જર્મન ચાન્સેલર એન્ગેલા મર્કેલ બે દિવસીય ભારત પ્રવાસ પર છે.30 મી જાન્યુઆરીના રોજ નવી દિલ્હીમાં તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ગાંધી સ્મૃતિ પહોચ્યાં હતા. અહીં તેમણે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી. તમને જણાવી દઈએ કે ગાંધીજી તેમના જીવનના અંતિમ દિવસોમાં આ સ્થળે રહેતા હતા અને અહીં તેમની હત્યા કરવામાં આવી હતી. શુક્રવારે સવારે મર્કેલે રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીની સમાધિ પર પુષ્પાંજલી અર્પણ કરી હતી.
રાષ્ટ્રપતી ભવનમાં જર્મન ચાન્સેલરનું ભવ્ય સ્વાગત
ભારત-જર્મની વચ્ચે થયા 17 કરાર
ભારત અને જર્મની કૌશલ્ય વિકાસ અને વ્યાવસાયિક શિક્ષણમાં સહયોગ વધારશે
પીએમ મોદીએ કર્યું ટ્વિટ
એન્ગેલા મર્કેલને મળ્યા બાદ પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે - 'આજે ચાન્સેલર મર્કેલ સાથેની વાતચીત ખૂબ વ્યાપક અને ફળદાયી રહી હતી. ભારત-જર્મની સંબંધો પર અમારી સારી ચર્ચા થઈ. ચાન્સેલર મર્કેલ વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત અને આદરણીય નેતાઓમાં સામેલ છે. આ સાથે, તેઓ ભારતના સારા મિત્ર પણ છે.
ભારત અને જર્મની વચ્ચે 17 કરારો પર હસ્તાક્ષર થયા
આ અગાઉ ભારત અને જર્મની વચ્ચે કૃષિ, મરીન ટેકનોલોજી, આયુર્વેદ અને યોગ સહિતના અન્ય ક્ષેત્રોમાં 17 કરારો પર હસ્તાક્ષર થયા. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે આ કરારમાં વ્યૂહાત્મક પ્રોજેક્ટ્સ પર સહયોગ, શહેરમાં લીલોતરી વધારવા માટે ભાગીદારી, કૃત્રિમ બુદ્ધિ પર સંશોધન અને વિકાસ અને દરિયામાં કચરો અટકાવવામાં સહકાર સામેલ છે.
આતંકવાદ અને ઉગ્રવાદના જોખમોનો સામનો કરવા દ્વિપક્ષીય સહયોગ વધારવાનું વચન
બીજી તરફ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે જર્મન ચાન્સેલર એન્ગેલા મર્કેલ સાથે વિશાળ મુદ્દાઓ પર વાતચીત કર્યા બાદ કહ્યું કે ભારત અને જર્મનીએ એકબીજાને આતંકવાદ અને ઉગ્રવાદના જોખમોનો સામનો કરવા દ્વિપક્ષીય અને બહુપક્ષીય સહયોગ વધારવાનું વચન આપ્યું છે. વડાપ્રધાન મોદી અને મર્કેલ શુક્રવારે પાંચમા ભારત-જર્મન આંતર સરકારી સંવાદ (આઈજીસી) ના સહ અધ્યક્ષસ્થાને હતા.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ભવનમાં મર્કેલનું સ્વાગત કર્યું હતું.
ભારત અને જર્મની કૌશલ્ય વિકાસ અને વ્યાવસાયિક શિક્ષણમાં સહયોગ વધારશે
ભારત અને જર્મનીએ કૌશલ્ય વિકાસ, વ્યાવસાયિક શિક્ષણ અને તાલીમના ક્ષેત્રોમાં સહયોગ માટે શુક્રવારે Mou પર હસ્તાક્ષર કર્યા. બંને દેશો વધુ સંખ્યામાં વિદ્યાર્થીઓને તેમના સંબંધિત દેશોમાં પ્રવેશવાની મંજૂરી આપવા સંમત થયા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર એન્ગેલા મર્કેલની અધ્યક્ષતામાં પાંચમી આંતર-સરકારી પરામર્શ (આઇજીસી) ની બેઠક પછી બહાર પાડવામાં આવેલા સંયુક્ત નિવેદનમાં, બંને દેશોએ ઉચ્ચ શિક્ષણમાં ભારત-જર્મની ભાગીદારીને આવકાર્યા છે.
વધુ વિદ્યાર્થીઓ જર્મની શકશે
મર્કેલે કહ્યું, 'અમે શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે સહયોગ અંગે ચર્ચા કરી. અમારી પાસે આ ક્ષેત્રમાં સહકારની લાંબી પરંપરા છે અને 20,000 ભારતીય વિદ્યાર્થીઓ જર્મનીમાં અભ્યાસ કરે છે. અમે વધુ વિદ્યાર્થીઓ જોવા માંગીએ છીએ, ખાસ કરીને વ્યવસાયિક શિક્ષણના ક્ષેત્રમાં. અમે શિક્ષકોને પણ આ તક આપવા માંગીએ છીએ, જે યોગ્ય શિક્ષણ પદ્ધતિમાં મદદ કરશે.