આ વર્ષે લાલ કિલ્લા પર સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં, વડા પ્રધાનને સ્વદેશી આર્ટિલરી ગન, ઍટેગ સાથે 21 તોપોની સલામી આપવામાં આવશે.
આ વર્ષે લાલ કિલ્લા પર સ્વદેશી તોપથી સલામી
ભારતના પ્રધાનમંત્રીને 'ઍટેગ'થી સલામી અપાશે
અત્યાર સુધી વિદેશી આર્ટિલરી ગન વપરાતી હતી
આ વર્ષે લાલ કિલ્લા પર સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં, વડા પ્રધાનને સ્વદેશી આર્ટિલરી ગન, ઍટેગ સાથે 21 તોપોની સલામી આપવામાં આવશે. અત્યાર સુધી બીજા વિશ્વયુદ્ધની બ્રિટિશ પાઉન્ડર-ગનથી 21 તોપોની સલામી આપતી હતી. આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા પર લાલ કિલ્લા પર સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં પહેલીવાર નવી પહેલ કરવામાં આવી રહી છે. સંરક્ષણ સચિવ અજય કુમારે આ અંગે બુધવારે રાજધાની દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી હતી. સંરક્ષણ સચિવના જણાવ્યા અનુસાર, આ વર્ષે લાલ કિલ્લા પર 21 તોપોની સલામીમાં છ બ્રિટિશ પાઉન્ડર ગન અને એક સ્વદેશી ઍટેગ ગન હશે.
શું છે એટેગ ગનની ખાસિયત?
ડીઆરડીઓ દ્વારા ટાટા અને ભારત-ફોર્જ કંપનીઓના સહયોગથી એડવાન્સ ટોડ આર્ટીલરી ગન સિસ્ટમ સિસ્ટમ(ATAG) તૈયાર કરવામાં આવી છે. 155 x 52 કેલિબર એટીએજીએસ ગનની રેન્જ લગભગ 40 કિમી છે અને તે ટૂંક સમયમાં જ ભારતીય સેનાની આર્ટિલરીનો ભાગ બનવા જઈ રહી છે. 2018માં રક્ષા મંત્રાલયે 150 એટાગ ગન ખરીદવાની મંજૂરી આપી હતી.
તોપના અવાજને 'કસ્ટમાઇઝ્ડ' કરવામાં આવ્યા છે
સંરક્ષણ સચિવના જણાવ્યા અનુસાર લાલ કિલ્લામાં અસલી બંદૂકથી સેરેમોનીયલ હશે. આ માટે તોપનો અવાજ અને ગોળાને 'કસ્ટમાઇઝ્ડ' કરવામાં આવ્યા છે. રક્ષા સચિવે કહ્યું કે, 'એક ભારત શ્રેષ્ઠ ભારત'ની થીમ પર પહેલીવાર દેશના તમામ જિલ્લાઓમાંથી એનસીસી કેડેટ્સને બોલાવવામાં આવ્યા છે. લાલ કિલ્લાની સામે જ્ઞાનપથ પર આ કેડેટ્સ ભારતના નક્શામાં પોતાના જિલ્લાના સ્થાન પર બેસશે. વેશભૂષાથી લઈને કોસ્ચ્યુમ સુધી તેઓ તેમના વિસ્તાર અનુસાર બધું જ પહેરશે.
A glorious past, an invincible future. New #AatmanirbharIndia is stronger than ever.
Echos of 21 gun salute from DRDO-developed ATAGS will script history during 75th Independence Day. pic.twitter.com/fL1PZxJ6mK
— A. Bharat Bhushan Babu (@SpokespersonMoD) August 6, 2022
સમાજના વંચિત લોકોને પણ આમંત્રિત કર્યા
સંરક્ષણ સચિવના જણાવ્યા અનુસાર આ વર્ષે લાલ કિલ્લાએ સમાજના એ વંચિત લોકોને પણ આમંત્રણ આપ્યું છે જેમની હંમેશા અવગણના કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં શબવાહિનીના કાર્યકરો, ફેરિયાઓ, આંગણવાડી કાર્યકરો, મુદ્રા લોન લાભાર્થીઓને પણ બોલાવવામાં આવ્યા છે. ત્રણ મંત્રાલયોને ઓનલાઈન આમંત્રિત કરવામાં આવ્યા છે.
14 દેશના NCC કેડેટ્સ પણ ભાગ લેશે
આ ઉપરાંત યૂથ એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત પહેલીવાર 14 દેશોના પસંદગીના એનસીસી કેડેટ સમારોહમાં ભાગ લેશે. જે દેશોના કેડેટ્સ ભારત આવ્યા છે તેમાં મોરેશિયસ, આર્જેન્ટિના, બ્રાઝિલ, કિર્ગિસ્તાન, ઉઝબેકિસ્તાન, યુએઇ, ઇંગ્લેન્ડ, અમેરિકા માલદીવ્સ, નાઇજીરિયા, ફિજી, ઇન્ડોનેશિયા, સેશેલ્સ અને મોઝામ્બિકનો સમાવેશ થાય છે.
25 સુપર વિજેતાને સન્માનિત કરશે
આ વિદેશી કેડેટ્સે પોત-પોતાના દેશમાં આયોજિત સ્પર્ધામાં ભાગ લીધો છે અને તેમની પસંદગી કર્યા બાદ આ એનસીસી કેડેટ્સ ભારત આવ્યા છે. આ તમામ યુવાનો કલ્ચર એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ એનસીસી કેડેટ્સ સાથે વાતચીત કરવા માટે ભારત આવ્યા છે. સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહને રાષ્ટ્રીય વીર ગાથા હેઠળ પસંદ કરાયેલા 25 સુપર વિજેતાઓને સન્માનિત કરવામાં આવશે. આ સ્પર્ધામાં દેશભરમાંથી 8 લાખ બાળકોએ ભાગ લીધો હતો. સુપર વિજેતાઓને રોકડ પુરસ્કાર તેમજ પ્રમાણપત્ર આપવામાં આવશે.