ભારત અને સાઉથ આફ્રીકાની વચ્ચે ટેસ્ટ સીરીઝ 26 ડિસેમ્બરથી શરૂ થઈ રહી છે.
ટીમ ઈન્ડિયા હાલ સાઉથ આફ્રીકાના પ્રવાસ પર
સીરીઝનો પહેલો મુકાબલો 26 ડિસેમ્બરે થશે
CSA અને BCCIનો મોટો નિર્ણય
ટીમ ઈન્ડિયા હાલ સાઉથ આફ્રીકાના પ્રવાસ પર છે. આ પ્રવાસ પર ટીમને 3 ટેસ્ટ અને 3 વનડેની મેચ રમવાની છે. સીરીઝનો પહેલો મુકાબલો 26 ડિસેમ્બરે થશે. સેંચુરિયનમાં થવા જઈ પરહેલા પહેલા ટેસ્ટ પહેલા ક્રિકેટ સાઉથ આફ્રીકા (CSA) અને BCCIનો મોટો નિર્ણય સામે આવ્યો છે.
કોરોનાને ધ્યાનમાં રાખીને સીરીઝ વખતે ફેન્સને સ્ટેડિયમમાં આવવા પર સંપૂર્ણ રીતે રોક લગાવી દેવામાં આવી છે. જ્યારે સાઉથ આફ્રીકામાં સરકારની તરફથી વેક્સીન લગાવનાર 2 હજાર ફેન્સને આવવાની પરવાનગી આપવામાં આવી છે. એવામાં બોર્ડે સરકારના નિર્ણય કરતા અલગ રસ્તો અપનાવ્યો છે.
ANNOUNCEMENT🚨
Tickets for the upcoming #SAvIND tour will not be made available after both cricket bodies took a joint decision to protect the players and the tour 😢
The matches will be broadcast live on SuperSport and SABC 📺
ખેલાડીઓની સુરક્ષા અને બાયો બબલને ધ્યાનમાં રાખીને બન્ને બોર્ડે આ નિર્ણય કર્યો છે. તે પહેલા એશેઝ સીરીઝ વખતે પેટ કમિંસ કોરોના પોઝિટિવ આવ્યા હતા. આ કારણે તે બીજી ટેસ્ટથી બહાર થઈ ગયા હતી. સીએસસે કહ્યું છે કે હવે સીરીઝની ટિકિટ નહીં વેચવામાં આવે.
નિવેદનમાં તેમણે કહ્યું કે કોવિડના વધતા કેસના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી પ્રવાસ કોઈ પણ મુશ્કેલી વગર પુરો કરવામાં આવી શકે. મહત્વનું છે કે કોરોનાના નવા વેરિએન્ટ બાદ પણ BCCIએ ટીમને પ્રવાસ પર મોકલી છે.
ટી20ની સતત બીજી સીઝન કેન્સલ
આ પહેલા સીએસએએ જણાવ્યું હતું કે ટી20 MSLને કોવિડ-19 મહામારીના કારણે બીજી વખત રદ્દ કરી દેવામાં આવી છે. એમએસએલનું આયોજન ફેબ્રુઆરીમાં થશે. પરંતું બોર્ડે કહ્યું છે કે કોવિડના ઓમિક્રોન વેરિએન્ટના પ્રસાર બાદ ઘણા દેશોએ દક્ષિણ આફ્રિકાની યાત્રા પર પ્રતિબંધના કારણે તેને આ ટૂર્નામેન્ટને રદ્દ કરવી પડી. આ પહેલા 2020 સત્રને પણ મહામારીના કારણે રદ્દ કરવામાં આવ્યું હતું.