ભારત અને પાકિસ્તાન વચ્ચે સિંધુ જળ વહેંચણી મુદ્દે આજે બેઠક મળશે. સ્થાયી સિંધુ આયોગની બે દિવસીય બેઠક છે. આશરે અઢી વર્ષ બાદ આ બન્ને પક્ષ વચ્ચે બેઠક મળવા જઈ રહી છે.
ભારત-પાકિસ્તાન વચ્ચે સિંધુ જળ વહેચણી મુદ્દે બેઠક
સ્થાયી સિંધુ આયોગની 2 દિવસની બેઠક
આશરે અઢી વર્ષ બાદ બંને પક્ષો વચ્ચે થશે ચર્ચા
પાકિસ્તાનનું 7 સભ્યનું પ્રતિનિધિ મંડળ બેઠક માટે દિલ્હી આવી પહોંચ્યું છે. ભારત તરફથી પી.કે. સક્સેનાની અધ્યક્ષતામાં ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં જળ આયોગ, જળ વિદ્યુત અને ઉર્જા નિગમના પ્રતિનિધિઓ ભાગ લેશે. બેઠકમાં સિંધુ નદીના જળની વહેંચણી, યોજનાઓ અને બંધ મુદ્દે ચર્ચા કરવામાં આવશે. જેમાં પાકલ દુલ અને લોવર કલનાઈ પરિયોજનાનો મુદ્દો પણ ચર્ચાઈ શકે છે.
મહત્વનું છે કે વર્ષ 2019માં થયેલા પુલવામા હુમલા બાદ ભારત પાકિસ્તાન વચ્ચે ચર્ચાઓ બંધ હતી. સિંધુ જળ આયોગની છેલ્લી બેઠક લાહોરમાં ઓગસ્ટ 2018માં થઇ હતી. ગત મહિને ભારત અને પાકિસ્તાનનની સેનાએ 2003માં થયેલી સીઝફાયર કરારને ફરીથી લાગૂ કરવામાં સહમતિ દર્શાવી છે. ત્યારબાદ બન્ને દેશોમાં સંબંધો સુધરવાની આશા વ્યક્ત કરવામાં આવી છે. જોકે હવે ફરી એકવાર પાકિસ્તાન સાથે સિંધુ જળ વહેંચણી મુદ્દે બેઠક મળી રહી છે.
તો બીજી તરફ મહિનાના અંતમાં બન્ને દેશોના વિદેશ મંત્રીઓ આમને સામને હશે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન અને ત્યાના સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવા તરફથી ભારત સાથે શાંતિ વાર્તાની અપીલ બાદ આ મહિનાના અંતમાં બન્ને દેશોના વિદેશ મંત્રી આમને સામને હશે. તજાકિસ્તાનની રાજધાની દુશાંબે ‘હાર્ટ ઓફ એશિયા’ના વિદેશ મંત્રીઓની બેઠક થવા જઈ રહી છે. 30 માર્ચે થનારી આ બેઠકમાં 15 દેશોના વિદેશ મંત્રી સામેલ થશે.
પાકિસ્તાનથી શાંતિ સંદેશાની વચ્ચે આ મહત્વપૂર્ણ બેઠક
પાકિસ્તાનથી શાંતિ સંદેશાની વચ્ચે આ મહત્વપૂર્ણ બેઠક છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠક દરમિયાન ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર અને પાકિસ્તાના વિદેશમંત્રી મહમૂદ કુરૈશી સામિલ થશે. પરંતુ હજું સુધી બન્ને વિદેશો મંત્રીઓની વચ્ચે દ્વિપક્ષી વાર્તા પર કોઈ નિર્ણય નહીં થઈ શકે. ઘણા સમય બાદ બન્ને દેશોના વિદેશમંત્રી એક સાથે એક મંચ પર નજરે પડશે.
ભારતે પાકિસ્તાનના પ્રધાનમંત્રી અને સેના પ્રમુખના નિવેદનનું સ્વાગત કર્યુ
આ તરફ ભારતે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન અને સેના પ્રમુખ જનરલ બાજવાના નિવેદનનું સ્વાગત કર્યુ છે. સરકારના ઉચ્ચ સૂત્રોનું કહેવું છે કે મુદ્દાઓના શાંતિપૂર્ણ સમાધાન કરવા માટે આપવામાં આવેલા પાકિસ્તાની પ્રધાનમંત્રી ઈમરાન ખાન અને સેના પ્રમુખ જનરલ બાજવાના નિવેદનો પોઝિટિવ છે અને ભારત સરકાર તેનું સ્વાગત કરે છે. બન્ને દેશોએ હાલમાં સીમા પર સંઘર્ષ વિરામ લાગૂ કર્યુ છે. આ બાદથી ભારતની નજર પાકિસ્તાનની ગતિવિધિઓ પર બનેલી છે.