મંત્રાલયે પાકિસ્તાન અધિકારીઓને કહ્યું છે કે વહેલી તકે ટ્રેનના અમારા કોચને પરત આપે"
પાકિસ્તાને અટકાવી સમજૌતા એક્સપ્રેસ
ટ્રેનના કોચનો છેલ્લે ઉપયોગ 8 ઓગસ્ટ 2019 ના રોજ કરવામાં આવ્યો હતો જ્યારે પાકિસ્તાને સુરક્ષા કારણો જણાવીને વાઘા બોર્ડર પર સમજૌતા એક્સપ્રેસ ટ્રેન અટકાવી હતી, જેના કારણે 117 મુસાફરો ફસાયેલા હતા. ટ્રેન બપોરે 12.30 વાગ્યે અટારી પહોંચવાની હતી પરંતુ તે સાંજે 5.15 વાગ્યે પહોંચી હતી.
ભારતે પરત માગ્યા ટ્રેનના કોચ
જ્યારે ભારતીય રેલ્વેએ તેના એન્જિન, ક્રૂ સભ્યો અને સુરક્ષા જવાનોને ટ્રેન અને તેના મુસાફરોને અટારીથી વાઘા બોર્ડર પર લાવવા મોકલ્યા હતા. નોંધનીય છે કે સમજૌતા એક્સપ્રેસ ટ્રેનો ચલાવવા માટે બંને દેશો છ મહિનાના અંતરે એક બીજાના ટ્રેન કોચનો ઉપયોગ કરે છે.