2019 વર્લ્ડ કપ બાદ એક સાથે મેદાનમાં ઉતરેલી યુઝવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવની જોડીએ આજે મેદાન પર ધમાલ મચાવી હતી.
ભારત અને શ્રીલંકા વચ્ચે વન ડે મેચ
ભારતના સ્પિનરોએ શાનદાર બોલિંગ કરી
કુલ-ચા જોડીએ કર્યો કમાલ
કેટલો લક્ષ્ય મળ્યો?
ભારત અને શ્રીલંકા વચ્ચે વન ડે સીરિઝની પહેલી મેચ કોલમ્બોમાં રમાઈ રહી છે. આજે શ્રીલંકાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને 50 ઓવરમાં 9 વીકેટના નુકસાન પર 262 રન બનાવ્યા. ભારતીય ટીમને મેચ જીતવા માટે 263 રનનો લક્ષ્ય આપ્યો. શ્રીલંકા તરફથી ચામિકાએ 43 રન થોકયા જ્યારે કેપ્ટન શનાકાએ 39 રન બનાવ્યા હતા. ભારતના દિપક ચાહર અને કુલદીપ યાદવે બે બે વિકેટ ખેરવી હતી.
કુલચાનો કમાલ
2019 વર્લ્ડ કપ બાદ એક સાથે મેદાનમાં ઉતરેલી યુઝવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવની જોડીએ આજે મેદાન પર ધમાલ મચાવી હતી. શ્રીલંકા સામે પહેલા વન ડે આ જોડી લગભગ બે વર્ષ બાદ મેદાન પર ઉતરી હતી. ચહલે પોતાની પહેલી જ ઓવરમાં પહેલી જ બોલમાં વીકેટ લીધી હતી જ્યારે કુલદીપ યાદવે એક જ ઓવરમાં બે ખેલાડીઓને પવેલીયન ભેગા કરી દીધા હતા.
ભુવનેશ્વર કુમારની બોલિંગ ધોવાઈ
ભારતના સ્પિનરોએ શાનદાર બોલિંગ કરી બતાવી, ખાસ કરીને કૃણાલ પંડયા ખૂબ જ કામના રહ્યા કારણ કે તેણે 26 જ રન આપ્યા અને 1 વીકેટ લીધી. દિપક ચાહરે પણ બે વિકેટ ખેરવી હતી. જોકે આ મેચમાં છેલ્લી ઓવરોમાં ભુવનેશ્વર કુમારને શ્રીલંકાના બેટ્સમેનોએ ધોઈ નાંખ્યો હતો.