શ્રીલંકાની ક્રિકેટ ટીમે ઘર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ સંઘ સ્ટેડિયમમાં રમાયેલા પહેલી વનડે મેચમાં ટીમ ઇન્ડિયાને 7 વિકેટથી હરાવી દીધી. આ સાથે જ શ્રીલંકાની ટીમ ભારત સાથેની 3 વનડે મેચની સીરિઝમાં 1-0થી આગળ છે. શ્રીલંકાના કેપ્ટન થિસારા પરેરાના નેતૃત્વમાં ટૉસ જીતીને પહેલા બૉલિંગ કરવાનો નિર્ણય લીધો અને પોતાની સારી બૉલિંગ સ્ટ્રેટર્જીને કારણે ભારતની ટીમને 38.2 ઑવરમાં 112 રન પર ઑલઆઉટ કરી દીધી. આ સ્કોરમાં 65 રન તો માત્ર ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ કર્યા હતા. શ્રીલંકાએ 20.4 ઑવરમાં 3 વિકેટ ગુમાવીને આ ટાર્ગેટ પૂરો કરી લીધો હતો. ખરાબ રીતે મળેલા હાર બાદ પણ ટીમ ઇન્ડિયાને કેટલાક પ્લેયર્સ હિમાચલની ઠંડીનો આંનદ માણી રહ્યા હતા. ટીમ ઇન્ડિયાના પ્લેયર્સ મોડી રાતે બૉનફાયરની સામે બેસીને કરવામાં આવેલી મસ્તીના ફોટોઝ સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. જેમાં મહેન્દ્ર સિંહ ધોનીશિખર ધવનહાર્દિક પંડ્યાયજુવેન્દ્ર ચહલમનીષ પાંડે અને શ્રેયસ અય્યર જોવા મળી રહ્યા છે.
પહેલા બેટિંગ કરવા માટે આવેલી ભારતીય ટીમ એક પછી એક વિકેટ ગુમાવી રહી હતી. 10 ઑવર પૂરી થતા થતા તો ભારતે પોતાની 3 વિકેટ ગુમાવી દીધી હતી અને સ્કોરબોર્ડ પર માત્ર 11 જ રન હતા. આ ભારતનો 2001 પછીનો પહેલી 10 ઑવરનો સૌથી ઓછો સ્કોર છે. ભારતને 16 રનને પોતાની 5 વિકેટ ગુમાવી દીધી. વનડે ઇતિહાસમાં પહેલી વખત છે જ્યારે કોઇ ટીમે 16 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હોય. આ પહેલા પણ ભારતે જ 17 રનમાં 5 વિકેટ 1983 વર્લ્ડ કપમાં ઝિમ્બાબ્વે વિરુદ્ઘ ગુમાવી હતી.