ભારત-ચીન વચ્ચે LAC વિવાદને કારણે છેલ્લા કેટલાક મહિનાઓથી બન્ને દેશની બોર્ડર પર તણાવનો માહોલ છે. આ તણાવને ઓછો કરવા અને યુધ્ધને ટાળવા માટે અનેક સ્તરે બન્ને દેશના અધિકારીઓ દ્વારા બેઠકો યોજાઈ છે. જોકે ચીન પોતાની અવળચંડાઈમાંથી બહાર આવતું નથી. જોકે સારી વાત એ છે કે હાલમાં થયેલી કમાન્ડર સ્તરની છઠ્ઠી બેઠકમાં કેટલાક મુદ્દે સહમતી બની છે.
ભારત-ચીન વચ્ચે LAC વિવાદનો મામલો
કમાન્ડર સ્તરની છઠ્ઠી બેઠકમાં કેટલાક મુદ્દે સહમતી બની
ફ્રન્ટલાઇનમાં વધુ સૈનિકો ન મોકલવા
ભારત અને ચીનનો વિવાદ ટાળવા માટે ડિપ્લોમેટિક સ્તરે જે સંમત્તિ થઇ તેનો બન્ને દેશો દ્વારા અમલ કરવામાં આવશે. વિવાદ દૂર કરવા ચર્ચાઓને વધુ મજબૂત બનાવવી છે. જેમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે બન્ને દેશ ગેરસમજ અને બિનજરૂરી નિર્ણયો ટાળશે.
બન્ને દેશો ફ્રન્ટલાઇનમાં વધુ સૈનિકો નહીં મોકલે. તેમજ જમીનની પરિસ્થિતિને એકતરફી રીતે બદલવાથી બચશે. એટલું જ નહીં એવા નિર્ણયો કે વર્તન કે જેનાથી પરિસ્થિતિ વધું વણશે તેના નિર્માણથી દૂર રહેશે.
સમસ્યાના નિવારણ માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. સરહદી વિસ્તારમાં શાંતિ સ્થપાય તે માટે સંયુક્ત પ્રયાસ કરવામાં આવશે. કમાન્ડર સ્તરની છઠ્ઠી બેઠકમાં કેટલાક મુદ્દે સહમતી બની છે. ઉલ્લેખનીય છે કે આગામી દિવસોમાં કમાન્ડર સ્તરની સાતમી બેઠક મળશે.