ભારતમાં બેરોજગારીનો આંકડો એપ્રિલ મહિનામાં 12.2 કરોડ હતો જે મે માં 2 કરોડ જેટલો ઘટી ગયો છે. Centre for Monitoring Indian Economy એટલે કે CMIEના અહેવાલ પ્રમાણે ભારતમાં બેરોજગારીનો દર 29% હતો જે ઘટીને 27% થઇ ગયો છે. 25 માર્ચથી દેશમાં 12.2 કરોડ લોકોએ પોતાની નોકરી ગુમાવી છે.
2% જેટલો વધારો એ સૂચવે છે કે 2 કરોડ જેટલા લોકો ફરીથી નોકરીમાં જોડાયા છે. આ આંકડાથી એમ કહી શકાય કે બેરોજગાર લોકોની સંખ્યા ઘટીને 10.2 કરોડ થઇ ગઈ છે. પરંતુ બાકીના લોકોને પાછા લાવવા એ એક મોટો પડકાર છે.
એપ્રિલ મહિનામાં જે કારીગરો ચાલ્યા ગયા હતા તે હવે નોંધપાત્ર સંખ્યામાં પાછા આવી રહ્યા છે
CMIEના જણાવ્યા અનુસાર, મે મહિનામાં લેબર પાર્ટિસિપેશન રેટ (LPR) વધી રહ્યો છે, 17 મેના રોજ પૂરા થતાં સપ્તાહમાં તે વધીને 38.8% થયો છે. આ સૂચવે છે કે એપ્રિલ મહિનામાં જે કારીગરો ચાલ્યા ગયા હતા તે હવે નોંધપાત્ર સંખ્યામાં પાછા આવી રહ્યા છે. LPR માર્ચના 41.9%થી ઘટીને એપ્રિલમાં 35.6% થઈ ગયું હતું. તે જ સમયે, તે મે મહિનામાં તળિયે આવી ગયો હતો.
કામદારો પાછા આવી રહ્યા છે
CMIEના સર્વે મુજબ બેરોજગારોની સંખ્યામાં ઘટાડો થવાનું કારણ એ છે કે લોકો અત્યારે ફરીથી કામ કરવા માટે તૈયાર છે. રિપોર્ટ અનુસાર, તેઓ સંભવિત બેરોજગાર છે, પરંતુ તકનીકી રીતે બેરોજગાર માનવામાં આવતાં નથી. આ લોકો કામ કરવા તૈયાર હોવાથી, જો રોજગારની પરિસ્થિતિમાં થોડો સુધારો થયો હોય તો તેઓ સરળતાથી મજૂરીમાં જોડાઇ શકે છે અને રોજગાર શોધી શકે છે.
મોટાભાગના લોકો ફોન ઉપર ઇન્ટરવ્યૂ આપી રહ્યા છે
કામદારોના વર્ગમાં ધીમે ધીમે યુનિટ્સ ફરીથી ચાલુ થઇ રહ્યા હોવાથી મજૂરો ધીમે ધીમે કામ તરફ પાછા વળી રહ્યા છે. અલગ અલગ કંપનીઓ કર્મચારીઓને નોકરી પર લેવા માટે ટેલિફોનિક ઇન્ટરવ્યૂ લઇ રહ્યા છે.