દેશભરમાં આજે આઝાદીની ઉજવણી થઇ રહી છે. જમ્મૂ-કાશ્મીરના ચુસ્ત સુરક્ષાની વચ્ચે ઘણી જગ્યાએ ઉજવણી કરવામાં આવી. કાશ્મીરના પુલવામાં જિલ્લામાં પણ શાનથી આઝાદીની ઉજવણી કરવામાં આવી અને રાષ્ટ્ર ધ્વજ પણ લહેરાવવામાં આવ્યો. સુરક્ષાદળએ પોતાનો દમ દેખાડ્યો અને મોટી સંખ્યામાં લોકો ઉજવણીમાં શામેલ થયા.
તમને જણાવી દઇએ કે, આ વર્ષે ફેબ્રુઆરીમાં જ પુલવામાં આતંકવાદી હુમલામાં CRPFના 40 જવાનો શહીદ થયા હતા.
જમ્મૂ-કાશ્મીરમાં હજુ પણ કલમ 144 લાગૂ છે અને તમામ જગ્યાઓ સૈનાના જવાનો તૈનાત છે. આ વચ્ચે આઝાદીની ઉજવણી કરવામાં આવી રહી છે. જિલ્લા સ્તરથી લઇને તાલુકા અને પંચાયત સુધી તમામ જગ્યાઓ પર ભારતીય રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો. શ્રીનગરના રાજ્યપાલ સત્યપાલ મલિકે પણ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો, આ દરમિયાન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ પણ હાજર રહ્યા.
પુલવામામાં જિલ્લા પોલીસ લાઇન્સમાં સ્વતંત્રતા દિવસનો કાર્યક્રમ થયો, જ્યાં જવાનોએ પરેડ કરીને ધ્વજ પણ ફરકાવ્યો.
કલમ 370 અને 35A હટાવ્યા પછી અને જમ્મૂ-કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો અને જે પછી પહેલો સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. રાજ્યભરમાં શાંતિથી આ પર્વ ઉજવવામાં આવ્યો, આ પહેલા ઇદના તહેવારને પણ શાંતિથી ઉજવવામાં આવ્યો. સ્વતંત્રતા દિવસ પર તમામ જગ્યાઓ પર સેના તૈનાત છે અને કોઇ પણ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે.
CRPFના કાફલા પર થયો હતો હુમલો:
કાશ્મીરના પુલવામામાં 14 ફેબ્રુઆરીએ CRPFના કાફલા પર આત્મઘાતી હુમલાની જવાબદારી આતંકી મસૂદ અઝહરના સંગઠને લીધી હતી. હુમલામાં 40 જવાન શહીદ થયા હતા. ત્યારપછી ભારતીય વાયુસેનાએ બાલાકોટમાં આવેલા આતંકી સંગઠન પર એર સ્ટ્રાઈક કરી હતી.