પૂર્વ ભારતીય કેપ્ટન ધોની 15 ઓગસ્ચે લદ્દાખ લેહમાં તિરંગો લહેરાવી શકે છે. ભારતીય સેનામાં લેફ્ટિનેન્ટ કર્નલની પદવી મેળવેલા ધોની હાલ ટેરિટોરિયલ આર્મીની સાથે જમ્મુ કાશ્મીરમાં ડ્યૂટી પર છે. એને 30 જુલાઇએ ડ્યૂટી સંભાળી હતી.
પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની સ્વતંત્રતા દિવસના પ્રસંગે લદ્દાખના લેહમાં તિરંગો લહેરાવી શકે છે. ધોનીએ ટેરિટોરિયલ આર્મીમાં કામ કરવા માટે ક્રિકેટથી બે મહિનાનો આરામ લીધો છે. એને 30 જુલાઇથી ડ્યૂટી સંભાળી હતી અને એ 15 ઓગસ્ટ સુધી પોતાની બટાલિયનની સાથે લેહમાં રહેશે.
સેનાના એક અધિકારીએ કહ્યું, 'ધોની ઇન્ડિયન આર્મીનો બ્રાન્ડ એમ્બેસેડર છે. ધોની પોતાના યૂનિટના સભ્યોને પ્રેરિત કરવાના પ્રયાસમાં છે. તે અવારનવાર સૈનિકો સાથે ફૂટબોલ અને વોલીબોલ રમે છે. તે કોરની સાથે અભ્યાસ પણ કરી રહ્યો છે. એ 15 ઓગસ્ટ સુધી ઘાટીમાં ત્યાં સુધી રહેશે.' જો કે અધિકારીએ એવું નથી જણાવ્યું કે ધોની 15 ઓગસ્ટ કઇ જગ્યાએ તિરંગો લહેરાવશે.
ધોની 106 ટેરિટોરિયલ આર્મી બટાલિયન પૈર કમાન્ડો યૂનિટમાં તૈનાત છે. એના માટે એવી પણ માહિતી મળી હતી કે એની તૈનાતી ઘાટીના અવંતીપોરામાં થઇ છે. એ દરમિયાન તે પેટ્રોલિંગ, ગાર્ડ અને પોસ્ટની ડ્યૂટી પણ કરશે. જાણવા મળી રહ્યું હતું કે ધોની કુલ 19 કિલો વજન લઇને પેટ્રોલિંગ કરશે. એમા એની વર્દી, એકે 47 અને સામાનનું વજન સામેલ છે.
ઉલ્લેખનીય છે કે ધોનીએ પહેલા જ જણાવી દીધું હતું કે તે વેસ્ટ ઇન્ડિધ પ્રવાસ પર ટીમ સાથે જશે નહીં, સૈન્ય ટ્રેનિંગમાં સામેલ થવા માટે એને સેનાધ્યક્ષ બિપિન રાવતથી અનુમતિ પણ લીધી હતી.
ભારતીય ટીમ પહેલા કેપ્ટન કર્નલ સીકે નાયુડૂ 1923માં હોલ્કર રાજાના આમંત્રણ પર ઇન્દોર પહોંચ્યા હતા. એમની સેનામાં એમને કર્નલનું પદ આપવામાં આવ્યું હતું. આ સાથે જ લેફ્ટિનેન્ટ કર્નલ હેમૂ અધિકારીની ટેસ્ટ કરિયર બીજા વિશ્વ યુદ્ધના કારણે મોડું શરૂ થયું. આ ઉપરાંત સર ડૉન બ્રેડમેનની પણ સેનામાં કામ કર્યું છે.