કોરોનાની અસર આ વખતે દેશના તહેવારો પર પણ પડી છે. સોશિયલ ડિસ્ટેન્સિંગ, લોકડાઉન અને ભીડ ભેગી થવા પર મનાઈ હોવાને કારણે ગત કેટલાક મહિનાઓથી અનેક કાર્યક્રમો થયા નથી. એવુ જ કંઈક 15 ઓગસ્ટના રોજ લાલ કિસ્સા પર થનારા કાર્યક્રમમાં પણ થશે. એટલે કે ભીડ ઓછી હશે અને તમામ પ્રોટોકોલનું પાલન કરશે.
લાલ કિલ્લા પર 15 ઓગસ્ટની તૈયારીઓ શરુ થઈ ગઈ
આ વખતે સ્વતંત્રા દિવસનો કાર્યક્રમ ઘણો અલગ હશે
કોરોનાને કારણે આ વખતના કાર્યક્રમમાં બાળકો ભાગ નહીં લે
એક મીડિયા રિપોર્ટ મુજબ બાળકો કાર્યક્રમમાં ભાગ નહીં લે. મહેમાનોનું લિસ્ટ નાનું હશે. બેઠક વ્યવસ્થા અલગ હશે. પોલીસ જવાનો પીપીઈ કિટમાં હશે.
રાષ્ટ્રપતિ ભવનમાં થશે એટ હોમ કાર્યક્રમ
સ્વતંત્રતા દિવસે બપોરે રાષ્ટ્રપતિ ભવનમાં થનારા એટ હોમ કાર્યક્રમમાં કોરોના વોરિયર્સ પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે. જેમાં મેડિકલ પ્રોફેશનલ અને હેલ્થ સેક્ટરના ખ્યાતનામ લોકોને આમંત્રણ મોકલવામાં આવશે.
દર વર્ષે 900થી 1 000 લોકો ભાગ લેતા હોય છે જ્યારે આ વખતે 250 લોકો ભાગ લેશે. પીએમ મોદી દેશને સંબોધન કરવા હાજર રહેશે. અધિકારીએ કહ્યું ફાઈનલ યાદી રક્ષા મંત્રી તૈયાર કરશે. ઉત્તર દિલ્હીના ડીસીપીએ જણાવ્યું છે કે બાળકો ભાગ નહીં લે. ફક્ત એનસીસી કેડર્સ જ ભાગ લેશે. આ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખવામાં આવશે. સ્ટાફ પીપીઈ કિટમાં રહશે. તેમજ સેનેટાઈઝર જગ્યા બનાવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે એટ હોમ કાર્યક્રમમાં લોકોને ચા પીવડાવવામાં આવશે કે કેમ તેના પર વિચાર થઈ રહ્યો છે. આ વખતે તૈયારીમાં અધિકારીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કેમ કે સૌથી મોટી સમસ્યા મજૂરોની અછતની છે. દર વખતે સાઈટ પર 2 હજાર મજૂરો હોય છે પણ આ વખતે અડધા પણ નથી. ઘણાને પાછા બોલાવી વધારે પૈસા આપી કામ કરાવવું પડી રહ્યું છે. પોલીસ ઉપરાંત અનેક એજન્સીઓ જોડાઈ છે.