પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સતત 8મી વખત દિલ્હીના લાલ કિલ્લા પરથી તિરંગો લહેરાવીને 75માં સ્વંતત્રતા પર્વની ઉજવણી કરી હતી.
સતત 8મી વખત દિલ્હીના લાલ કિલ્લા પર PM મોદીએ કર્યું ધ્વજવંદન
ખેડૂતોને લઈને આપ્યું મોટું નિવેદન
કહ્યું- નાનો ખેડૂત દેશની શાન બને તે મારું સપનું
પીએમ મોદીએ દેશવાસીઓને શુભકામનાઓ આપતા કહ્યું હતું કે, ભારતને અને લોકતંત્રને પ્રેમ કરનારાઓને શુભકામનાઓ, આ સાથે જ તેમણે લાલ કિલ્લા ખાતે ઉપસ્થિત રહેલા ઓલિમ્પિકમાં ભાગ લેનાર ખેલાડીઓનું તાલીઓના ગડગડાટથી સ્વાગત પણ કર્યું હતું. તો ખેડૂતોને લઈને પણ મહત્વનું નિવેદન આપ્યું હતું.
ખેડૂતોને લઈને પીએમ મોદીએ કહ્યું...
80 ટકા ખેડૂતો પાસે 2 હેક્ચરથી ઓછી જમીન છે. દોઢ લાક કરોડ રૂપિયા ખેડૂતોને આપવામાં આવે છે જેથી તેઓ સશ્તકત છે. નાના ખેડૂતો પર પહેલા ધ્યાન અપાતું નહીં. કૃષિ સેક્ટરની ચેલેન્જ પર ધ્યાન આપવાનું છે. પહેલા નાના ખેડૂતો પર ધ્યાન અપાતું નહતું. ખેડૂતોની જમીન સતત નાની બની રહી છે. ખેડૂતોના પક્ષમાં સરકાર સકારાત્મક નિર્ણય લેવા જઈ રહી છે.જમીનોના કાગળ પણ ઓનલાઈન અપલોડ થઈ રહ્યા છે. ખેડૂતોના ઉત્પાદનને વિદેશમાં મોકલવામાં આવી રહ્યા છે. ગામની જમીન વિવાદ નહીં વિકાસનો આધાર બને તે જરૂરી છે. તો આ સાથે જ નાના ખેડૂતો બને દેશની શાન એ મારું સપનું તેવી વાત પણ કરી હતી.
પીએમ ગતિ શક્તિ યોજના જલ્દી લોન્ચ થશે
દેશે 75 વર્ષમાં રેલ્વેમાં નવો વિકાસ થઈ રહ્યો છે. જળ, થલ અને વાયુમાં પણ કામ કરીને બતાવ્યું છે. દેશમાં ગતિશક્તિનો વિકાસ થઈ રહ્યો છે. રોજગારને નવો અવસર મળશે.પીએમ ગતિ શક્તિ યોજના જલ્દી લોન્ચ થશે. આ સાથે જ 14 ઓગસ્ટને વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ તરીકે જાહેર કરાયો.
નેશનલ હાઈડ્રોજન મિશનની કરી જાહેરાત
નેશનલ હાઈડ્રોજન મિશન પર પણ કામ થઈ રહ્યું છે. ગ્લોબલ હબ બનશે ભારત. તેની નવી પ્રગતિ અને આત્મનિર્ભરતાની દિશામાં કામ કરશે. આ સાથે કહ્યું કે ઉર્જાક્ષેત્રમાં 12 લાખ કરોડથી વધારે ખર્ચ થાય છે. ટી 20માં ભારત એકમાત્ર દેશ છે જે ઝડપથી આગળ વધી રહ્યું છે. મિશન સર્ક્યુલર ઈકોનોમી પર પણ કામ થઈ રહ્યું છે.
સમાજવાદ અને સહકારવાદ પણ જરૂરી
પીએમ મોદીએ કહ્યું કે દરેકના સામર્થ્યને યોગ્ય અવસર આપવો પડશે અને સાથે લોકતંત્રની ભાવના જરૂરી છે. જમ્મૂમાં ડિ લિમિટેશન કમીશન બન્યું છે અને ભવિષ્યમાં વિધાનસભા ચૂંટણીની તૈયારી પણ તાલી રહી છે. એક તરફ આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ થતું જોવા મળી રહ્યું છે તો અન્ય તરફ સિંધુ સેન્ટ્રલ યુનિવર્સિટીને લદ્દાખને ઉચ્ચ શિક્ષા કેન્દ્ર પણ બનાવવાની તૈયારી થઈ રહી છે.
નોર્થ ઈસ્ટની રાજધાનીને લઈને સરકારનો પ્લાન
પૂર્વી ભારત, નોર્થ ઈસ્ટ, જમ્મૂ કાશ્મીર, લદ્દાખ સહિત હિમાલય, કોસ્ટલ બેલ્ટ કે આદિવાસી અંચલ, ભવિષ્યમાં ભારતના વિકાસનો આધાર બનશે. આજે નોર્થ ઈસ્ટમાં કનેક્ટિવિટીનો નવો ઈતિહાસ લખાઈ રહ્યો છે, આ કનેક્ટિવિટી દિલની પણ છે. નોર્થ ઈસ્ટના દરેક રાજધાનીને રેલસેવા સાથે જોડવાનું કામ જલ્દી પૂરું થશે.
જે બનાવો તે બેસ્ટ બનાવોઃ પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે જે બનાવો તે બેસ્ટ બનાવો. જેથી ખરીદનાર કહી શકે કે આ મેડ ઈન ઈન્ડિયા છે. દેશની દરેક પ્રોડક્ટ બ્રાન્ડ એમ્બેસડર છે. મેન્યુફેક્ચરિંગમાં ઝડપથી કામ થઈ રહ્યું છે. તેનાથી દેશની પ્રતિષ્ઠા જોડાયેલી છે. નિકાસ વધારવાની કોશિશ કરાઈ રહી છે. નાના શહેરોમાં નવા સ્ટાર્ટઅપ બની રહ્યા છે. સરકાર તેમને મદદ કરી રહી છે. ભારતના સ્ટાર્ટઅપને દુનિયામાં શ્રેષ્ઠ બનાવીને તે દિશામાં કામ કરવાનું છે. કોરોનામાં અનેક સ્ટાર્ટઅપ તૈયાર થયા છે. ભારતમાં રાજનીતિની ઈચ્છા શક્તિની ખામી નથી. નાના શહેરોમાં પણ નવા સ્ટાર્ટઅપ બની રહ્યા છે. સ્ટાર્ટઅપની સંખ્યા હજારો કરોડ સુધી પહોંચી છે.
ગરીબોને માટે પોષણયુક્ત ચોખા
પીએમ મોદીએ કહ્યું કે ગરીબોને પોષણ યુક્ત ચોખા આપવાનું લક્ષ્ય રખાશે. ગરીબોને સસ્તી દવાઓ આપવામાં આવશે. આ સિવાય પહેલા સરકારનું લક્ષ્ય 100 ટકા ઘરોમાં શૌચાલયો બનાવવાનું હતું આ સાથે જ હવે દરેક ઘર જળ મિશન ઝડપથી કામ કરી રહ્યું છે. ફક્ત 2 વર્ષમાં સાડા 4 કરોડથી વધારે પરિવારને નળ મળવાનું શરૂ થયું છે.
લક્ષ્યોની પ્રાપ્તિ માટે સબકા પ્રયાસ જરૂરીઃ પીએમ મોદી
અમૃત મહોત્સવનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે આ ગૌરવ કાલની તરફ લઈ જશે. આ માટે લાંબી રાહ જોવાની જરૂર રહેશે નહીં, દરેકે જોડાઈ જવાનું છે. આ યોગ્ય સમય છે અને આ જ સમય છે જ્યારે આપણે પોતાને બદલવાની છે. સબકા સાથ, સબકા વિકાસ. સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ. લક્ષ્યોની પ્રાપ્તિ માટે જરૂરી છે.
કોરોના સંકટનો કર્યો ઉલ્લેખ
પીએમએ કહ્યું કે વિચારો વેક્સિન ન હોતી તો શું થતું. અમને ગર્વ છે કે સૌથી મોટું વેક્સિનેશન અભિયાન ચાલી રહ્યું છે. 54 કરોડથી વધારે લોકોને વેક્સિન લાગી ચૂકી છે અને સાથે કોવિન જેવી ઓનલાઈન વ્યવસ્થા, ડિજિટલ સર્ટિફિકેટની વ્યવસ્થા સૌને આકર્ષિત કર્યું છે. ભારતમાં 80 કરોડ લોકોને ફ્રી અનાજ અને ગરીબોને ચૂલ્હા આપવાની વાત કરી છે.