૭૬મા સ્વાતંત્ર્ય દિનની પૂર્વ સંધ્યાએ રાજયપાલ આચાર્ય દેવવ્રતે તેમજ સીએમ ભૂપેન્દ્ર પટેલે નાગરિકોને શુભેચ્છા સંદેશ પાઠવ્યો
આઝાદીના 75 વર્ષની ઉજવણી
CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
ગુજરાતમાં કૃષિ વિકાસ દેશમાં અવ્વલ છેઃ CM
દેશ આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી કરી રહ્યો છે. ત્યારે 15મી ઓગસ્ટ નિમિતે સીએમ ભૂપેન્દ્ર પટેલે પ્રજાજોગ સંબોધન કર્યું. સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે આઝાદીના 75 વર્ષ દેશ માટે ગૌરવપૂર્ણ છે. અને આઝાદીનો અમૃત મહોત્સવ આપણને પ્રેરણા આપે છે. પીએમ મોદીએ દેશને એક નવી ઉંચાઇએ પહોંચાડ્યો છે. સાથે જ સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે ગુજરાત દરેક સમાજને સાથે લઇને ચાલે છે.
ગુજરાતમાં કૃષિ વિકાસ દેશમાં અવ્વલ છેઃ CM
ગુજરાતમાં બે દાયકાથી વિકાસની ધારા વહે છે. કૃષિ વિકાસ દેશમાં અવ્વલ છે. કચ્છમાં પાણીની સમસ્યાનું સમાધાન આવ્યું, 20 વર્ષમાં રાજ્યમાં દોઢ લાખ ચેક ડેમ બન્યા છે. 1.20 લાખ કીમી લાંબી પાણી પાઇપલાઇનનું નેટવર્ક જરુંરી સુવિધાઓ આપી રહ્યું છે. વધુમાં ગુજરાતની યથગાથા વર્ણવતા કહ્યું કેગુજરાત રિન્યુએબલ એનર્જીમાં મોખરાનું સ્થાન ધરાવે છે. ગુજરાતમાં 7294 હેલ્થ સેન્ટર કાર્યરત છે,આર્થિક ક્ષેત્રે ગુજરાત દેશમાં આગળ પડતું રાજ્ય છે, જુઓ CM ભૂપેન્દ્ર પટેલના શુભેચ્છા સંદેશનો VIDEO
'સ્વાતંત્ર્ય વીરોના બલિદાનોની ગાથાઓનું સ્મરણ'
૭૬માં સ્વાતંત્ર્ય દિનના રાષ્ટ્રીય પર્વ પર ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રતે રાજયના સૌ નાગરિકોને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. રાજયપાલે તેમના શુભ સંદેશમાં જણાવ્યું છે કે આપણા મહાન વીર નાયકોએ દેશની આઝાદી કાજે પોતાના મહામૂલા પ્રાણની આહૂતિ આપી હતી. તેમણે શહીદોને ભાવભરી અંજલિ અર્પિત કરતાં જણાવ્યું હતું કે આ રાષ્ટ્રીય પર્વ આપણને મહાન સ્વાતંત્ર્ય વીરોના અસીમ રાષ્ટ્રપ્રેમ, અપ્રતિમ શૌર્ય અને બલિદાનોની ગાથાઓનું સ્મરણ કરાવે છે.
'આત્મનિર્ભર ભારતનું સપનું સાકાર થઈ રહ્યું છે'
આજનો આ પાવન અવસર આત્મખોજ કરવાનો અવસર છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ સત્ય અને અહિંસાના માર્ગે ચાલી લોકોમાં રાષ્ટ્ર ચેતનાનો સંચાર કર્યો અને દેશને અંગ્રેજોની ચુંગાલમાંથી મુકત કર્યો હતો. મહાત્મા ગાંધી, લોહ પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલ, પૂજય રવિશંકર મહારાજ જેવી અનેક મહાન વિભૂતિઓ અને મહાનાયકોના જીવન પથ ને અનુસરીને દેશની મહામૂલી આઝાદીના રક્ષણ અને સંવર્ધન માટે સૌને સંકલ્પબદ્ધ થવા અનુરોધ પણ કર્યો હતો.ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના "આત્મનિર્ભર ભારત"ના સ્વપ્નને સાકાર કરવા ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કર્મઠ નેતૃત્વમાં ગુજરાત રાજયની યશસ્વી વિકાસ યાત્રામાં રાજયના સૌ નાગરિકો પોતાનું મૂલ્યવાન યોગદાન આપશે, તેવી રાજયપાલએ કામના વ્યક્ત કરી હતી.