ટીમ ઈન્ડિયા ટી-20 પહેલા મેચની તૈયારીમાં જોતરાઈ છે. પાકિસ્તાન અને ભારત વચ્ચેની મેચને લઈને ખૂબ જ ચર્ચાઓ જામી છે ત્યારે પાકિસ્તાની ક્રિકેટ ટીમે પોતાના પ્લેયિંગ-11ની જાહેરાત કરી છે.
ભારત-પાક વચ્ચેની મેચને લઈને ચર્ચા
પાકિસ્તાને જાહેર કરી પ્લેયિંગ-11 ટીમ
વરિષ્ઠ અને અનુભવી ખેલાડીઓ સાથે રમશે પાક ટીમ
બંન્ને ટીમો વચ્ચે 24 ઓક્ટોબરના રોજ મેચ યોજાવાની છે અને T20 World Cup 2021નો આ પહેલો મુકાબલો છે. ત્યારે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. ટીમમાં 3 ફાસ્ટ બોલરની સાથે ઉતરી શકે છે, આ સાથે જ 4 ઓલરાઉન્ડર પણ ઉતારવામાં આવી કે છે. જો કે, ટી-20 વર્લ્ડ કપમાં પાકિસ્તાની ટીમે અત્યાર સુધીમાં ક્યારેય ટીમ ઈન્ડિયાને પરાજય આપી શકી નથી. ત્યારે હવે જોવું કેપ્ટન બાબર આઝમ મેચ જીતવા માટે એડીચોટીનું જોર લગાવી દેશે.
વરિષ્ઠ અને અનુભવી ખેલાડીઓ સાથે રમશે પાક ટીમ
Jio ટીવી સાથે વાત કરતા ટીમના એક સૂત્રએ કહ્યું કે, “મેચમાં ટીમ વરિષ્ઠ અને અનુભવી ખેલાડીઓ સાથે રમશે. જો ત્યાં કોઈ ફિટનેસ સમસ્યા નથી, તો પછી જે ટીમ પ્રેક્ટિસ મેચમાં જશે તે જ ભારત સામે મેદાનમાં ઉતરશે. સૂત્રએ એવુંપણ કહ્યું કે, પ્લેઇંગ-11માં બાબર આઝમ, મહોમ્મદ રિઝવાન, ફખર ઝમા,મહોમ્મદ હફીઝ,શોએબ મલિક અને આસિફ અલીને તક મળી શકે છે. જણાવી દઇએ કે,વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રેક્ટિસ મેચમાં બાબરે અડધી સદી ફટકારી હતી, જ્યારે ફખરે 46 રનની આક્રમક ઈનિંગ રમી હતી. હાફીઝ અને મલિક પણ બોલિંગ કરે છે.
ઓલરાઉન્ડર શાદાબ અને ઈમાદનું રમવાનું નક્કી
સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલી જાણકારી પ્રમાણે, ઓલરાઉન્ડર શાદાબ ખાન અને ઈમાદ વસીમ પણ ભારત સામેની મેચમાં જોવા મળશે.વેસ્ટ ઈન્ડિઝ વિરૂદ્ધની મેચમાં વાઈઝ કેપ્ટન અને લેગ સ્પીનર શાદાબ ખાને 2 ઓવરમાં 7 રન આપ્યા હતા. જ્યારે લૅફ્ટી સ્પિનર ઈમાદે 3 ઓવરમાં 6 રન આપીને એક વીકેટ ઝડપી હતી.