કોરોના સંક્રમણની બીજી લહેર સતત ઘાતક નજરે આવી રહી છે. કોરોનાની બીજી લહેરે દેશના અનેક રાજ્યોમાં સંક્રમણ ફેલાવ્યું છે. ગુરૂવારે કોરોનાના નવા કેસમાં 35 ટકાનો વધારો થયો છે.
ભારતમાં કોરોના વાયરસના કેસમાં 35 ટકાનો વધારો
છેલ્લા 24 કલાકમાં નવા 72,330 કેસ નોંધાયા
આજે આ વર્ષના સૌથી વધુ કેસ નોંધાયા
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 72,330 નવા કોરોનાના કેસ નોંધાયા છે. આ સાથે જ કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 12,221,665 થઇ ગઇ છે. આ દરમિયાન 459 લોકોના મોત થયા છે, જે છેલ્લા કેટલાક મહિનાઓમાં સૌથી વધુ છે. કોરોનાના કારણે કુલ મૃત્યુઆંક 1,62,927 પર પહોંચ્યો છે.
ચિંતાની વાત એ છે કે આ વખતની લહેરમાં રિકવરી રેટમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 40 કલાકમાં 40 હજાર 382 લોકોએ કોરોનાને મ્હાત આપી છે, જ્યારબાદ અત્યાર સુધીમાં સાજા થનારાની સંખ્યા 11,474,683 પર પહોંચી ગઇ છે અને રિકવરી રેટ ઘટીને 93.89 ટકા થયો છે.