ટીમ ઇન્ડિયા અને વેસ્ટ ઇન્ડિઝની વચ્ચે ત્રીજી અને અંતિમ T-20 મેચમાં 2 બૉલર જસપ્રીત બુમરાહ ઉમેશ યાદવ અને સ્પિનર કુલદીપ યાદવને આરામ આપવાનો નિર્ણય કર્યો છે. આ મેચ 11 નવેમ્બર ચેન્નાઇને એમએ ચિદંબરમ સ્ટેડિયમમાં રમાશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના આ મેચ માટે પંજાબના બૉલર સિદ્ઘાર્થ કૌલને ટીમમાં સ્થાન આપ્યુ છે. ટીમ ઇન્ડિયા સીરિઝ પહેલા 2 મેચ જીતીને પહેલાથી જ સીરિઝ પોતાની નાને કરી ચૂક્યુ છે. એવામાં સિલેક્ટર્સ નવા ખિલાડીઓને રમવાનો મૌકો આપી રહ્યા છે.
UPDATE: Umesh Yadav Jasprit Bumrah & Kuldeep Yadav rested for 3rd Paytm #INDvWI T20I in Chennai@sidkaul22 added to India's squad
BCCIએ શુક્રવારે ત્રીજા મેચ માટે ટીમની જાહેરાત કરતા કહ્યુ કે ત્રીજી મેચ માટેની સીરિઝમાં શાનદાર ફૉર્મમાં રહી ચૂકેલા 3 બૉલર્સને આરામ આપવામાં આવી રહ્યો છે. આ નિર્ણય ઓસ્ટ્રેલિયાના પ્રવાસને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.
3 T20 મેચની સીરિઝની પહેલી મેચ કોલકાતામાં રમાઇ હતી જ્યાં ટીમ ઇન્ડિયાએ 5 વિકેટથી આ મેચ જીતી હતી. જે પછી બીજી મેચ લખનઉમાં રમાઇ હતી. ટીમ ઇન્ડિયાએ કેપ્ટન રોહિત શર્માની સેન્ચુરીને કારણે આ મેચ જીતી લીધી હતી.
સિદ્ઘાર્થ કૌલ આ પહેલા આયરલેન્ડ અને ઇંગ્લેન્ડના પ્રવાસ પર T20 ટીમનો ભાગ હતો જ્યાં તેણે મેચ રમવાનો મૌકો મળ્યો હતો. સિદ્ઘાર્થ અત્યાર સુધી 2 T20 મેચમાં 3 વિકેટ પોતાના નામે કરી ચૂક્યો છે.