15 ઓગષ્ટ 1947ના રોજ અંગ્રેજી હુકૂમતથી હિંન્દુસ્તાનને આઝાદી મળી હતી. પરંતુ તેના માટે અનેક સ્વતંત્રતા સેનાનિઓએ પોતાના જીવની આહૂતિ આપી હતી. પરંતુ દેશ આઝાદ થયા બાદ પણ ઘણા એવા અવસર આવ્યાં જ્યારે દેશની સરહદ પર અનેક જાંબાઝ જવાનોએ શહીદી વ્હોરી.
15 ઓગષ્ટ 1947ના દિવસે હિંન્દુસ્તાનને મળી આઝાદી
અનેક સ્વતંત્રતા સેનાનિઓએ પોતાના જીવની આહૂતિ આપી
દેશ આઝાદ થયા બાદ સરહદ પર અનેક જાંબાઝ જવાનોએ શહીદી વ્હોરી
દેશની આઝાદીને 75 વર્ષ પૂર્ણ થતા આઝાદીનો અમૃત મહોત્સવ મનાવવામાં આવી રહ્યો છે. 15 ઓગષ્ટ 1947ના દિવસે અંગ્રેજી હકૂમતથી હિન્દુસ્તાનને આઝાદી મળી હતી. દેશ આઝાદ થયા બાદ બે પાડોશી દેશ હંમેશા જોખમકારક રહ્યાં છે. બે પાડોશી દેશોએ જ્યારે ભારત સામે આંખ ઉઠાવી ત્યારે દેશની સેનાએ જડબાતોડ જવાબ આપ્યો. દુશ્મનોનો મુકાબલો કરતા કરતા દેશની સેના, વાયુસેના અને નૌસેનાના ઘણા જવાનોએ પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા. આવા તમામ શહીદોનુ બલિદાન આપણો દેશ ક્યારેય ભૂલી શકશે નહીં. આજે આપણે એવા 10 યોદ્ધાઓ વિશે વાત કરવી છે, જેણે પોતાનુ જીવન રાષ્ટ્રના નામે કર્યુ હતુ.
વીર અબ્દુલ હમીદ
કંપની ક્વાર્ટર માસ્ટર હવલદાર અબ્દુલ હમીદ ભારતીય સેનાના 4 ગ્રેનેડિયરમાં એક સૈનિક હતા. જેણે 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમ્યાન ખેમકરણ સેકટરના આસલ ઉત્તાડમાં અદભૂત વીરતા પ્રદર્શન કરીને વીરગતિ પ્રાપ્ત કરી હતી. જેના માટે તેમને મરણોપરાંત ભારતનુ સર્વોચ્ચ સેના પુરસ્કાર પરમવીર ચક્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતુ.
માર્શલ ઑફ ધ યર ફોર્સ અર્જન સિંહ
અર્જન સિંહનુ આખુ નામ અર્જન સિંહ ઔલખ હતુ. તેઓ ભારતીય વાયુસેનાના એકમાત્ર અધિકારી હતા. જેને માર્શલ ઑફ ધ યર ફોર્સ પર નિમણુક કરવામાં આવી હતી. 16 સપ્ટેમ્બર 2017ના રોજ 98 વર્ષની ઉંમરે તેનુ નિધન થયુ.
ફીલ્ડ માર્શલ માનેક શૉ
તેમનુ આખુ નામ સૈમ હોર્મૂસજી ફ્રેમજી જમશેદજી માનેક શૉ હતુ. 1969ના રોજ તેમને સેનાના અધ્યક્ષ બનાવવામાં આવ્યાં હતા. જ્યારે 1971માં ભારત-પાકિસ્તાન યુદ્ધ થયુ તો તેના નેતૃત્વમાં જ ભારતે પાકિસ્તાન સામે જીત પ્રાાપ્ત કરી હતી. જેના પરિણામ સ્વરૂપે બાંગ્લાદેશનો જન્મ થયો હતો. ત્યારબાદ 1973માં તેમને ફીલ્ડ માર્શલનુ સન્માન આપવામાં આવ્યું હતુ.
બ્રિગેડિયર મોહમ્મદ ઉસ્માન
બ્રિગેડિયર મોહમ્મદ ઉસ્માન જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાની સૈનિકો સાથે લડતા 3 જુલાઈ 1948ના રોજ શહીદ થયા હતા. ત્યારબાદ તેમને દુશ્મનની સામે અસાધારણ બહાદૂરી બતાવવા માટે ભારતના બીજા સૌથી મોટા સૈન્ય પદક મહાવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યાં હતા.
બ્રિગેડિયર કુલદીપ સિંહ ચાંદપુરી
કુલદીપ સિંહનો જન્મ અવિભાજીત ભારતના પંજાબ ક્ષેત્રમાં માન્ટગોમેરીમાં 22 નવેમ્બર 1940ના રોજ થયો હતો. તેના પિતા સરદાર વતન સિંહ હતા. તેમનુ પૈતૃક ગામ ચાંદપુર રૂરકી હતુ, જે બલચોરમાં છે. તે વખતે કુલદીપ એનસીસીના સક્રિય સભ્ય હતા અને જ્યારે 1962માં હોશિયારપુર ગવર્નમેન્ટ કોલેજમાંથી સ્નાતકની ડિગ્રી પ્રાપ્ત કરી ત્યારે તેઓ એનસીસીની પરીક્ષામાં પણ પાસ થયા હતા.
લેફ્ટિનેન્ટ મનોજ કુમાર પાંડે
કેપ્ટન મનોજ કુમાર પાંડેનો જન્મ 25 જૂન 1975ના રોજ ઉત્તર પ્રદેશના સીતાપુર જિલ્લામાં થયો હતો. તેમના પિતાનુ નામ ગોપીચંદ્ર પાંડેે અને માંનુ નામ મોહિની હતુ. ઈન્ટરમીડિયેટનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ મનોજનુ એડમિશન પુણેની પાસે ખડકવાસલા સ્થિત રાષ્ટ્રીય રક્ષા એકેડમીમાં થયો હતો.
કેપ્ટન વિક્રમ બત્રા
કેપ્ટન વિક્રમ બત્રા 7 જુલાઈ 1999ના રોજ કારગિલ યુદ્ધમાં અભૂતપૂર્વ વીરતા બતાવતા વીરગતિ પ્રાપ્ત થયા હતા. તેમને મરણોપરાંત ભારતના સર્વોચ્ચ વીરતા સન્માન પરમવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
ગ્રેનેડિયર યોગેન્દ્ર સિંહ યાદવ
યોગેન્દ્ર સિંહ યાદવને કારગિલ યુદ્ધ દરમ્યાન 4 જુલાઈ 1999ના રોજ અસાધારણ વીરતાનુ પ્રદર્શન કરવા માટે સર્વોચ્ચ ભારતીય સૈન્ય સન્માન પરમવીર ચક્રથી નવાજાયા હતા. માત્ર 19 વર્ષની ઉંમરમાં પરમવીર ચક્ર પ્રાપ્ત કરનારા ગ્રેનેડિયર યાદવ, સૌથી નાની ઉંમરના ફોજી છે, જેને આ સન્માન પ્રાપ્ત થયુ હતુ.
કેપ્ટન હનીફુદ્દીન
દેશની રાજધાની દિલ્હીના રહેવાસી હનીફુદ્દીનનો જન્મ 23 ઓગષ્ટ 1974ના રોજ થયો હતો. આશરે 8 વર્ષની નાની ઉંમરમાં જ તેમણે પોતાના પિતાને ગુમાવ્યા હતા. તેમના બે ભાઈ નફીસ અને સમીર હતા. તેમની માં હેમા અજીજ એક શાસ્ત્રીય સંગીત ગાયિકા હતી, જે દિલ્હીમાં સંગીત નાટક એકેડમી અને કથક કેેન્દ્ર માટે કામ કરતી હતી.
કેપ્ટન અનુજ નાયર
કેપ્ટન અનુજ નાયરનો જન્મ 28 ઓગષ્ટ 1975ના રોજ દિલ્હીમાં થયો હતો અને તેમનુ પાલન-પોષણ પણ અહીં થયુ. તેના પિતા સતીશ કુમાર નાયર દિલ્હી સ્કૂલ ઑફ ઈકોનૉમિક્સમાં એક ગેસ્ટ પ્રોફેસર તરીકે કામ કરતા હતા. જ્યારે તેની માં મીના નાયર દિલ્હી વિશ્વવિદ્યાલયના સાઉથ કેમ્પસ પુસ્તકાલયમાં કામ કરતી હતી.