પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે 72માં સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લા પરથી દેશને સંબોધિત કરતા પાંચ વર્ષ પૂરી કરી રહેલી પોતાની સરકારનું રિપોર્ટ કાર્ડ રજૂ કર્યુ આ સાથે જ 3 મોટી જાહેરાત કરી હતી. આ જાહેરાત હેલ્થ અંતરિક્ષ અને મહિલાઓ સાથે જોડાયેલી છે. જેની સાથે મોટી જાહેરાત હેલ્થ કેર સ્કીમ 'આયુષ્માન ભારત' અંતરિક્ષ માટે ભારતની ભવિષ્યની યોજના અને સેનામાં મહિલાઓની એન્ટ્રીની વાત કરવામાં આવી છે.
પહેલી જાહેરાતઃ 2022 સુધી અંતરિક્ષમાં હિંદુસ્તાની:
પ્રધાનમંત્રીએ જણાવ્યુ કે 2022 સુધી કોઇ ભારતીય અંતરિક્ષમાં જશે જેનાથી ભારતમાં અંતરિક્ષમાં માનવ મોકલનારો ચોથો દેશ હની જશે. લાલ કિલ્લા પરથી મોદીએ કહ્યુ કે ''હું આજે દેશવાસીઓને એક ખુશખબરી આપી રહ્યો છું. 2022માં જ્યારે દેશની આઝાદીના 75 વર્ષ પૂરા કરશે અથવા તો તેનાથી પહેલા મા ભારતીનું કોઈ સંતાન દીકરો કે દીકરી અંતરિક્ષમાં પહોંચશે. તેના હાથમાં તિરંગો હશે. તેની સાથે જ ભારત માનવીને અંતરીક્ષમાં પહોંચાડનારો વિશ્વનો ચોથો દેશ બની જશે.''
સૂત્રોનુસાર આ મિશન માટે તમામ મોટા પ્રયત્નો કરવામાં આવશે. આ માટે લગભગ 9 હજાર કરોડ રૂપિયાનું બજેટ રાખવામાં આવ્યુ છે.
25 સપ્ટેમ્બરમાં શરૂ થશે આયુષ્માન ભારત:
આયુષ્માન ભારત યોજના દેશભરમાં 25 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવશે. લાલ કિલ્લાથી બોલતા PM મોદીએ કહ્યુ કે પંડિત દિન દયાલની જંયતી પર 'પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના' શરૂ કરવામાં આવશે. જેનાથી નિર્ધનોને સારી અને સસ્તી હેલ્થકેરની સુવિધા મળશે. PM મોદીએ જણાવ્યુ કે તેની ટેસ્ટિંગ શરૂ થઇ ચૂકી છે. આ યોજનાનો લાભ મેળવનારા ગરીબ દર્દીઓની ઇન્શ્યોરન્સ કરવામાં આવશે અને તેમને કેશલેસ સારવારમાં આપવામાં આવશે.
સેનામાં મહિલાઓને અધિકાર:
પ્રધાનમંત્રીએ સ્વતંત્રતા દિવસ પર મહિલાઓને ગિફ્ટ આપી છે. તેમણે સેનામાં મહિલા અધિકારીઓને સ્થાયી કમિશન આપવાની જાહેરાત કરી છે. PMએ જણાવ્યું કે હવે ભારતીય સશસ્ત્ર સેનામાં શોર્ટ સર્વિસ કમિશનના માધ્યમથી નિયુક્ત મહિલા અધિકારીઓને પુરૂષ સમકક્ષ અધિકારીઓની જેમ જ પરીક્ષા આપીને સ્થાઈ રોજગાર મળી શકશે. તેમણે કહ્યું કે ‘મહિલાઓ સ્કૂલથી લઈને સેના સુધી ખભાથી ખભો મેળવીને આગળ વધી રહી છે. સુપ્રીમ કોર્ટે પહેલી વખત ત્રણ મહિલા ન્યાયાધીશ છે.’
આ સિવાય PM મોદીએ જમ્મૂ-કાશ્મીરને લઇને મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યુ કે ત્યાં લાંબા સમય સુધી અટકી રહેલા પંચાયત અને નિકાય ચૂંટણી જલ્દીથી કરાવવાની તૈયારી ચાલી રહી છે. જમ્મૂ કાશ્મીરનો ઉલ્લેખ કરતા કહ્યુ ''જમ્મૂ - કાશ્મીરની તમામ સમસ્યાનો ઉકેલ ગળે લગાવીને કરી શકાય છે. અમારી સરકાર જમ્મૂ-કાશ્મીરના તમામ ક્ષેત્રો અને વર્ગોના વિકાસ માટે પ્રતિબદ્ઘ છે.''