પાકિસ્તાને ગુરૂવારે દાવો કર્યો હતો કે, ભારત દ્વારા એક મિસાઈલ છોડવામાં આવી છે જે પાકિસ્તાન સ્થિત પંજાબ પ્રાંતમાં પડી છે. ત્યારે હવે આ મામલે સંરક્ષણ મંત્રાલયે મહત્વનું નિવેદન આપ્યું છે.
સંરક્ષણ મંત્રાલય દ્વારા શુક્રવારે જાહેર કરવામાં આવેલ નિવેદનમાં કહેવામાં આવ્યું કે, 9 માર્ચના રોજ ટૅકનિકલ કારણોસર મિસાઈલનું આકસ્મિક ફાયરિંગ થઈ ગયું હતું.
India says the missile that landed in Pakistan was "fired accidentally", "deeply regrettable" pic.twitter.com/szKsjCSnFQ
સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે ભારત સરકારે આને ગંભીરતાથી લીધું છે અને આ અંગે ઉચ્ચ સ્તરીય કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ આપવામાં આવ્યો છે. મંત્રાલયે કહ્યું કે એવું જાણવા મળ્યું છે કે ટેક્નિકલ ખામી (India Missile Landing in Pakistan) ના કારણે છોડવામાં આવેલી મિસાઈલ પાકિસ્તાનની સીમામાં પડી હતી. આ ઘટના ખૂબ જ ખેદજનક છે. મંત્રાલયે એમ પણ કહ્યું કે રાહતની વાત છે કે આમાં કોઈ જાનહાનિ થઈ નથી.
On 9 March 2022, in the course of routine maintenance, a technical malfunction led to the accidental firing of a missile. The Government of India has taken a serious view and ordered a high-level Court of Enquiry: Ministry of Defence
પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનરલ બાબર ઇફ્તિખારે મીડિયાને જણાવ્યું કે, નવ માર્ચના રોજ સાંજે 6 વાગીને 43 મીનિટ પર એક તેજ ગતિથી ઉડનારી વસ્તુએ ભારતીય ક્ષેત્રમાંથી ઉડાણ ભરી હતી અને તે અચાનક જ રસ્તો ભટકી જતા પાકિસ્તાનના ક્ષેત્રમાં પ્રવેશ કરી ગઇ અને નીચે પડે. જો કે, તેનાથી રહેણાંક વિસ્તારમાં થોડુંક નુકસાન પણ થયું છે પરંતુ તેમાં કોઇનોય જીવ નથી ગયો.
શું બની હતી ઘટના ?
ભારત પર આરોપ લગાવવામાં સદાય અગ્રેસર રહેનાર પાકિસ્તાને મોટો દાવો કર્યો છે. પાકિસ્તાની સેનાનું કહેવું છે કે, ભારત તરફથી એક અજ્ઞાત મિસાઇલ છોડવામાં આવી કે જે પંજાબમાં જઇને પડી અને તેનાથી કેટલાંક નાગરિક વિસ્તારમાં થોડુંક નુકસાન થયું છે.