ભારતના 75મા સ્વાતંત્ર પર્વના રાજ્યકક્ષાની ઉજવણી માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી 2 દિવસ માટે જૂનાગઢના પ્રવાસે, 14 અને 15 તારીખ દરમિયાન જૂનાગઢમાં કરશે રોકાણ
75મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યક્ક્ષાની ઉજવણી જૂનાગઢ ખાતે
CM રૂપાણી બે દિવસ જૂનાગઢના પ્રવાસે રહેશે
14 અને 15 ઓગસ્ટ બે દિવસ મુખ્યમંત્રી જૂનાગઢમાં રહેશે હાજર
CM રૂપાણી બે દિવસ જૂનાગઢના પ્રવાસે, 14 ઓગસ્ટે CM રુપાણી જૂનાગઢ ખાતે પહોંચશે. CM રૂપાણીની ઉપસ્થિતિમાં 15 ઓગસ્ટ નિમિત્તે એટહોમ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું છે. જૂનાગઢ ખાતે 75મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યક્ક્ષાની ઉજવણી કરશે.
બે દિવસના પ્રવાસે જશે તા.14 અને તા.15 ઓગષ્ટના રોજ જૂનાગઢ ખાતે વિવિધ કાર્યક્રમોમાં CM ઉપસ્થિત રહેશે. 14મી ઓગસ્ટના રોજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે એટહોમ કાર્યક્રમ યોજાશે. જેમા પ્રબુધ્ધ નાગરીકો, અગ્રણી અને સમાજ શ્રેષ્ઠીઓને તેઓ શુભકામનાઓ પાઠવશે. ત્યારબાદ સાંજે 6:30 કલાકે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તારા નામે ઓ સ્વતંત્રતા થીમ આધારીત સાંસ્કૃતિક કાર્યક્રમમાં યોજાશે જેમા પણ રાજયપાલ અને મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે.
15મી ઓગષ્ટે સવારે 9 કલાકે જૂનાગઢમાં બિલખા રોડ સ્થિત પરેડ ગ્રાઉન્ડમાં ૭૫મા સ્વાતંત્ર દિનની ઉજવણી કાર્યક્રમમાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહી ધ્વજવંદન કરાવી રાષ્ટ્રધ્વજને સલામી આપશે. અને મુખ્યમંત્રી ૭૫મા સ્વાતંત્ર પર્વ નિમિતે રાજ્યના પ્રજાજનોને સંભોધન કરી શુભકામના પાઠવશે. ગુજરાત પોલીસને પ્રજાની સુરક્ષા માટે વધુ સુસજ્જ કરવાના ભાગરૂપે જૂનાગઢથી મુખ્યમંત્રી ગુજરાત પોલીસને ૧૦ હજાર બોડી વોર્ન કેમેરા અને ૧૫ ડ્રોન કેમેરા સિસ્ટમ અર્પણ કરશે.