ભારત અને નેપાળ વચ્ચે વહેતી લગભગ ૬૦૦૦ નદીઓ આ સીમા નક્કી કરે છે. અહીં કશુ કાયમી કે સ્થિર નથી.સ્વાભાવિક છે કે, પ્રકૃતિને દેશની ભૌગોલિક સીમાઓ અને દેશોએ દોરેલા નકશા સાથે કશી લેવાદેવા નથી.
ભારત અને નેપાળ વચ્ચેનો કાલાપાની અને લિપુલેખ ક્ષેત્રની સીમાઓ પરનો વિવાદ નકશા પર અને રાજકીય દૃષ્ટિએ હોઇ શકે છે, પરંતુ પ્રકૃતિની જીવંત સરહદ પર તેનું અસ્તિત્વ ન હોવા બરોબર છે. છે. હકીકતમાં ૧૮૦૦ કિલોમીટરની ભારત-નેપાળ સરહદ હવામાનની સાથે બદલાય છે. અહીં એવી કોઈ લાઇન નથી જેના આધારે કહી શકાય કે કયો ભાગ નેપાળનો છે અને કયો ભાગ ભારતનો છે.
શિયાળામાં અહીંની નદીઓ જામી જાય છે અને ભૂગોળ બદલાય છે. જ્યારે ઉનાળામાં આ નદીઓનો બરફ ઓગળે છે અને સરહદને નવો આકાર આપે છે. જ્યારે ચોમાસાનાં પૂરમાં કોઈ સરહદનું અસ્તિત્વ હોતું નથી. ભારત અને નેપાળ વચ્ચે વહેતી લગભગ ૬૦૦૦ નદીઓ આ સીમા નક્કી કરે છે. અહીં કશુ કાયમી કે સ્થિર નથી.સ્વાભાવિક છે કે, પ્રકૃતિને દેશની ભૌગોલિક સીમાઓ અને દેશોએ દોરેલા નકશા સાથે કશી લેવાદેવા નથી. સરહદી વિસ્તારમાં રહેતા બંને દેશોના લોકો પણ નકશાને જાણતા નથી કે માનતા નથી. નેપાળના સંસદમાં રજૂ કરવામાં આવેલા નકશાની પણ તેમને દરકાર નથી..એક રીતે, સીમાઓનો આ વિવાદ નવી દિલ્હી અને કાઠમાંડુ નહીં પણ અહીં રહેતા લોકો કરશે.જેમના સદીઓ પુરાણા જીવંત સંબંધો સીમાઓથી પર છે.ભારત અને નેપાળ વચ્ચે પ્રાચીનકાળથી સંબંધ છે.આ જોડાણ એટલું મજબૂત છે કે બંને દેશોના લોકો વચ્ચે રોટી-બેટીનો સંબંધ છે. ભારતમાં ૩૦ લાખથી વધુ નેપાળીઓ વસવાટ કરે છે અને તેમને અહીં રહેવાનો, સૈન્યમાં જોડાવાનો, કોઈ ઓળખપત્ર અને દસ્તાવેજો વિના ભારતમાં પ્રવેશવાનો અને ભારતમાં મકાનો બનાવવાનો અધિકાર છે.ભારતમાં નેપાળીના નામે સંપત્તિ છે.
સ્વાભાવિક છે કે, એક સામાન્ય નેપાળીને ભારતમાં બધી સુવિધાઓ મળી રહી છે.તેમને ભારતમાં બીજા ઘર જેવું લાગે છે. ભારત-નેપાળ સરહદ તેમના માટે કોઈ વાસ્તવિક અર્થ રાખતી નથી.તેથી સીમાનો વિવાદ માત્ર રાજકીય છે.જેમાં લોકોને કોઇ રસ નથી. કાલાપાણી ક્ષેત્રમાં રહેતા લોકોને ખબર નથી ભારત અને નેપાળમાં ભાગ પાડતી સરહદ ક્યાં છે. જ્યારે બુધિ અને ગંજી જેવા વિસ્તારો લગભગ નિર્જન છે. અહીં વસ્તી નહિવત્ છે. અને કોઇ આવતું-જતું નથી.
અડધી સદી પહેલા અહીંથી કેટલાક લોકો માનસરોવર યાત્રામાં જોડાતા હતા. પરંતુ હવે તે પણ બંધ થઇ ગયું છે. માનસરોવર યાત્રા હવે કુમાઉ વિકાસ મંડળ કોર્પોરેશન એટલે કે કેએમપીએન સ્થાનિક લોકોની મદદથી ચલાવે છે.સુગૌલી સંધિ વિશે વાત કરીએ તો નેપાળ કુટી નદીને કાલી નદી માને છે, પરંતુ ભારત જેને કાલી નદી માને છે તે કાલાપાણીમાંથી નીકળે છે. ભારતનો દાવો છે કે ૧૮૭૫ના નકશામાં કાળી નદીની ઉત્પત્તિ કાલાપાનીના પૂર્વમાં બતાવવામાં આવી હતી. તે વિસ્તારમાં કાળા પથ્થરો હોવાને કારણે નદીનો રંગ કાળો દેખાય છે, તેથી આ નદીનું નામ કાલી રાખવામાં આવ્યું છે.
એકંદરે સુગૌલીની સંધિ કાલી નદી પર આધારિત છે. આ સંધિ મુજબ આ નદી ભારત અને નેપાળની સીમા તરીકે કાર્ય કરે છે. ભારત અને નેપાળ બંનેમાં આ નદીનું ઘણું મહત્વ છે. માનસરોવરના પ્રવાસી કાલાપાની પર રોકાય છે અને મંદિરમાં દર્શન કરી દાન-પુણ્ય કરે છે. આ સ્થાન પ્રત્યે લોકોમાં એટલી જ આસ્થા છે જેટલી હિંદુઓને ગંગાના ઉદગમ ગંગોત્રી અને યમુનાના ઉદગમ સ્થળ યમનોત્રી માટે છે. ભારતીય હિંદુઓ માટે યમુનાજીનો ઉદ્દેશ્ય માટે છે. નેપાળી લોકો માને છે કે કુટી યાંગ્તીને કાલી નદીનો સ્ત્રોત માનવો જોઈએ, પરંતુ સુગૌલી સંધિ ઘણી જુદી છે.
ભારત-નેપાળ સરહદ વિવાદ એટલા માટે પણ થાય છે કેમકે અહીં કોઈ સરહદને જુદા પાડતા પિલર નથી. ૧૯૬૧ના ચીન-નેપાળ કરારમાં, સરહદનો પિલર નંબર -૧ કાલી અને તિનકર વચ્ચે સ્થિત છે, લિમ્પિયાધુરામાં નહીં. ઘણા માને છે કે ભારત-તિબેટ વેપાર લિમ્પિયાધુરાથી થાય છે.પરંતુ એવું નથી, ભારત-તિબેટ વેપાર હંમેશાં લિપુલેખથી થાય છે, લિમ્પિયાધુરાથી નહીં. નેપાળના લોકો ભારતમાં પોતાનો વ્યવસાય કરે છે. નેપાળ સાથે ભારતના વ્યાપારી જ નહીં પરંતુ ધાર્મિક અને સાંસ્કૃતિક સંબંધો છે. કાલાપાણી ભારતના નકશામાં હોવા છતાં, નેપાળના કોઈ પણ વ્યક્તિને કોઈ પ્રકારની મુશ્કેલી નથી.