અમેરિકાના રક્ષા સંસ્થાન નેશનલ એયરોનૉટિકલ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (નાસા)એ ભારતના (એ-સેટ) મિશન શક્તિને ભયાનક ગણાવ્યું છે. નાસાએ જણાવ્યું કે આ કારણે અંતરિક્ષમાં સેટેલાઇટના 400 ટુકડા ફેલાઇ ગયા છે. જેના કારણે આવનાર દિવસોમાં આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન (આઇએસએસ)માં ઉપસ્થિત અંતરિક્ષ યાત્રીઓ માટે મુશ્કેલી ઉભી થઇ ગઇ છે.
નાસાના પ્રમુખે જણાવ્યું કે આ ભયાનકથી ભયાનક છે. નાસાના પ્રમુખે કહ્યું કે બધા ટુકડા ટ્રેક કરી શકાય તેમ નથી. બધા ટુકડા એટલા મોટ નથી કે તેને ટ્રેક કરી શકાય. અમારી નજર સતત આ ટુકડાઓ પર છે. અત્યાર સુધીમાં 60 ટુકડાઓને ટ્રેક કરવામાં આવ્યાં છે. 24 ટુકડા આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનના પોઇન્ટ કરતાં ઉપર પહોંચી ગયા છે.
આમ હવે ભારતના મિશન શક્તિ પર હવે નાસાએ પ્રતિક્રિયા આપી છે. નાસાએ ભારતના મિશનને ખુબજ ભયાનક ગણાવ્યું છે. નાસાનું કહેવું છે કે, મિશન શક્તિના કારણે અંતરિક્ષની કક્ષામાં અંદાજે સેટેલાઇટના 400 ટુકડા થઇ ગયા છે. જે આગમી દિવસોમાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં હાજર અંતરિક્ષ યાત્રિઓ માટે ખતરા રૂપ થઇ જશે. નાસા તરફથી આ નિવેદન તેમના પ્રમુખ જિમ બ્રિડેનસ્ટાઈને આપ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ભારતે પૃથ્વીની નીચલી કક્ષામાં 300 કિલોમીટરની રેન્જ પર હાજર એક સેટેલાઇટને તોડી પાડ્યું હતું. જેની જાણકારી ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપી હતી. આમ હવે નાસાએ કહ્યું કે, આ ભયાનક ખુબ ભયાનક છે. આ મિશનના કારણે સેટેલાઇટના ટુકડા આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનથી પણ ઉપર જઇ રહ્યા છે જેના કારણે ભવિષ્યમાં મનુષ્યને અંતરિક્ષમાં મોકલવા મુશ્કેલ થઇ જશે.