ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે આજે પહેલી વન-ડે મેચ રમાઈ રહી છે. વેસ્ટ ઈન્ડીઝના અકીલ હુસેને મોટુ નિવેદન આપ્યું છે.
વેસ્ટ ઈન્ડીઝના અકીલ હુસેને મોટુ નિવેદન આપ્યું
હું ભારતીય સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની જેમ બનવા માંગુ છુ
અકીલ હુસેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અંગે કહી આ વાત
વેસ્ટ ઈન્ડીઝના અકીલ હુસેને મોટુ નિવેદન આપ્યું
ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે ત્રિનિદાદના પોર્ટ ઑફ સ્પેનમાં પહેલી વન-ડે મેચ રમાઈ રહી છે. વેસ્ટ ઈન્ડીઝના અકીલ હુસેને મોટુ નિવેદન આપ્યું છે. અકીલ હુસેને કહ્યું કે તેઓ ભારતીય સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની જેમ બનવા માંગે છે.
હું રવિન્દ્ર જાડેજા જેવો બનવા માગુ છુ: અકીલ હુસેન
અકીલ હુસેને કહ્યું કે એક દિવસ હું ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા જેવો ખેલાડી બનવા માગુ છુ. તેમણે કહ્યું, મેં તેમને પૂછ્યુ હતુ કે તેઓ ભારતની ટીમમાં પહોંચતા પહેલા બેટીંગ અને બોલિંગથી સફળતા પ્રાપ્ત કરે છે, તો તેમણે મને કહ્યું કે આ કઈક એવુ છે, જેના વિશે તમારે જાણવુ છે અને પ્રાપ્ત કરવુ છે. ક્લબના કોચ, પ્રાદેશિક કોચ અને તેમને જણાવશે કે તમારે અવસરની જરૂર છે. કારણકે આંતરરાષ્ટ્રીય સ્તરે રમવુ અને પછી મહત્વના સમયમાં પ્રદર્શન કરવુ ખૂબ મુશ્કેલ હોય છે.
હુસેને આઈએએનએસ સાથેની વાતચીતમાં જણાવ્યું, તો તમારે આ નક્કી કરવુ પડશે કે તમે ક્લબ અને ક્ષેત્રીય સ્તરે આ અવસરને પ્રાપ્ત કરવાની સ્થિતિમાં છો અને જ્યારે તમે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આગળ વધો છો તો આ તમારા માટે થોડુ સરળ હોય છે. તેથી આ મુખ્ય રીતે વાતચીત હતી.
ભારત સામેની વન-ડેમાં વન-ડે ટીમના ખેલાડી
હુસેન શુક્રવારે ભારત સામેની વન-ડે મેચમાં વન-ડે ટીમના ખેલાડી છે. 2021માં પોતાના આંતરરાષ્ટ્રીય ડેબ્યુ બાદ હુસેન વેસ્ટ ઈન્ડીઝ માટે વ્હાઈટ બોલમાં સતત સારું પ્રદર્શન કરી રહ્યાં છે. જેમાં આ વર્ષે ફેબ્રુઆરીમાં ભારતમાં રમવાનુ પણ સામેલ છે.